SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદર બોલ્યો - મારા શ્મશાનમાં થયો છે, માટે હું આપીશ નહીં. બ્રાહ્મણ બોલ્યો - તે બીજો દંડ લઈ લે. પણ બાળકે તેની વાત ન માની. તે વિવાદ કારણિક(ન્યાય કરનાર) સુધી પહોંચ્યો ત્યારે તે બાળકને પૂછ્યું- તું આને દંડ કેમ આપતો નથી? તે બોલ્યો - હું આ દંડના પ્રભાવથી રાજા થઈશ. ત્યારે કારણકે હસીને કહ્યું - જ્યારે તું સજા થા ત્યારે તું આને એક ગામ આપજે. બાળકે તે કબુલ રાખ્યું. તે બ્રાહ્મણે બીજા બ્રાહ્મણોને પોતાના પક્ષમાં કર્યા - આને મારી નાંખીને દંડ પાછો હરી લઈએ. ત્યારે તેના પિતાએ તે સાંભળ્યું. તે બધાં ભાગ્યા, ચાવતું કાંચનપુર પહોંચ્યા. ત્યાં રાજા અપુત્ર મૃત્યુ પામેલો. અશ્વને અધિવાસિત કર્યો. તે બહાર સુતેલા બાળક પાસે આવ્યો. તેને પ્રદક્ષિણા કરીને રહ્યો. તેટલામાં નગરજનોએ તે લક્ષાણયુક્ત બાળકને જોયો. જય-જય શબ્દ કર્યો. નંદી વાસ્ત્રિ વગાડ્યું. તે કરકં પણ બગાસુ ખાતો ઉભો થયો. વિશ્વસ્ત થઈ ઘોડા ઉપર બેઠો. તેને ચાંડાળ જાણીને બ્રાહ્મણો તેને પ્રવેશવા દેતા નથી. ત્યારે તેણે દંડન ગ્રહણ કર્યો, તે દંડ સળગવા લાગ્યો. બધાં ડરીને ઉભા રહી ગયા. ત્યારે તેણે હરિકેશા બ્રાહ્મણા કર્યા. તે બાળકનું ઘરનું નામ અવકીર્ણ હતું પછી તેનું બાળકોએ કરેલ નામ 'કરકુંડ” એ પ્રમાણે સ્થાપિત થયું. ત્યારે પેલો બ્રાહ્મણ આવ્યો, તેણે કહ્યું - મને ગામ આપ. ત્યારે કરકંડૂ રાજાએ કહ્યું કે - તને જે ગામ રુચે તે લઈ લે. મારું ઘર ચંપાનગરીમાં છે. ત્યાં એક ગામ આપ. ત્યારે કરકંડૂએ ચંપાનગરીએ દધિવાહન સજાને લેખ લખ્યો, મને એક ગામ આપો, હું તમને જે ગમતું હોય તે ગામ કે નગર તમને આપીશ. તે રોપાયમાન થયો. હે દુષ્ટ માતંગ! તું મને ઓળખતો નથી, કે મારી ઉપર આવો લેખ મોક્ષે છે. દૂતે પાછા આવીને કરકંડૂને તે વાત કરી. કરકં ક્રોધિત થયો. તેણે ચંપાનગરીને રૂંધી. યુદ્ધ ચાલુ થયું. આ વાત સાધ્વીએ જાણી, લોકોનો સંહાર ન થાય, તે માટે કરકંડૂની પાસે જઈને રહસ્યસ્ફોટ કર્યો કે આ દલિવાહન તારા પિતા છે. ત્યારે કરકંડૂએ તેના માતાપિતાને પૂછ્યું. તેઓએ સદભાવ કહ્યો. અભિમાનથી તે ત્યાંથી પાછો ન ફર્યો. ત્યારે પદ્માવતી સાધ્વી ચંપાએ ગયા. દાસ-દાસીઓ તેણીના પગે પડીને રડવા લાગ્યા. રાજા પણ તે સાંભળીને આવ્યો. વંદન કરીને આસન આપીને, તેણીને ગર્ભ વિશે પૂછયું. સાધ્વી બોલ્યા કે - આજે તમારા નગરને રોધીને રહેલો છે, તે તમારો પુત્ર છે. બંને મળ્યા. બંને રાજ્યો તેને આપીને દધિવાસ્ને દીક્ષા લીધી. ત્યારપછી કર્કંડૂમહાશાસનવાળો થયો. તે ગોકુલપ્રિય હતો. તેને અનેક ગોકુલ થયા. તેટલામાં શરદઋતુ આવી. એક વારડોઘણો પુષ્ટ અને શ્વેત હતો, તેને રાજાજુએ છે. ત્યારે તે ગોવાળોને કહે છે કે- આ વાછરડાની માતાને દોહતા નહીં, તે જ્યારે મોટો થાય ત્યારે તેને બીજી ગાયોના દુધ પીવડાવાજો. તે ગોવાળોએ પણ તે વાત સ્વીકારી. તે ઘણાં ઉંચા શીંગડાવાળો એવો સમર્થ બળદ થયો. રાજા તેને જોઈને ખુશ થયો.. ફરી ધણાં કાળે સજા ત્યાં આવ્યો. મહાકાય જીર્ણ વૃષભ જોયો. નાની ભેંસો પણ તેને પરેશાન કરતી હતી. રાજાએ ગોવાળોને પૂછ્યું કે - તે બળદ ક્યાં છે ? For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy