SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે જે અલગ વાક્યરચના છે તે કેટલાંકના મતથી કાળના અસત્વને જણાવવા માટે છે. ૪-૪-૪- મિશ્રના વિષયત્વથી મિત્ર સંબંધન સંયોગ જાણવો. તે આત્મ અને બાહ્ય લક્ષણથી તદુભયમાં ઉક્તરૂપ જ થાય છે. જેમકે ક્રોધી, દેવદત્ત, ઢધી કૌતિક, માની સૌરાષ્ટ્ર. અહીં ક્રોધાદિ વડે ઔદયિક ભાવ અંતર્ગતત્વથી આત્મરૂપથી નામાદિ વડે આત્માના અન્યત્વથી બાહ્યરૂપથી સંયોગ. તે ઉભય સંબંધ સંયોગ છે. ૪-૪-૪હવે બીજા પ્રકારે બાહ્ય સંબંધન સંયોગ કહે છે - • નિક્સ - પ + વિવેચન - આચાર્ય, શિષ્ય, પુત્ર, પિતા, માતા, પુત્રી, પત્ની, પતિ, શીત-ઉષ્ણ, તમસ, ઉધોત અને છાયા (એ બાહ્ય સંબંધ સંયોગ છે.) આચાર્ય- અભિવ્યામિ કે મદિાથી સ્વર્ય પંચવિધ આચારને પાળે છે કે બીજા પાસે પળાવે છે કે મુક્તિના અર્થી દ્વારા સેવાય છે તે આચાર્ય. શિષ્ય - શાસિત કરવો શક્ય હોય તે. પુત્ર - પિતાના આચારને અનુવર્તપણે પોતાને પુનિત કરે છે. તિit - સંતાનોનું રક્ષણ કરે છે. જાની - સંતાનને જન્મ આપે છે. આ બધાં બાહ્ય સંબંધન સંયોગ વિષયત્વથી બાહ્ય છે તેમ પૂર્વાચાર્યો કહે છે. આ વાક્ય બધે જ જોડવું. દુહિતા - પુત્રી, માતાને કેવળ દુધને માટે દોહે છે તે. ભા - ભતાં જેનું પોષણ કરે છે તે, પત્ની, પતિ-પત્નીનું રક્ષણ કરે છે. જ્ઞા- ઠંડી, ઉy - પ્રાણીને જે બાળે છે તે. છાયા - આતપને છીનવે છે તે. આતપ - ચોતરફથી જગતને સંતાપે છે તે. ચ શબ્દ શમ, નોકર આદિ બાકીના સંબંધીના સમુચ્ચયને માટે છે. તૈક્ત વિધિથી આ લક્ષણો કહ્યા. હવે રહસ્ય કહે છે - આચાર્ય, શિષ્યથી અન્યત્વને લીધે બાહ્ય છે, તેથી જે તેના વડે શિષ્યનો સંયોગ - શિષ્ય એમ કહેતા અવશ્ય આચાર્યને આક્ષેપ કરે છે. એ રીતે આક્ષેપ્ય આક્ષેપક ભાવ લક્ષણ છે તે બાહ્યથી છે, એમ કરીને બાહ્ય સંબંધન સંયોગ છે તેથી તે વિષયમાં આચાર્ય પણ ઉપચારથી તે પ્રમાણે કહેવાય છે, શિષ્ય પણ આચાર્યથી અજીત્વને લીધે બાહ્ય છે. x-x- એ પ્રમાણે પુત્ર-પિતા આદિમાં પણ કહેવું. બધે સામાન્યથી પરસ્પર આક્ષેપ્ય - આક્ષેપક ભાવ છે. વિશેષ નિરૂપણામાં ઉપકાર્ય - ઉપકારક ભાવ, જન્મય - જનકભાવ, વિરોધ સંબંધ તે-તે સંબંધોમાં જાણવો. હવે આચાર્ય-શિષ્ય મૂલત્વથી તેમનો અનુયોગ કહે છે - • નિતિ - ૫૮ + વિવેચન - આચાર્યને આયાર્ય જ અન્ય સદેશ થાય છે, અનાચાર્ય થતો નથી. કેમકે બીજે આચાર્યના ગુણો અવિધમાન છે. આચાર્ય સિવાય બીજે છત્રીશ ગુણ યુક્તતા નથી. તેનાથી યુક્ત હોય તો તે બીજા પણ તત્વથી આચાર્ય જ છે. આ ૩૬ ગુણો કયાં છે ? પ્રત્યેક ચાર પ્રકારે - આઠગણિ સંપદા છે, તેથી બત્રીશ ગુણ, તેમાં આચારાદિ ચાર વિનયને ઉમેરતા - છત્રીશ ગણો થાય છે. તે આઠગણિ સંપદા આ પ્રમાણે છે : (૧) આચાર સંપત, (૨) શ્રુત સંપત, (૩) શરીર સંપત, (૪) વચન સંપત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy