SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રોટલી નાંખીને કૂતરાને વિશ્વાસમાં લઈ શકાય છે. દૂધ પાઈને ગમે તેવા ઝેરી સાપને પાળી શકાય છે. પ્રેમ આપીને વાઘ-સિંહ જેવા જંગલી જાનવર પાસે પણ ધાર્યું કામ કરાવી શકાય છે પરંતુ ભરપૂર સાધન-સામગ્રી અને લાગણી આપ્યા પછી પણ “માણસ”ને વિશ્વાસમાં ન લઈ શકાય. આનાથી વિશેષ કરુણતા માનવજાત માટે કઈ હોઈ શકે ? × ૪૫ મધ ગમે તેટલું મીઠું હોય, મધમાખીને સાચવવા કોઈ તૈયાર નહીં થાય. કારણ ? ડંખ મારવાની ટેવ સ્વભાવ ગમે તેટલો સારો હોય પણ બીજાને સંભળાવી દેવાની’ ટેવ હશે તો કોઈ સાચવવા તૈયાર નહીં થાય. સાંભળવાની તૈયારી ન હોય તો સંભળાવવાની હિંમત કરવી નહીં.... × ૪૬= ધરતી પર પડેલું વરસાદનું પાણી જેમ ક્યારેય ખાલી જતું નથી. તેમ બીજા પર કરેલો ઉપકાર ક્યારેય નિષ્ફળ જતો નથી. શરત એટલી જ તેમાં સ્વાર્થ ન હોવો જોઈએ. *૪૭= ગમે તેટલું ઉપર ચઢાવો, સાચવો નહીં તો પાણી નીચે જ પડશે. બસ એ જ રીતે સંપત્તિને ગમે તેટલી ઊંચે ચઢાવો સાચવો નહીં તો નીચે જ પડશે. નદીનો અને પૈસાનો સ્વભાવ સરખો છે. ન હોય તો જીવન રણ બની જાય છે. અને જરૂર કરતા વધારે હોય તો ડૂબાડી દે છે. = ૪૮≈
SR No.009093
Book TitleChapti Bhari Chokha
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy