SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આપણને નાના તરીકેનો હક યાદ હોય છે એટલે ઘણીવાર એલફેલ શબ્દો બોલીને મોટાભાઈને ઉતારી પાડીએ છીએ. આપણી માટે મોટાભાઈ કેટલું બધું ખમી ચૂક્યા છે તે આપણને યાદ નથી રહેતું. નાનાને લાડ વધારે મળે તેવો નિયમ છે. આ જ નિયમને લીધે નાનાઓ વંઠી જતા હોય છે. ભાઈનો ભાઈ સાથે ઉદાત્ત સંબંધ બહુ મધુરો હોય છે. ભીમ અને અર્જુને યુધિષ્ઠિરને મોટાભાઈ તરીકે ખૂબ સન્માન આપ્યું હતું. લક્ષ્મણ અને ભરત, રામચંદ્રજીને મોટાભાઈ તરીકે અભુત આદર આપ્યો હતો. આપણે તો બેજવાબદાર છીએ. ઝઘડો ઊભો કર્યો છે અને માફી માંગવાના સમયે છટકી ગયા છીએ. આજ સુધી અનેક વાર મોટાભાઈને આપણા તરફથી અન્યાય થતો રહ્યો છે. આપણે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા મોટાભાઈ પાસે જવાનું છે, તેમના ખોળામાં માથું મૂકીને ૨ડતા રડતા માફી માંગવાની છે. બે ભાઈનો સંપ આખા પરિવારને પ્રસન્નતાથી ભરી દે છે. નાનાભાઈ પાસે નાના હોવાનો ફાયદો છે. નાનોભાઈ માફી માંગે તો મોટાભાઈ તરત પીગળીને ભેટી હોય, આ બધું નિર્મળ અને નિર્દોષ સ્નેહભાવને પ્રદૂષિત કરતું હોય છે. બહેન નાની હોય કે મોટી હોય ભાઈ જ એનું ધ્યાન રાખે છે. ભાઈને સંપૂર્ણ આદરભાવ આપવામાં બેને ક્યારેય સંકોચ રાખવો જોઈએ નહીં. ગમે તે કારણસર એવું બનતું આવ્યું છે કે બેન નાની નાની વાતમાં નારાજ થઈ જાય, એને ખોટું લાગી જાય, અકારણ ગુસ્સો કરી દે. ભાઈને દુ:ખ થાય, વેદના થાય તેવું કોઈ પણ વર્તન બેન તરફથી થયું હોય તેની ક્ષમાયાચના બેને કરી લેવી જોઈએ. આ જગતના તમામ સંબંધોમાં ભરતીઓટ આવે છે પરંતુ ભાઈ બહેનનો સંબંધ ભરતીઓટથી પર છે. આ સંબંધમાં સ્વાર્થનું કોઈ સ્થાન નથી. આપણે કેવળ વાર્થ કે અહં ખાતર ભાઈબેનના સંબંધને બગાડી ન શકીએ. બેને મીઠાશથી ભાઈને સાચી વાત કહેવાની છે તો બેને નમ્રતાપૂર્વક ભાઈ પાસે જ ક્ષમા માંગવાની છે. ભૂલ કોણ કરે છે તે અગત્યનું નથી. આપણાં મનમાં કષાય ન રહે તે જ મહત્ત્વનું છે. ક્ષમા માંગવાથી અંતર પ્રસન્ન થાય છે. હૈયાનો બોજો હળવો થાય છે. મન અળખામણાં થયા હોય તેમાં હળવાશ આવે છે. લાગણીથી જીવનારી બેના ભાઈ પાસે જઈને ક્ષમાયાચના કરે તે પણ એક પ્રેરણા બની રહે છે. બેનનું સમર્પણ ભાઈના કષાયને દૂર કરે છે. બેનનો નિખાલસ એકરાર ભાઈને દ્વેષભાવથી મુક્ત કરે છે. જાતે કષાયમુક્ત બનવું અને સહવર્તીને કષાયમુક્ત બનાવવા ઝૂકી પડવું તે ક્ષમાભાવના છે. ક્ષમા કરવામાં પહેલ કરનાર મહાનું છે. ભાઈએ બેનને ક્ષમા આપવાની છે તેમ ભાઈએ બેનની ક્ષમાયાચના કરવાની છે. ભાઈ બેન પર ગુસ્સો કરે, બેનને ઠપકો આપે તેવું બનતું આવ્યું છે. બેન ભાઈ પાસે સ્વાર્થ માટે આવતી હોય તેવું ક્યારેય બનતું નથી. બેનને ભાઈની ચિંતા હોય છે. બેનનાં મનમાં ભૈયાનાં હિતની ખેવના હોય છે. આવી બેનની લાગણીને ઠેસ પહોંચી હોય, તેને અપમાનિત કરી હોય, તેની પર ધ્યાન આપ્યું ન હોય તે બધી ભૂલોની જવાબદારી આપણી છે. આપણે ઘરના કર્તાહર્તા હોઈએ, ભાઈભાઈની જેમ ભાઈબેનનો સંબંધ હોય છે. આ પવિત્ર સંબંધ માટે ઘણું લખાયું છે અને લખાશે. ભાઈએ બહેનને સ્નેહભાવથી સાચવવાની છે. બેને ભાઈને લખલૂટ પ્રેમ આપવાનો છે. આપણા સ્વાર્થભાવને લીધે બેન તરીકે આપણે ભાઈને સાચો પ્રેમ ન આપી શક્યા હોઈએ તેવું બનવાની સંભાવના ઘણી બધી છે. બેનનો ભાઈ પર વિશેષ અધિકાર હોય છે. આપણે તે અધિકારનો ખોટી રીતે ઉપયોગ કરીને ભાઈને સતાવ્યા હોય તેની ક્ષમાયાચના કરવી જોઈએ. આપણી લાગણીને, આપણા અહંને સંતોષવા માટે ભાઈ પર દબાણ ઊભું કર્યું હોય, ભાઈને ન કહેવાના શબ્દો સંભળાવી દીધા હોય, ભાઈની પત્ની સાથે વાંધો પડ્યો હોય, ભાઈની વાત સમજવાનો પ્રયાસ ન કર્યો હોય, ભાઈને ના કહી દીધી હોય, ભાઈના આવકારને ઠંડો પ્રતિભાવ આપ્યો - ૧૩ - - ૧૪ -
SR No.009092
Book TitleKshamabhavna
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay, Prashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy