________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલĆસણસ્સ
૫.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
* ગ
-
39 :
૦ આ ભાગમાં દશવૈકાલિક નામક મૂળ સૂત્રનો સંપૂર્ણ સમાવેશ થાય છે. ‘દશવૈકાલિક' નામ સંસ્કૃત અને ગુજરાતીમાં પ્રસિદ્ધ છે. પણ પ્રાકૃતમાં તેનું નામ ‘દવેયાલિય’ છે. કેટલાંક ‘દસકાલિય’ સૂત્ર પણ કહે છે. તે પણ શાસ્ત્રીય છે. આ આગમમાં કુલ ૧૦ અધ્યયન તથા ૨ - ચૂલિકાઓ છે.
36/2
Jain Education International
૧૭
આ સમગ્ર આગમ ચરણકરણ અનુયોગની મુખ્યતાવાળું છે, શ્રમણ જીવનના પાલન માટેની નિયમાવલી સ્વરૂપ આ આગમની રચના શય્યભવસૂરિજીએ પુત્ર મનમુનિને માટે કરેલી છે.
મૂળસૂત્રો ચાર છે, તેમાં આ ત્રીજું મૂળસૂત્ર છે. આગમોમાં આ આગમનો ક્રમ - ૪૨ મો છે. તેમાં નિર્યુક્તિ, ભાષ્ય અને હરિભદ્રસૂરિ રચિત વૃત્તિ સહિત મૂળ દશવૈકાલિક સૂત્રનો અનુવાદ અહીં કરેલ છે. તેમાં શ્રી જિનદાસગણી કૃત ચૂર્ણિના અંશો પણ સમાવેલ છે, તે સિવાય શ્રી અગસ્ત્યસિંહ સૂરિની પૂર્ણિ પણ મળે છે. તેમજ બે-ત્રણ ટીકાઓ પણ જોવા મળે છે. જેમાં શ્રી અગસ્ત્યસિંહ સૂરિષ્કૃત ચૂર્ણિ તો અલગથી અનુવાદ કરવા યોગ્ય છે, જે પ્રૌઢ પ્રાકૃતમાં રચાયેલી છે.
પ્રસ્તુત અનુવાદમાં અમે સટીક વિવેચન શબ્દ એટલે પ્રયોજ્યો છે, જેથી આ માત્ર કોઈ એક જ વૃત્તિનો અનુવાદ ન બની રહેતા તેમાં સંદર્ભો પણ ઉમેરી શકાય, કેટલાંક ન્યાયો, વ્યાકરણ આદિ બાદ પણ થઈ જાય અને અને આવશ્યક્તા મુજબ સંક્ષેપ કે વિસ્તાર પણ થઈ શકે. જો કે શ્રી હારિભદ્રીયવૃત્તિની મુખ્યતા તો છે જ અને જ્યાં વૃત્તિ છોડેલ હોય ત્યાં - ૪ - ૪ - ૪ - • આવી નિશાની પણ કરી છે. શ્રમણ જીવન માટે નિતાંત ઉપયોગી અને આચારાદિ સૂત્રોની કેટલીક અનુવૃત્તિરૂપ આ આમ માત્ર વાંચવા-લાયક જ નહીં પણ મનનીય અને ચિંતનીય છે સાથે આચરણીય પણ છે જ, કેમકે સમગ્ર તિદિન ચર્યાનો તેમાં સમાવેશ થયેલો છે. હાલ આ આગમના યોગોદ્વહન પછી જ સાધુ-સાધ્વીને વડીદીક્ષા રૂપ ઉપસ્થાપના કરાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org