________________
૨૧૮
દશવૈકાલિકમૂલસૂબ-સટીક અનુવાદ જાણો, માટે અબ્રહ્મચારી. દ્રવ્ય ભિક્ષુઓ કહ્યા. હવે ભાવ ભિક્ષુ કહે છે -
• નિર્યુક્તિ - ૩૪૨ થી ૩૪૫ -
ભાવ ભિક્ષુ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી એટલે ભિક્ષુ પદાર્થજ્ઞ, તેમાં ઉપયુક્ત ભિક્ષુગુણનો સંવેદક વળી નોઆગમથી ભાવ ભિક્ષુ થાય છે. એ પ્રમાણે ભિક્ષનો નિક્ષેપ કહો. હવે નિરુક્ત કહે છે - ભિક્ષુનું નિશ્ચિત એટલે ખરેખરું શબ્દના અર્થવાળું રૂપ બતાવવું એટલે ભેદક, ભેદન અને ભેતવ્ય એમ કહેવાતા ત્રણ ભેદો વડે ત્રણ પ્રકારના છે. તે જ વાતને સ્પષ્ટ કરે છે -
ભેદક તે અહીં આગમમાં ઉપયુક્ત સાધુ છે. તથા બાહ્ય અને અત્યંતર તપના ભેદથી વર્તે છે. ભૂતવ્ય-ભેદવા યોગ્ય, જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્યો. તે ભુખ આદિ દુઃખના હેતુ પણે છે, તેથી ભુખ શબ્દ જોડવો. તેથી નિરક્ત - જે શાસ્ત્રની રીતિએ તપસ્યા કરીને કમને ભેદે તેને ભિક્ષુ જાણવો.
જે ભુખને વેદે તે ભિક્ષુ ભાવથી તેવા ગુણોમાં યત્ન કરે તેથી તે યતિ કહેવાય, અન્યથા નહીં. સત્તર પ્રકારના સંચમનો અનુષ્ઠાચી હોવાથી સંચમ ચરક છે. સંસારને પરીત કરવાથી તે જ ભવાત કહેવાય છે, અન્યથા ન કહેવાય.
હવે બીજા પ્રકારે નિયુક્ત ને કહે છે -
જે ભિક્ષા માત્રથી સર્વથા શુદ્ધ વૃત્તિ જેની છે, ભિક્ષાના આચારવાળો છે, તેથી તે ભિક્ષુ છે. આ પ્રસંગથી બીજા ભિક્ષ શબ્દના પર્યાયો છે તેનું નિરક્ત કહે છે. કર્મ ખપાવવાથી ક્ષપણ કહેવાય. સંયમ તપમાં એટલે સંયમમાં તપ મુખ્ય છે, તે સંયમતપને આદરવાથી તપસ્વી કહેવાય છે. એ પ્રમાણે બીજા પણ પર્યાયો હોય તો તેના અર્થથી ભિક્ષુ શબ્દનું નિરૂક્ત થાય છે. હવે એકાર્થિક દ્વાર કહે છે -
નિયુક્તિ - ૩૪૬ થી ૩૪૮ - વિશુદ્ધ સમ્યગદર્શનાદિના લાભથી ભાવસમુદ્રને તરવાથી તે તીર્ણ કહેવાય છે. જય - સુદષ્ટ માર્ગને કહેવો, તે તાય જેને છે તે તારી. અર્થાત્ સુપરિક્ષાત દેશનાથી શિષ્યોને તારે. દ્રવ્ય - રાગદ્વેષ રહિત. વ્રતી - હિંસાદિથી વિરત, ક્ષાંત – ક્ષમાને કરે છે તે. ઇંદ્રિયાદિને દમે છે તે દાંત, વિરા - વિષય સુખથી નિવૃત્ત. જગતને ત્રિકાળ અવસ્થામાં માને છે તે મુનિ તપથી પ્રઘાન તે તાપસ અપવર્ગમાર્ગના પ્રજ્ઞાપક તે પ્રરૂપક, અજ-માયા રહિત કે સંયમી. ભિક્ષુ - પૂર્વવત, બુદ્ધ - તત્ત્વને જાણનાર. યસિ - ઉત્તમ આશ્રમી ફે પ્રયત્નવાન, વિદ્રાન - પંડિત. તથા -
પ્રદૂજિરા- પાપથી છુટેલો, અનાર - દ્રવ્ય અને ભાવ આગાર રહિત, પાખંડી - પાશથી છુટેલો, ચરક - પૂર્વવત્ બ્રાહ્મણ - વિશુદ્ધ બ્રહાચારી, પરિવ્રાજક - પાપને વર્જનારા, શ્રમણા આદિ - પૂર્વવતુ.
સાધુ - નિર્વાણ સાધક યોગની સાધનાથી સાધુ, સૂક્ષ - સ્વજનાદિમાં સ્નેહના વિરહથી રૂક્ષ, ભવસમુદ્રથી તરવાનો અર્થી - જીરાર્થી. આ બધાં નામે ભિક્ષુના એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org