________________
૧/૧૨
ગુણ છે. તેઓ ચિત્તને કોપ કે પ્રસાદ કરે છે તે કહે છે -
સૂત્ર ૧૩
આજ્ઞામાં ન રહેનારા, વિચાર્યા વિના બોલનારા, કુશીલ, મૃદુ સ્વભાવવાળા શિષ્યો ગુરુને પણ ક્રોધિત કરે છે. ગુરુને મનોનુકૂલ ચાલનારા, પટુતાથી કાર્ય કરનાર, જલ્દી કુપિત થનારા દુરાશ્રય ગુરુને પણ પ્રસા કરી લે છે.
- વિવેચન - ૧૩
અગાવ - ગુરુ વચનને સાંભળે તે આશ્રવ, તેવી પ્રતિભાષા વિષયવાળા નથી તે અનાશ્રવા. સ્થૂલ - અનિપુણ, જેના જેમતેમ ભાષિત વયનો છે તે સ્થૂળ વચનવાળા, કુશીલ - દુષ્ટ શીલવાળા, મૃદુ - અોપન કે કોમળ આલાપનવાળા ગુરુને ચંડ – કઠોભાષી કરી દે છે. આવા પ્રકારના શિષ્યના અનુશાનને માટે ફરી વચનરૂપ અનુશાસનને માટે ખેદ અનુભવતા મૃદુ પણ ગુરુ કોષ પામે છે. આ ગલિતતુલ્યના દોષ કહ્યા. હવે આકીર્ણ તુલ્યના ગુણો કહે છે -
કસ આદિના માર વિના જે પ્રકારના ચિત્તને અનુસરે છે, તેવા અશ્વ તુલ્ય, જલ્દીથી - અવિલંબિત કારિતાથી જે યુક્ત છે, તે પ્રાસાદ (પ્રસન્ન) કરે છે. કોને ? કોપનપણા આદિ વડે દુ:ખે આશ્રય કરાય છે તેવા દુરાશ્રય ગુરુને ફરી અનુત્કટ કષાયવાળા કરે છે. અહીં ચંડરુદ્રાચાર્યના શિષ્યનું દૃષ્ટાંત છે -
""
—
અવંતી જનપદમાં ઉજ્જૈની નગરીમાં સ્વ× ઉધાનમાં સાધુઓ પધાર્યા, ત્યાં ઉદાત પેશવાળો એક યુવાન મિત્રો સાથે આવ્યો. તે તેમને વાંદીને બોલ્યો - ભગવન્ ! મને સંસારથી પાર ઉતારો, મને દીક્ષા આપો. તેને એવું કપટ કરતો જોઈ, ચંડરુદ્રાચાર્યને બતાવીને કહ્યું - જા, આ તારો નિસ્તાર કરશે. તે પણ સ્વભાવે કઠોર હતા. તેને વાંદીને કહ્યું - ભગવન ! મને દીક્ષા આપો. આચાર્યએ રાખ લઈને, તેનો લોય કરીને પ્રવ્રુજિત કરી દીધો. મિત્રો તેમને ખેદ પહોંચાડી ચાલ્યા ગયા. સાધુઓ પણ પોતાના ઉપાશ્રયે ગયા. કંઈક સૂર્ય હતો ત્યારે માર્ગનું પ્રતિલેખન કરે છે, વહેલી સવારે નીકળીશું કહી બધાંને વિસર્જિત કર્યા. વિહાર કરતાં વિષમ માર્ગમાં ચંડરુદ્ર આચાર્યને ઠુંઠા વાગવાથી પડી ગયા. રોષથી તેણે નવા શિષ્યના માથામાં દંડ વડે પ્રહાર કર્યો. માથું ફૂટ્યું, તે પણ તે સાધુએ સમ્યક્ પ્રકારે સહન કર્યું. વિમળ પ્રભાતમાં ચંડદ્રએ તેના મસ્તકમાંથી વહેતા લોહીને જોયું, ખોટું થયાનો ભાવ ઉપજતા ક્ષમા માંગી. એ પ્રમાણે તે શિષ્યએ ગુરુને પ્રસન્ન કર્યા. એ પ્રમાણે શિષ્યએ મન, વચન, કાયાથી ગુરુના ચિંતનું અનુવર્તન કરવું એ રીતે પ્રતિરૂપ યોગ યોજનરૂપ ઔપચારિક વિનય કહ્યો.
ગુરુના ચિત્તનું અનુગમન કઈ રીતે કરવું ?
- સૂત્ર - ૧૪
પૂછ્યા વિના કાંઈ ન બોલે, પૂછે ત્યારે અસત્ય ન કહે, કદાચ ક્રોધ આવી જાય તો, તેને નિષ્ફળ કરે. આચાર્યની પ્રિય અને અપ્રય, બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org