________________
૧૯૭
૩૬/૧૫૩૦
(3) પુન્ય કર્મના વિપાકમાં ઇંદ્રિયાનું ઇષ્ટ સુખ છે. (૪) કર્મરૂપી કલેશનો વિમોક્ષ થતાં મોક્ષમાં અનુત્તમ સુખ છે. અહીં ‘સુખ' શબ્દ આ મોકાસુક્ષના અર્થમાં પ્રયોજાયેલો જાણવો.
- ૪ - ૪• x - x - ઉકત ગ્રંથમાં અવગત - કહેલ છે, છતાં વિપ્રતિપત્તિના નિરાકરણ માટે ફરી તેમના ક્ષેત્રના સ્વરૂપને કહે છે -
• સૂત્ર - ૧૫૩૧ - -
જ્ઞાન - દર્શનથી યુક્ત, સંસારની પાર પહોંચેલ, પરમગતિ સિદ્ધિને પ્રાપ્ત તે બધાં સિદ્ધ લોકના એક દેશમાં સ્થિત છે.
• વિવેચન - ૧૫૩૧ -
લોકના એક દેશમાં અથવા લોકાચમાં, સિદ્ધો સંપૂર્ણ જ્ઞાન અને દર્શન સંક્ષિત, સંસારનો પાર પામેલા અને ફરી પાછા ન આવવારૂપ લક્ષણથી અધિકતાથી અતિક્રાંત થયેલા, શ્રેષ્ઠ એવી સિદ્ધિગતિમાં ગયેલા. - x x x x- આ પ્રમાણે પૂર્વે સૂત્રમાં જે કહેલું કે - “જીવો બે ભેદે છે - સંસારી અને સિદ્ધ.” તેમાંથી સિદ્ધ જીવોને કહ્યા.
હવે સંસારીને કહે છે - • સૂત્ર - ૧૫૩૨ -
સંસારી જીવોના બે ભેદ કહેલા છે - બસ અને સ્થાવર તેમાં સ્થાવર જીવો ત્રણ ભેદે કહેલા છે.
• વિવેચન - ૧૫૩૨ -
સંસારમાં રહેલ' તે પૂર્વવતું. તેના બે ભેદો કહ્યા. તે બંનેમાં સ્થાવરોના ત્રણ પ્રકારો કહેલાં છે. અહીં અાવતવ્યતા હોવાથી પાછી નિર્દેશ કરવા છતાં પહેલાં સ્થાવરને કહેલ છે.
આ ત્રણ ભેદે સ્થાવરોને હવે કહે છે - • સૂત્ર - ૧૫૩૩ -
પૃથ્વી, જળ, વનસ્પતિ આ ત્રણ પ્રકારે સ્થાવર જીવો કહેલા છે, હવે તેના ભેદો તમે મારી પાસેથી સાંભળો.
• વિવેચન - ૧૫૩૩ -
અહીં જીવ શબ્દ પ્રત્યેક સાથે જોડવો - પૃવીજીવ, અપજીવ અને વનસ્પતિજીવ. જેમકે પૃવી જ જીવ તે પૃથ્વીજીવ૦ ઇત્યાદિ.
(શંકા) પૃથ્વી આદિ જીવ શરીરે, આવા પ્રકારે નથી, આ જીવો કાઠિન્ય આદિ લક્ષણ છે, તો કઈ રીતે ઉપયોગલક્ષણા પૃથ્વી આદિ જીવ કહ્યા ?
(સમાધાન) જીવ અને શરીરના અન્યોન્ય અનુગતત્વથી વિભાગના અભાવથી કહેલ છે. તે અનાર્ય નથી. ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ સ્થાવરો ત્રણ ભેદે કહેલા છે. ઉત્તગ્રંથના સંબંધને માટે કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org