SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂa બ-સટીક અનુવાદ ત્યારે ગૌતમ સ્વામી હર્ષિને અને સંતુષ્ટ થઈ, ભગવંતને વાંદીને નીકળ્યા. ત્યાં અષ્ટપદે પણ જનવાદ સાંભળીને ત્રણ તાપસી પ૦૦ - ૫૦૦ ના પરિવાર સહિત પ્રત્યેક અષ્ટાપદ ચડીએ એ પ્રમાણે ત્યાં કલેશ કરી રહ્યા હતા. કૌડિન્ય તાપસો હતા તે એકાંતર ઉપવાસ કરતા અને પારણે સચિત મૂલ અને કંદનો આહાર કરતા હતા. તે અષ્ટાપદની પહેલી મેખલાએ અટકી ગયેલા. બીજા દત તાપસો છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા અને પડી ગયેલા પાંડુ પત્રોના આહાર કરતા હતા, તે બીજી મેખલાએ અટકી પડેલા. શેવાલ તાપસો અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરતા હતા. તેઓ સ્વય મલીન થયેલી શેવાલનો આહાર કરતા હતા. તેઓ ત્રીજી મેખલાએ અટકી ગયેલા. એ પ્રમાણે તેઓ પણ કલેશ પામતા હતા. ગૌતમ સ્વામી ઉદાર શરીરી હતા, અગ્નિ કે વિજળી જેવા ચમકતા સૂર્યના કિરણો સદેશ તેજવાળા હતા. તાપસો તેમને આવતા જોઇને એ પ્રમાણે બોલે છે કે. આ આવા સ્થૂળકાય શ્રમણ કઈ રીતે અષ્ટાપદ ચડશે? આપણે જે મહાતપસ્વી, શુક, બુભૂક્ષિત પણ ચડી શકતા નથી. ગૌતમ સ્વામી જંઘાયારણ લબ્ધિથી લૂતાતંતુપુટકની પણ નિશ્રાએ ચડવા લાગ્યા. હજી તો તેઓ જુએ છે કે આ આવ્યા, તેટલામાં તો ગૌતમ સ્વામી દેખાતા બંધ થઈ ગયા. ત્યારે તે તાપસી નિમીત થયા. તેમની પ્રશંસા કરવા લાગ્યા અને રાહ જોતાં ઉભા રહી ગયા. જ્યારે પાછા આવે ત્યારે આપણે તેમના શિષ્યો બની જઈશું એવી પ્રતીક્ષા કરતા રહે છે. ગૌતમ સ્વામી પણ ચૈત્યોને વાંદીને ઇશાન દિશા ભાગમાં પૃથ્વી શિલા પટ્ટકે બેઠા, અશોક વૃક્ષની નીચે શનિવાસાર્થે આવ્યા. આ તરફ શક્રનો લોકપાલ વૈશ્રમણ, તે પણ અષ્ટાપદે ચૈત્યવંદનાર્થે આવ્યો. તે ચૈત્યોને વાંદીને ગૌતમ સ્વામીને વદે છે. ત્યારે ગૌતમ સ્વામી ધર્મ કહે છે. ભગવદ્ અણગારના ગુણોને કહેવાને પ્રવૃત્ત થયા. આણગારા અંતાહારી, પ્રાંતાહારી હોય એ પ્રમાણે વર્ણન કરે છે. વૈશ્રમણ વિચારે છે કે, આ ભગવન ગૌતમ સ્વામીના આવા ગુણોને વર્ણવે છે, જ્યારે તેમના પોતાના શરીરની સુકુમારતા જેવી છે, તેવી તો દેવોને પણ ન હોય. ગૌતમ સ્વામીએ તેના મનોભાવ જાણીને પુંડરીક નામે અધ્યયનની પ્રજ્ઞાપના કરી. પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં નલિનીગુભ ઉધાન છે. ત્યાં મહાપદ્મ નામે રાજા હતો. પદ્માવતી રાણી હતી. તેમને બે પુત્રો હતા- પુંડરીક અને કંડરીક. તે બંને સુકમાલ યાવત પ્રતિરૂપ હતા. પુંડરીક યુવરાજ થયો. તે કાળે તે સમયે સ્થવિર ભગવંતો યાવતુ નાલિનીગુભ ઉધાનમાં પધાર્યા. સજા મહાપદ્યનીકળ્યો. ધર્મ સાંભળીને બોલ્યો - હે દેવાનુપિયો પુંડરીક કુમારને રાજાપણે સ્થાપીને દિક્ષા ગ્રહણ કર્યું. સ્થાવિરોએ કહ્યું - સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરશો. એ પ્રમાણે યાવત્ પુંડરીક રાજા થયો. ચાવતુ વિચરે છે. પછી કંડરીકકુમાર યુવરાજ થયા. ત્યારે તે મહાપદ્મ રાજા પુંડરીક રાજાને પૂછે છે, ત્યાર પછી પુંડરીક રાજા શિબિકા મંગાવે છે. ચાવત મહાપદ્મ સજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy