________________
૧૮૫
અધ્ય. ૧૯ ભૂમિકા
અધ્યયન - ૧૯ - મૃગાપુત્રીય” છે.
૦ અઢારમું અધ્યયન કહ્યું, હવે ઓગણીસમું કહે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં ભોગ નાદ્ધિનો ત્યાગ કહ્યો. તેનાથી શ્રામાણ્ય જન્મે છે, તે અતિકમતાથી પ્રશસ્યતર થાય છે. તેથી અપ્રતિકર્મતા કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના - ૪- નામ નિષ્પન્ન નિક્ષેપમાં મૃગાપુત્રીચ નામથી મૃગાના પુત્રનો નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૪૦૬ થી ૪૦૮ + વિવેચન -
મૃગાનો નિક્ષેપનામાદિ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યનિક્ષેપ બે ભેદે છે. નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ત્રણ ભેદે છે. મૃગાના આયુ અને નામ ગોત્રને વેદતા તે ભાવમૃગા થાય. એ પ્રમાણે પુત્રનો પણ નિક્ષેપો જાણવો. બધું જ પૂર્વવત કહેવું. વિશેષ એ કે આલાવો મૃગાનો જાણવો. નામ નિરુક્તિ કહે છે -
• નિક્તિ - ૪૯ - વિવેચન
મૃગા નામે અગ્રમહિષી હતી. તેનો પુત્ર તે મૃગાદેવી પુત્ર “બાલશ્રી' નામે ઉત્પન્ન થયો. તેથી મૃગાપુત્રીય નામક, “મૃગા' શબ્દથી મૃગાદેવી ઉક્ત આ અધ્યયન છે. તેમ જાણવું. નામ નિષ્પન્ન નિક્ષેપ કહો. - x- હવે સૂત્ર કહે છે - ,
• સૂત્ર - ૬૧૪ થી ૬૧૭ -
(૬૧૪) કાનન જાને ઉધાનોથી સુશોભિત “સુગ્રીવ' નામના રમ્ય નગરમાં ભલભદ્ર રાજા હતો. મૃગા પટ્ટરાણી હતી. (૬૧૫) તેમને ભલશ્રી નામે પુત્ર હતો. તે મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ હતો. તે માતા-પિતાને પ્રિય હતો. સુવરાજ અને મીશ્વર હતો. (૬૧) પ્રસન્ન ચિત્તથી તે સદા નાંદન પ્રાસાદમાં દીમુંગ દેવોની માફક (પોતાની) સ્ત્રી સાથે ક્રીડા કરતો હતો.
(૬૧) કોઇ દિવસે મૃગાપુત્ર મણિ અને રત્નોથી જડિત કુષ્ટિક તલવાળા પ્રાસાદના ગવાક્ષમાં ઉભો હતો. નગરના ચતુષ્કાદિ જઈ રહ્યો હતો.
• વિવેચન : ૧૪ થી ૬૧૭ -
સુગ્રીવ નામના નગર, જે રમણીય કાનન - મોટા વૃક્ષો આશ્રિત વનો વડે, ઉધાનો વડે શોભતું હતું. ત્યાં બલભદ્ર નામનો રાજા હતો. મૃગા નામે તેની અગ્રમહિણી - પ્રધાનપત્ની હતી. તેઓને એક પુત્ર હતો, તેનું બલશ્રી' નામ હતું. તે માતાપિતાએ રાખેલ હતું. લોકમાં તેનું નામ “મૃગાપુત્ર” વિખ્યાત હતું તે તેના માતા-પિતાને વલ્લભ હતો. યુવરાજ રૂપે તેનો અભિષેક કરેલો હતો. દમિન - શત્રુઓનું દમન કરનારો હતો. પ્રભુર્દમીશ્વર હતો અથવા સહજ ઉપશમ ભાવથી ઇશ્વર તે દીશ્વર, આ ભાવિકાળની અપેક્ષાએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org