________________
રોટલી નાંખીને કૂતરાને વિશ્વાસમાં લઈ શકાય છે.
દૂધ પાઈને ગમે તેવા ઝેરી સાપને પાળી શકાય છે.
પ્રેમ આપીને વાઘ-સિંહ જેવા જંગલી જાનવર પાસે પણ ધાર્યું કામ કરાવી શકાય છે પરંતુ
ભરપૂર સાધન-સામગ્રી અને લાગણી આપ્યા પછી પણ “માણસ”ને વિશ્વાસમાં ન લઈ શકાય. આનાથી વિશેષ કરુણતા માનવજાત માટે કઈ હોઈ શકે ?
× ૪૫
મધ ગમે તેટલું મીઠું હોય, મધમાખીને સાચવવા કોઈ તૈયાર
નહીં થાય. કારણ ?
ડંખ મારવાની ટેવ
સ્વભાવ ગમે તેટલો સારો હોય
પણ બીજાને સંભળાવી દેવાની’ ટેવ હશે તો કોઈ સાચવવા તૈયાર નહીં થાય. સાંભળવાની તૈયારી ન હોય તો સંભળાવવાની હિંમત કરવી નહીં....
× ૪૬=
ધરતી પર પડેલું વરસાદનું પાણી
જેમ
ક્યારેય
ખાલી જતું નથી. તેમ
બીજા પર કરેલો ઉપકાર
ક્યારેય નિષ્ફળ જતો
નથી. શરત એટલી જ તેમાં સ્વાર્થ ન હોવો જોઈએ.
*૪૭=
ગમે તેટલું ઉપર ચઢાવો, સાચવો નહીં તો પાણી નીચે જ પડશે. બસ એ જ રીતે
સંપત્તિને ગમે તેટલી ઊંચે ચઢાવો સાચવો નહીં તો
નીચે જ પડશે.
નદીનો અને પૈસાનો સ્વભાવ સરખો છે.
ન હોય તો જીવન રણ બની
જાય છે. અને
જરૂર કરતા વધારે હોય તો ડૂબાડી
દે છે.
= ૪૮≈