________________
૧૧૬
દશવૈકાલિકમૂવમૂત્ર-સટીક અનુવાદ કેમકે અબીજ૮ થી તેમાં ઉત્પત્તિ અસંભવ છે. યોનિ અવસ્થા બીજ - યોનિના પરિણામને તજતાં નથી. કેમ કે તેમાં જીવ આવીને ઉગે છે. તે જ પૂર્વનો બીજ જીવ છે. બીજ નામ ગોત્ર કર્મવેદીને મૂલ આદિ નામગોત્ર બાંધીને કે બીજો પૃવીકાયિક આદિજીવ એ જ પ્રમાણે છે. મૂળમાં જે જીવ છે, તે જ મૂળ પણે પરિણમે છે. તે પણ પહેલાં પાંદડા પણે પરિણમે છે. તેથી એક જીવ મૂળપ્રથમપત્ર કર્તા છે.
(શંકા) સર્વ કિશલય ઉગતા અનંતકાય છે, તે વિદ્ધ કેમ ન થાય? અહીં બીજ જીવ પોતે કે અન્ય જીવબીજના મૂળપણે ઉત્પન્ન થઈને ઉછૂન અવસ્થા કરે છે, પછી કિસલય અવસ્થા કરે છે, તે સમયે નિયમથી અનંત જીવો ઉત્પન્ન કરે છે. ફરીથી સ્થિતિ ક્ષય થવાથી બધાં જીવો પરિણત થયા પછી આ એકલો મૂળ જીવ અનંત જીવોના શરીરને પોતાના શરીરપણે કરીને એટલો મોટો થાય છે કે જે પ્રથમ પત્ર ગણાય. બીજા કહે છે કે આ બીજની સમૂચ્છનાવસ્થા નિયમ પ્રદર્શન માટે છે, અવશ્ય તેવું જ છે તેમ નહીં. ઇત્યાદિ - x x- આ જ વાતને ભાગ્યકાર કહે છે -
• ભાષ્ય - ૫૮, ૫૯ • વિવેચન
જીવોની બે યોનિ જાણવી - વિધ્વસ્ત અને અવિબસ્ત. તેમાં અવિદuસ્ત યોનિમાં તે જ અથવા અન્ય જીવ ઉગે છે. મૂળમાં જે બીજનો કે અન્ય જીવ વર્તે છે તે પહેલાં પત્ર સુધી એક જ જીવ છે. કંદથી બીજ સુધી બીજાં જીવો બનાવે છે. તે વનસ્પતિ જીવો જ છે. બાકી પૂર્વવત્ - --
• ભાષ્ય - ૬૦ - વિવેચન
સૂત્રમાં સ્પર્શ કરનારજે કહેલ લક્ષણ પૃથ્વીકાયાદિમાં છે, તે યથાક્રમે અનુયોગધર આચાર્ય બોલે જ. કેવળ સૂત્રપર્શ લક્ષણ ન કહે પરંતુ અધ્યયન અને પૂર્વોક્ત પાંચ જીવાજીવાભિગમાદિને પ્રકરણ પદ, વ્યંજન અને વિશુદ્ધ અર્થોને બોલે. તે ખૂબ જ જીવોનું અભિગમ દરેક કાર્યમાં છે, તેના વડે પાંચ સંખ્યાનું ગ્રહણ કર્યું. અન્યથા અહીં છ અધિકાર છે. જેમાં અને કરાય તે પ્રકરણ. વિભક્તિ અંતે હોય તે પદક આદિ વ્યંજન છે. એ વ્યજંન વડે વિશુદ્ધ બોલે. હવે બસનો અધિકાર કહે છે -
અનેક બેઇંદ્રિયાદિ ભેદ વડે એકેક જાતિમાં ઘણાં બસ જીવો છે. ત્રાસ પામે તે બસ. ઉચ્છવાસાદિ પ્રાણ, તે જેમાં વિધમાન છે, તે પ્રાણી. આ નિશ્ચે છઠ્ઠો જીવનિકાય છે. તે ત્રસકાય કહેવાય છે. તેમાં ઇંડાથી જન્મે તે અંડજ પક્ષી, ગરોળી વગેરે. પોતથી જન્મે તે પોતજ. જેમકે - હાથી, વગુલી, ઇત્યાદિ. જરાયુથી વીંટાઈને જન્મે તે જરાયુજગાય, ભેંસ, મનુષ્યાદિ. રસથી જન્મે તે રસ જ • છાસ, ઓસામણ, દહીં આદિમાં કૃમિ આકાર વાળા અતિ સૂક્ષ્મ જીવો થાય છે. પરસેવાથી જન્મે તે સર્વેદજ • માંકડ, જૂ આદિ. સમર્થનથી જન્મેલ તે સંમૂછના - શલભ, કીડી આદિ ઉભેદથી જન્મે તે ઉદ્િભજ્જા- પતંગ, ખંજરીટ આદિ. ઉપરાતથી જન્મે તે ઉપપાતજા અથવા ઓપપાતિક - દેશો અને નાસ્કો. તેમનું જ લક્ષણ કહે છે. જે કોઈ સામાન્યથી જ જીવોનું અભિક્રાંત થાય છે અર્થાત બોલનારની સામે આવવું. પ્રતિક્રમણ -પ્રાપકથી પાછું ફરવું. સંકુચના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org