SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીયમ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર વિરચિત મઠ્ઠદસ્વીતા-વિવરન્ પ્રકાશિત કરતાં અમે અતીવ આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથ જોકે પૂર્વ પ્રકાશિત હતો તેમ છતાં પણ અનેક વિદ્વાનો તેના વિશિષ્ટ સંપાદનની અપેક્ષા રાખતા હતા. ગહન દાર્શનિક વિષય હોવાથી તેના વાંચનાર જ જ્યાં ઓછા હોય ત્યાં સંપાદન કરવા કોણ તૈયાર થાય ? પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિપ્રવર શ્રીવૈરાગ્યરતિવિજયજી મહારાજ સાહેબ-એ લગભગ એકાદ હજાર જેટલા જૈન-અજૈન સંદર્ભગ્રંથોનું અવલોકન-અવગાહન કરીને આ ગ્રંથનું સંપાદન કર્યું છે. સંપાદક મુનિપ્રવરશ્રીએ પ્રસ્તાવનામાં ગ્રંથનો વિસ્તૃત પરિચય આપ્યો છે અને અગિયાર પરિશિષ્ટો દ્વારા સંપાદનને સમૃદ્ધ બનાવ્યું છે. દાર્શનિક ગ્રંથોમાં શિરમોર ગણી શકાય તેવા ‘મણુસહસ્ત્રીતાત્પર્યવિવરણમ્'ના પ્રકાશનનો લાભ, પૂજ્યપાદ તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર, પૂજ્યપાદ સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાની પાટને શોભાવનારા, સ્વાધ્યાયપ્રેમી પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયહમભૂષણસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રી તપગચ્છ અમર જૈન શાળા, ટેકરી ખંભાત, ગુજરાતના શ્રી સંઘે જ્ઞાનખાતાની ઉપજમાંથી લીધો છે. તેમની મૃતભક્તિની ખૂબ અનુમોદના કરીએ છીએ. સાથો સાથ શ્રી શ્રીપાળનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ એ, આ મહાનું કાર્યમાં સાધારણ દ્રવ્યની અપેક્ષિત રકમ ફાળવીને ઉમદા લાભ લીધો છે. અમે તેમની શ્રુતભક્તિની પણ ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. પ્રાન્ત-જ્ઞાનદ્રવ્યમાંથી મુદ્રિત આ ગ્રંથનો ઉપયોગ ગૃહસ્થો યોગ્ય મૂલ્ય પ્રદાન કરીને જ કરે તેવી નમ્ર વિનંતિ કરીએ છીએ. - પ્રવચન પ્રકાશન, પૂના
SR No.009089
Book TitleAshtasahastritatparya Vivaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages450
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy