SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ જે બે મુનિએ જુગુપ્સા કરેલી તે બંને દશાર્ણ જનપદમાં બ્રાહ્મણ કુળમાં દાસપણે ઉત્પન્ન થયા. તેમાંનો એક અહીં બ્રહ્મદત્ત થશે, તેનો અહીં અધિકાર છે. અહીં નિયાણાને કહેવાનું છે, તેથી જ તેનું વિધાન છે. - x- અહીં નામ નિષ્પન્ન નિક્ષેપામાં પ્રસ્તુતમાં પ્રસંગથી અધિકાર કહ્યો. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. - ૮ - ૪ - હવે સૂત્ર કહેવું જોઈએ. • સૂત્ર - ૪૦૭ - જતિથી પરાજિત સંભૂત મુનિએ હરિતનાપુરમાં ચક્રવતી થવા માટે નિયાણું કર્યું. ત્યાંથી મરીને પદ્મગુભ વિમાનમાં દેવ થયો. પછી બહાદત્ત રૂપે ચુલસી રાણીની દૃક્ષિામાં ઉત્પન્ન થયો. • વિવેચન - ૪૦૩ - આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે - તે બ્રહ્મદત પૂર્વજન્મમાં વારાણસીમાં સંભૂત નામે ચાંડાલ હતો, ચિબ તેનાથી જયેષ્ઠ હતો. ત્યાં નમચિ નામે બ્રાહ્મણ હતો. તેણે મારા અંતઃપુરને બગાડેલ છે, તેમ જાણીને રાજાએ તેને મારી નાંખવા ચાંડાલાધિપતિ જે ચિત્ર-સંભૂતનો પિતા હતો, તેને સોંપ્યો. ચાંડાલાધિપતિએ નમુચિને કહ્યું - જો મારા પુત્રોને બધી કળામાં કુશળ બનાવ તો તને જીવતો રાખું. નમુચિએ તેના ઘેર ગુસપણે ભણાવ્યા. તે બંને પણ વીણા' વાદનાદિ બધી કળા શીખ્યા. નમચિ મરવાના ભયથી ભાગીને હસ્તિનાપુર ગયો, સનસ્કુમાર ચકવર્તીએ તેને મંત્રી બનાવ્યો. ચિત્ર અને સંભૂતની ગાયન કળામાં તરુણી આસક્ત બનવા લાગી. લોકોએ સજાને તે ફરિયાદ કરી, રાજાએ તેમને નગરમાં વીણા વાદનાદિનો નિષેધ કયોં કોઈ વખતે તે બંને કૌમુદી મહોત્સવ જોવાને આવ્યા. લોકોએ કર્થના કરતા, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી બંનેએ દિક્ષા લીધી. વિકૃષ્ટ તપ કરવા લાગ્યા. તેજલેશ્યાદિ લબ્ધિ પામ્યા. હસ્તિનાપુર ગયા. માસક્ષમણને પારણે સંભૂત મુનિ ભિક્ષાર્થે પ્રવેશ્યા. નમચિએ તેમને જોયા. તેમનો તિરસ્કાર કરી નમુચિ મુનિને કાઢી મૂક્યા. પછી લોકોએ પણવિડંબના કરી. ત્યારે કુપિત થયેલા મુનિ સમસ્ત લોકોને બાળી નાંખવા તેજલેશ્યા મૂકવા પ્રવત થયા. તે જાણીને અંતઃપુર સહિત સનસ્કુમાર ચક્રવતી અને સર્વ નગરના લોકો તેની પાસે આવ્યા. આ આખો વૃત્તાંત ચિત્ર મુનિએ જામ્યો. સંભૂત મુનિને અનેક વચનો વડે ઉપશામિત કરવાનો આરંભ કર્યો, તો પણ તેમનો કોપ શાંત થતો ન જાણીને સ્ત્રીરત્ન સહિત ચક્રવર્તી તેમની ક્ષમા યાચના કરવા લાગ્યા. તે વખતે સ્ત્રીરત્નના કોમળ સ્પર્શથી સંભૂત મુનિને અભિલાષ થયો કે મેં ચાંડાલપણે અનેક કાર્યના ભોગવી છે. ચિત્ર મુનિએ તેમનું નિયાણું જાણીને ઘણાં અટકાવ્યા. તો પણ સંભૂત મુનિએ ચક્રવર્તીપણાનું નિયણું કર્યું. પછી અનશન કર્યું. પછી વૈમાનિક થઈ બ્રહ્મદત્ત રૂપે ચુલનીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ક્યાં ? તે કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy