________________
[આ પણ ચાણક્યનો ઉપદેશ છેઃ જીવનમાં દરેક પગલું જોઈ જોઈને મૂકવું. પાણી પીવું હોય તો ગાળીને પીવું. જે કંઈ બોલીએ તે સાચું છે કે નહિ તેનો વિચાર કરીને બોલવું અને જીવનમાં જે કંઈ કામ કરીએ તે આપણા મનને પૂછીને કરવા કે હું જે કંઈ કરું છું તે બરાબર છે કે નહિ.]
ધ
धनधान्यप्रयोगेषु विद्यासङ्ग्रहणेषु च।
आहारे व्यवहारे च त्यक्तलज्जस्सुखी भवेत्॥
[ધનધાન્ય ભેગા કરવામાં, વિદ્યાપ્રાપ્તિમાં, જમવામાં અને વ્યાવહારિક બાબતોમાં જે માણસ ખોટી શરમ છોડી દે તે સુખી થાય.]
धर्मो रक्षति रक्षितः ।
[જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે.]
धिक् तस्य जन्म यो लोके पित्रा विज्ञायते नरः ।
[જે માણસ પોતાના કાર્યના લીધે નહિ, વડિલોના નામને લીધે જાણીતો બને છે તેનો જન્મ વૃથા છે.]
ન
न अभिषेको न संस्कारः सिंहस्य क्रियते वने।
विक्रमार्जितसत्त्वस्य स्वयमेव मृगेंद्रता ॥
[વનમાં સિંહનો કોઈ વિધિપૂર્વક રાજ્યાભિષેક કરતું નથી સિંહ સ્વપરાક્રમ વડે જ પોતાને મૃગેન્દ્ર તરીકે પૂરવાર કરે છે.]
न कश्चित् कस्यचित् मित्रं न कश्चित् कस्यचित् रिपुः ।
कारणेनैव जायन्ते मित्राणि रिपवोऽपि वा ॥
38