________________
પ્રકાશકીય
સારા વિચારોને સરળ શબ્દો દ્વારા વહેતા રાખવાનું અમારું વ્રત સાર્થક બનતું અનુભવાય છે. છેલ્લા આઠ વરસના સઘન પ્રયાસોના ફળસ્વરૂપે આજની ઘડીએ પૂજ્ય પ્રવચનકાર બંધુબેલડીના પુસ્તકોને મળતો પ્રતિસાદ જોઈને અમારી આંખો આનંદથી ઊભરાય છે.
ડીસા નિવાસી શ્રીયુત ભગવાનદાસ ઠક્કર (બંધુ) (બી. એ., બી. એસ. સી., એલ. એલ. બી.)-એ પ્રસ્તુત પ્રવચનને ભાવનાથી મહેકતા શબ્દપુષ્પો દ્વારા વધાવ્યું છે. તેઓ રેંજ ફોરેસ્ટ ઑફિસર છે. રખેવાળ જેવા દૈનિક સમાચારપત્રોના કટાર લેખક છે. પ્રસિદ્ધ સમાજ સેવક પણ છે. તેમનો ખૂબ આભાર.
આવો, આપણે સહુ સદ્વિચારના વાહક બનીએ.
– પ્રવચન પ્રકાશન
લાભાર્થી