SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ એક સતે માલુભા પણ ભજન સાંભળવા પુગ્યા. રંગત જામી ભજનની. પરભાત થઈ ગયું ત્યાં સુધી માલુભાને ખબર ન પડી. સવારે ધાંગધ્ર પહોંચે ત્યાં રાજા સાહેબે હુકમ સંભળાવ્યો. તમારી નિમણુંક પોલિસ વડા તરીકે કરવામાં આવે છે. તેણે હોદ્દો તો સંભાળ્યું, પણ કાનમાં હજી ભજનને રંગ છે–ગુંજ્યા કરે છે શબ્દો (તમને સ્તવન કે સઝાય કેટલા યાદ? કે પછી સ્તવન પુરુ થયું નથી કે વરકનકશંખ વિક્મ ને ભગવાનહ –કરવાનું જ યાદ રહ્યું.) માલુભા રાણાને ફરી ભજનનું મન થયા કરે, પણ પોલિસને મળે નડે. એક બાજુ હૈયું હાથ નથી રહેતું–બીજી બાજુ પોલિસ વડે થઈને દોથા જેવા ગામમાં ભજન સાંભળે. હવે કરવું શું ? પછી ખાનગી ડ્રેસ પહેરી રોજ ઘેડી પર જાય, રાત્રે ભજન સાંભળે, સવારે પાછા ધાંગધે. એક રાતે ભજનની જમાવટ થઈ છે-મંજીરા ના રણકાર, તબલાને નાદ, પગીને સુર-બધાં એકમેકમાં એળળ થઈ ગયા છે. માલભા ભક્તિ રસનું પાન કરી રહ્યા છે. ત્યારે પગી બોલ્યો : વીજળીના ઝબકારે રે મોતી પરે પાનબાઈ અચાનક અંધારા થશે રે તમે પણ સજ્જાથમાં લે છો ને સ્થિર નહી આ સંસારે પ્રાણ, તન ધન યૌવનવાન જિમ સંધ્યાના વાદળને રંગ, જિમ ચંચળ ગજ કાન માલુભાના મગજમાં ચમકારે થઈ ગયે. વીજળીના ઝબકારે રે મેતી પરોવે-આ મનુષ્ય ભવ માંડ મલ્યો છે. હવે આત્માનું સાધી લેવું. ધાંગધે હડી મેલી, સવારે રાજીનામું દઈ દીધું. બસ થઈ ગયા ભક્તિમાં તરબળ. પિતાને ખેરડે સાધુ-સંતોની રમઝટ બોલે છે, બંદુકના ઘડાને બદલે માળાના મણકા ફરી રહ્યા છે. છેલે ૧૨ વર્ષનું મૌન ધારણ કર્યું. પણ આ બધે પ્રતાપ કોને? શ્રુતિ રાગને. તેથી શ્રાવક માટે પણ લક્ષણ બાંધ્યું કે જિનવચન સાંભળે તે શ્રાવક અહીં ફરી પ્રશ્ન થાય કે જિન વચન સાંભળે તો ખરે, પણ મેક્ષને અથી શ્રાવક કઈ રીતે સાંભળે તો કલ્યાણકારી થાય? વરો ચિં-પરલેક માટે હિત બુદ્ધિથી સાંભળે-કદાચ પરલોકની હિત બુદ્ધિએ સાંભળવા છતા તેમાં ધ્યાન ન આવે તો ? એટલે શ્રીમાન
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy