SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ ૩ એ પ્રમાણે પૂછીને જે કર્તવ્ય છે, તે કહે છે - વૈયાવૃત્યમાં નિયુક્ત તેવૈયાવચ્ચ, શરીરના શ્રમને વિચાર્યા વિના અગ્લાનીથી કરે. સ્વાધ્યાયમાં નિયુક્ત હોય તો સર્વ દુ:ખ વિમોક્ષક કેમકે સર્વ તપકર્મમાં પ્રધાન હોવાથી સ્વાધ્યાયને અગ્લાનપણે કરે. આ સર્વ ઓધ સામાચારીના મૂળત્વથી પ્રતિલેખનાનો તે કાળ સદા વિધેયત્વથી ગુરુ પારતંગને જણાવીને હવે સર્ગિક દિનકૃત્ય કહે છે - • સૂત્ર - ૧૦૧૭, ૧૦૧૮ -- વિચક્ષણ ભિક્ષુ દિવસના ચાર ભાગ કરે. તે ચારે ભાગોમાં સ્વાધ્યાય આદિ ગણોને આરાધે... પહેલાં હહમાં સ્વાધ્યાય કરે. બીજમાં ધ્યાન કરે. ત્રીજામાં ભિક્ષાચર્યા કરે. ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. • વિવેચન - ૧૦૧૭, ૧૦૧૮ - ચાર ભાગ કરીને પછી મૂલગુણની અપેક્ષાથી ઉત્તર ગુણ રૂપ - સ્વાધ્યાય આદિ તત્કાળ ઉચિત કરે. દિવસના કયા ભાગમાં કયા ઉત્તર ગુણોને આરાદે, તે કહે છે. પહેલી પોરિસિમાં સ્વાધ્યાય - વાચનાદિ કરે. તે સૂત્રપોરિસિમાં કરે કે અહોરાત્રમાં કરે? બીજી પોરિસમાં ધ્યાન કરે. અહીં અર્થ પોરિસિથી ધ્યાન એટલે અર્થ વિષયક માનસ આદિ વ્યાપાર કરે. આવા ધ્યાન કરે. અહીં પ્રતિલેખના કાળને આ૫ત્વથી વિવક્ષિત કર્યો નથી. બીજામાં ભિક્ષાચર્યા, ચોથામાં સ્વાધ્યાય કરે. અહીં બીજામાં ભિક્ષાચર્યામાં ભોજન, બહાર જવું આદિ સમાવિષ્ટ છે. બીજા તેમાં પડિલેહણ, સ્પંડિલ પ્રત્યુપેક્ષણાદિ ગ્રહણ કરે છે. કાળની અપેક્ષાથી ખેતી આદિ માફક બધાં અનુષ્ઠાનોનું સફળત્વ બતાવવા ઉકતવિધાન છે. જે કહ્યું કે પહેલી પોરિસમાં સ્વાધ્યાય કરે, તેના પરિજ્ઞાનાર્થે કહે છે • સૂત્ર - ૧૦૧૯ થી ૧૨૧ - અષાઢ મહિનામાં દ્વિપદા પોરિસી હોય છે, પોષ મહિનામાં ચતુષ્પદા, ચૈત્ર અને અશ્વિન મહિનામાં ત્રિપદા પોરિસી હોય છે. સાત રાતમાં એક અંગુલ, પક્ષમાં બે અંગુલ, એક માસમાં ચાર અંગુલની વૃદ્ધિ અને હાનિ થાય છે... અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગળ, વૈશાખના કૃષ્ણ પક્ષમાં એક અહોરાત્રિનો ક્ષય થાય છે. • વિવેચન - ૧૦૧૯ થી ૧૦૨૧ - સાત અહોરાત્રથી દક્ષિણાયનમાં વધે છે. ઉત્તરાયણમાં ઘટે છે. અહીં સાદ્ધ સમરાત્રિ લેવું. કેમકે પક્ષથી બે અંગુલ વૃદ્ધિ કહી છે. કેટલાંક માસમાં ચૌદ દિવસનો પક્ષ પણ સંભવે છે. તેમાં સાત અહોરાત્રથી પણ અંગુલ વૃદ્ધિ - હાનિમાં કોઈ દોષ નથી. - x- - આષાઢાદિ પ્રત્યેકના કૃષ્ણ પક્ષમાં અવમ - ન્યૂન, એક એક અહોરાત્ર કહ્યા. એ પ્રમાણે એક દિવસ ઘટતાં ચૌદ દિવસનો એક કૃષ્ણ પક્ષ થાય. આ પોરિસિ પ્રમાણ વ્યવહારથી છે, નિશ્ચયથી આ ગણનામાં ફેરફાર છે, તે સૂર્યપ્રજ્ઞપ્તિના વ્યાખ્યાનથી જાણવો. - ૮ - ૪• x- અહીં પહેલી પોરિસિમાં ઉપલક્ષણથી પ્રતિલેખના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy