________________
૧૮૪
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂરસાર
ઓઘનિર્યુક્તિ-મૂલસૂત્ર/૨ આગમ-૪૧/૨નો વિશિષ્ટ સૂમસાર,
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ૪૧-મું આગમ છે. તે ચાર મૂળસૂત્રોમાં બીજું સૂત્ર છે. “ઓઘનિર્યુક્તિ” નામથી પ્રસિદ્ધ છે. તેને પ્રાકૃતમાં મોનિશુત્તિ કહેવામાં આવે છે. આ આગમ પિંડનિર્યુક્તિના વિકતામાં છે. આ આગમમાં મૂળ નિર્યુક્તિ-૮૧૨ છે, તેમાં ભાષ્ય ગાથા-૩૨૨ છે અને પ્રક્ષેપગાથા-૩૧-છે એ રીતે બધું મળીને ૧૧૫ ગાથા છે, જેને અમે ‘મૂન' શબ્દથી મૂકેલ છે.
આ આગમમાં મોય - સામાન્યથી સાધુની દિનચર્યાનું વર્ણન છે, તેથી પણ ઓઘનિર્યુક્તિ કહેવાય છે. શ્રી ભદ્રબાહુસ્વામી રચિત આ નિર્યુક્તિમાં સાત દ્વાર – પ્રતિલેખના, પિંડ, ઉપધિ, અનાયતનવર્જન, પ્રતિસેવા, આલોચના અને વિશુદ્ધિનું વર્ણન કરી ચરણકરણાનુયોગની મુખ્યતા મૂકી છે, જો કે તેમાં ધર્મ કથાનુયોગ સમાવિષ્ટ તો છે જ. નવમાં પૂર્વમાં રહેલ ત્રીજી આચાર વસ્તુના વીસમાં ઓઘપ્રાભૃતમાં રહેલ ઓઘ સામાચારીએ આ આગમનો આધાર ગણાય છે. આ આગમની ચૂર્ણિ પણ હોવાનું જાણવા મળેલ છે, પણ અમે તો દ્રોણાચાર્યકૃત વૃત્તિનો જ આધાર લીધેલો છે.
પિંડ નિર્યુક્તિનો ટીકા સહિત અનુવાદ કરતી વેળાએ પણ અમે અનુભવેલું કે આટલો વિસ્તાર અને તેનું ઉંડાણ સમજાવતા પહેલાં નુતન સાધુ-સાધ્વીને તેમાં પ્રવેશ કરાવવા સારરૂપ સમજણ વધુ ઉપયોગી થાય. આ જ કથન ઓઘનિર્યુક્તિ માટે પણ સત્ય જ છે. પિંડનિર્યુક્તિ કરતાં પણ દોટું કદ ધરાવતો અને જેમાં પિંડનિર્યુક્તિ કરતાં ૪૫૦ જેટલી વધારે ગાયા છે તેવું આ આગમ ટીકા સહિત અક્ષરશઃ અનુવાદ પામે તેવી ભાવના છતાં અમે અહીં માત્ર તેમાં પ્રવેશ કરાવવારૂપ “ઓઘનિર્યુક્તિવિશિષ્ટ સૂરસાર” મૂકીને અમારી પ્રતિજ્ઞાથી પાછા જ ખસેલા છીએ. અમારો હેતુ “સરળથી જટીલ” તરફ લઈ જવાનો છે. તેથી શ્રમણ ઉપયોગી આ આગમને માત્ર પ્રવેશદ્વાર રૂપે જ રજૂ કરેલ છે. આમાં નથી બધી ગાથાઓનો અર્થ કે નથી પુરો ટીકાનો અર્થ, આ માત્ર ઓઘનિર્યુક્તિની પરિચયપુસ્તિકા જ છે, તે વાત અમે સખેદ કબુલીએ છીએ. આપ તેને અમારો પ્રમાદ ગણશો તો પણ અમારે તે કબૂલવું જ રહ્યું.
- મુનિ દીપરત્નસાગર