SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના-૭ ૧૮. જીવનની ઝળતી વારતા જીવવાનું શા માટે ? ક્યાં છે ઉત્તર કોઈ પણ એટલે ઉજવી નથી શકતો તું અવસર કોઈ પણ લય વગરની જીંદગી છે : સાવ ખાલી છે હૃદય હા, નથી આ દુનિયામાં સાચે જ અદ્ધર કોઈ પણ વાંચશે કંઈ રીતે બુદ્ધિ પ્રેમની બારાખડી છે અભણની આંખમાં સરખા જ અક્ષર કોઈ પણ એ ધબકશે, આંખમાં, શ્રદ્ધામાં, શ્વાસોશ્વાસમાં બસ, બધું ભૂલીને તું પૂજી જો પથ્થર કોઈ પણ માત્ર દોડાદોડ જીવનની ૨ઝળતી વારતા આમ, બસ ખેંચે છે લખચોર્યાસી ચક્કર કોઈ પણ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની આ ગઝલ આત્માનાં જીવન સંદર્ભે લખાઈ છે. સવારથી સાંજ સુધી દોડધામ કરનારો રાતે જમીનદોસ્ત થઈને ઊંધી જાય છે તેમ જન્મથી ઘડપણ સુધી દોડધામ કરતો આત્મા મૃત્યુની સાથે જમીનદોસ્ત થઈ જાય છે. નવી સવાર અને નવો જનમ, જમીનદોસ્ત થવાનું ભવિષ્ય લઈને જ આવે છે. લાખ ચોર્યાશીનો રઝળપાટ પૂરો થતો નથી. સામાન્ય માણસનો પ્રશ્ન હોય છે : જીવવાનું કોની માટે ? આરાધકનો પ્રશ્ન હોય છે : જીવવાનું શાની માટે ? જીવનનું લક્ષ્ય શું હોય ? દુનિયાદારી લોકો? પરિવારના લોકો ? તમે પોતે ? તમારું મન ? તમારો આત્મા ? આત્મા સિવાયનું બીજી બધું મૃત્યુની સાથે જ ખતમ થઈ જવાનું છે. આ આત્મા માટે નક્કર સર્જન નથી થયું માટે છતી જીંદગીએ મરણનો ભય કંપાવે 0 અનહદની આરતી છે. સુખ અને સામગ્રી વચ્ચે પણ જીંદગી દોર વિનાના પતંગની જેમ ઝોલા ખાય છે. ઍજયુકેશનની આંખે આત્મા જોઈ શકાતો નથી. આસ્થા વિના આતમજી દર્શન દેતા નથી. આપણે કેવળ બુદ્ધિનાં જોરે આત્માને સ્વીકારીએ છીએ અથવા નથી સ્વીકારતા, આત્માનું અસ્તિત્વ શ્રદ્ધાથી સ્વીકારવાનું અને બુદ્ધિથી પૂરવાર કરવાનું. એ વિના અભણ નીવડીશું આપણે. આતમરામની પરમચેતનાની શ્રદ્ધા બાંધી હોય અને એ પરમચેતનાનો આવિર્ભાવ પામવાની લગની લાગી હોય તો નાનુંમોટું કોઈ પણ પ્રશસ્ત આલંબન તીવ્ર પ્રભાવે બતાવી શકે છે. મંત્રીશ્વર વસ્તુપાળની સાતમી માંગણીમાં, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના શબ્દો પડઘાય છે : જિહાં લગે આતમતત્વનું, લક્ષણ નવિ જાણ્યું, તિહાં લગે ગુણઠાણું ભલું કેમ આવે તાણ્યું. મારે ઉત્તમ ગુણસ્થાનકની સ્પર્શના પામવી છે. મારે નીતિનિયમોનું પાલન તો અવશ્ય કરવું છે, મારે પહોંચવું છે આત્માની અનુભૂતિ સુધી. ગણધરવાદમાં આત્માને વિજ્ઞાનઘન કહેવામાં આવ્યો છે. આતમાં જ્ઞાનમય છે, પ્રતિભાવ જાગ્યા કરે છે ત્યાર સુધી આત્માનું સંપૂર્ણ જ્ઞાન થઈ શકતું નથી. હું કોણ છું અને હું શું બની શકું છું – આ વાતોનો સતત વિચાર કરવાનો છે. આત્માનું અસ્તિત્વ શરીરથી અલગ છે. આત્માનું અસ્તિત્વ વાણીથી અલગ છે. આત્માનું અસ્તિત્વ વિચારોથી અલગ છે. શરીર, વાણી અને વિચારોનું અસ્તિત્વ આત્મા પર આધારિત છે. આત્માની હાજરી જાણવા મળે છે, શરીર દ્વારા અને વાણી દ્વારા અને વિચાર દ્વારા. પરંતુ આત્મા શરીર વિના, વાણી વિના અને વિચાર વિના હોઈ શકનારું અલૌકિક તત્ત્વ છે. આપણી નજર શરીર અને વાણી પર જ રહેતી હોય છે, બહુ બહુ તો આપણા વિચારોને આપણે પારખી શકીએ. આ ત્રણ સિવાયની બીજી કોઈ સત્તાની આપણને ઝાંખી થતી નથી. આપણો સ્વભાવ છે તે મુજબ જે દેખાતું નથી તેની પર ઝાઝો વિચાર કરતા નથી. આત્મા છે તેવી શ્રદ્ધા આપણે કેળવી છે. આત્માને જોવો છે તેવી ઉત્કંઠા આપણે કેળવી નથી. બુદ્ધિનાં સ્તરે આત્મા સ્વીકાર્યો છે. શ્રદ્ધાના સ્તરે કદાચ, આત્માનો પૂરેપૂરો સ્વીકાર થઈ શક્યો નથી. મંત્રીશ્વરની
SR No.009087
Book TitleAnahadani Arti
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy