________________
સાત્ત્વિક્તાનો શંખનાદ,
શબ્દમાં જબરદસ્ત તાકાત છે. સંત કબીરજીએ કહ્યું છે–
सबद सबद सहु को कहे, सबद के हाथ न पाँव, एक सबद औषध करे, एक सबद करे घाव. सबद सबद बहु अंतरा, सार सबद चित्त देय, जा सबदे साहिब मिलै, सो हि सबद लहि लेय.
શબ્દો શસ્ત્ર જેવા છે. તેને વાપરતા આવડવા જોઈએ. શબ્દોને જયારે સંતોની સાત્ત્વિકતાનો સ્પર્શ મળે ત્યારે સૃષ્ટિમાં સત્યનું અવતરણ થાય છે.
પરમ આદરણીય મુનિવર શ્રીવૈરાગ્યરતિવિજયજી મહારાજ સાહેબ રચિત “જગ સપને કી માયા’ના એક એક શબ્દમાં મને સાત્ત્વિકતાનો શંખનાદ સંભળાય છે. સંસાર વિષેની માનવની ભ્રમણાઓ સામે શબ્દ થકી રણશિંગું ફૂંકવાવાળા પરમ સંત હોય ત્યારે આ પુસ્તકની નૈતિક અને સામાજિક કિંમત આપમેળે વધી જાય છે. પૂજયશ્રી દ્વારા માનવ ઉત્થાનને અનુલક્ષીને અનેક પુસ્તકો લખાયાં છે. અનેક સમસ્યાઓથી ઘેરાયેલા માણસને બહાર લાવી સાચો રાહ દર્શાવતું આ શબ્દ-પુષ્ય માનસિક અને નૈતિક વિકાસને એક નવી દિશા આપશે એમાં કોઈ શંકા નથી.
શ્રી ચિદાનંદજી મહારાજ નામના એક પ્રાચીન અધ્યાત્મ પુરુષના પદમાં પડેલા ઉંડા અને ગહન ભાવને પૂજ્યશ્રીએ સરળ અને સબળ છતાં સરસ શબ્દોમાં રજૂ કર્યો છે.
‘રે નર ! જગ સપને કી માયા’ આ પ્રાચીન પદની ધ્રુવ પંક્તિ છે.
જગત સપનાંઓની માયાવી સૃષ્ટિ છે છતાં માણસ સ્વપ્ન જોવાનું ભૂલતો નથી. સમસ્યાઓથી ઘેરાયેલો માણસ સમસ્યાઓને ઉકેલવા જતા નવી સમસ્યાઓમાં ફસાતો જાય છે. માણસે સમસ્યાઓના મૂળ સુધી પહોંચવાની જરૂર છે. મુખ્ય સમસ્યા છે—માણસના મનમાં રહેલો ખાલીપો. આ ખાલીપો પદ, પૈસા, પરિવાર કે પ્રતિષ્ઠાથી ક્યારેય ભરાતો નથી. એ ખાલીપો ભરવાના વ્યર્થ પ્રયત્નમાં ડૂબેલો માણસ ઘાણીના બળદથી વિશેષ નથી. સૂક્ષ્મ સંસાર થકી દષ્ટિભેદ થાય છે, એથી અપેક્ષાઓ આકાર લે છે. અપેક્ષાઓ થકી જ માણસ માનસિક સ્તરે અપંગ બને છે. માણસ પોતે તો રાજા હોય કે ભિખારી પરંતુ સ્વપ્નોની દુનિયામાં દરેકની માનસિકતા એક સરખી જ છે.
માણસ પોતે જયારે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ત્યારે તે પરિસ્થિતિને ભોગવ્યા સિવાય છૂટકો નથી. વીજળીના ચમકારા જેવું આ જીવન બુઝાઈ જવા માટે જ સર્જાયું છે. સંસારરૂપી ઘોર જંગલ અને અંધકારમાંથી સાવચેતીપૂર્વક પસાર થવું હોય તો વીજળીના ચમકારાની જેમ ક્યારેક ક્યારેક નસીબજોગે મળી જતા સંતોના શબ્દો અને શિખામણ ઉપયોગી નીવડી જાય છે. જન્મ અને મરણનો ગાઢ નાતો છે. જન્મેલો મરવાની શરૂઆત કરી દે છે અને મરેલો નવા જન્મ માટેની તૈયારી શરૂ કરી દે છે. પીગળતી જતી પ્રત્યેક ક્ષણને ઓળખવા દંભ અને આડંબરનો ત્યાગ જરૂરી છે. શરીર અને બાહ્ય દુર્ગધ અટકાવવા માણસ અવિરત પ્રયત્નો કરે છે. પરંતુ મનની આંતરિક દુર્ગધને દૂર કરવા માટે નિષ્ઠાપૂર્વકના કોઈ જ પ્રયત્નો થતા નથી.
સંપત્તિ નદીના પ્રવાહ જેવી છે છતાં પણ માણસે તેની સાથે વધારે પ્રેમ બાંધી દીધો છે. વધતા પૈસાનું શૂન્યતા સાથેનું બંધન અત્યંત ઘનિષ્ઠ છે લાલચુ માણસ માછલાઓની જેમ ફસાઈ જાય છે.
‘સત્યનું સ્મરણ એ જ પ્રભુનું સ્મરણ છે.” એ વાતને સમજાવી