SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ ૧૩૬ ૧૧૫ 0 ટંકણ દેટાંત - ઉત્તર દિશામાં ટંકણ નામે પ્લેચ્છો રહે છે તે સોના વડે દક્ષિણ પંથના માણસો પાસેથી વાસણ આદિ લે છે. પરસ્પર ભાષા જાણતા નથી, વાસણના ઢગલાને હાથ વડે ઢાંકે, ઈચ્છા પ્રમાણે ધન મળે ત્યારે હાય લઈ લે. એ પ્રમાણે તેમનો ઈચ્છિત પ્રતીતિ વ્યવહાર ચાલતો. આ રીતે આક્ષેપ-નિર્ણયમાં દાન ગ્રહણને અનુવર્તનારા ગુરુ-શિષ્ય હોવા જોઈએ. શિષ્ય પણ સ્વેચ્છાની માફક ઈચ્છિત વિષય ન સમજાય ત્યાં સુધી વારંવાર પૂછી સમાધાન કરવું. આ પ્રમાણે ગાય વગેરેના દેટાંતમાં બતાવેલો સાક્ષાત્ અર્થ વિપર્યય પ્રતિપક્ષ દરેકમાં ઉલટો, સીધો આચાર્ય અને શિષ્ય સંબંધી યોજવો. તે યોજિત છે. હવે વિશેષથી શિષ્યની યોગ્યતા જણાવે છે - • નિયુક્તિ-૧૩,૧૩૮ : ચુતમાં અનાદરવાળો, નિરૂપકારી, પોતાની ઈચ્છા મુજબ ચાલનારો, અસ્થિક અને જવાની ઈચ્છાવાળો કોને હેલરૂપ ન થાય ? વિનય વડે નમેલો, અંજલી જોડેલો, ગુરુ ઈચ્છાને અનુસરનારો, શિષ્ય વડે આરાધિત ગુરુજન, બહુ પ્રકારનું શુત જદી આપે છે.. શિષ્યના દોષ અને ગુણ વિશેષપણે શા માટે કહો છો? ભાવિમાં તેને જ ગુપણું મળવાનું છે તેથી, કેમકે અયોગ્યને ગુપદ આપવાથી તીર્થકરની આજ્ઞાદિનો લોપ થાય છે. કોને ઢેલ કે આખીતિ ન થાય, જે યુત ઉપસંપદા અનુપસંપન્ન હોય. ઉપસંપન્ન પણ બધે અઢેણ થાય તેવું નથી, તેથી કહે છે - નિરકારના સ્વભાવવાળો - ગરને અકૃત્યકારી હોય. ઉપકારી પણ બધે અહેણ નથી તે કહે છે - સ્વચ્છંદ મતિવાળો હોય છે. આથત પોતાના અભિપ્રાય મુજબ કાર્ય કરનારો. જે ગુરુને અનુસરનાર મતિવાળો હોય તો પણ બધે અહેપી ન થાય. કેમ? જે તે ભણી-ગણીને, તૈયાર થઈને ગુરથી જુદો પડવા માંગે અને બોલે પણ ખરો કે શ્રુતસ્કંધાદિ તૈયાર થતાં હું અવશ્ય જઈશ. પછી કોણ અહીં બેસી રહે? આવું બોલતો શિષ્ય પણ અયોગ્ય છે. હવે દોષોના પરિજ્ઞાનપૂર્વક ગુણો બતાવે છે - ગુરુને વંદન આદિથી વિનય કરનારો હોય, ગુરને પૂછતાં બે હાથ જોડી શિષ્ય માથું નમાવેલું હોય, ગરનો અભિપાય તે સૂત્રોક્ત શ્રદ્ધાને સમર્થન કરનાર • કરાવનાર વગેરેથી ગરના વચનને આરાધે. તેવા વિનયવાન, બુદ્ધિવાન્ ગુરુની આજ્ઞા પાળનાર શિષ્યને ગુરુ યોગ્ય જાણીને સૂનારૂપ શ્રુત અનેક પ્રકારે ખુલાસાથી જલ્દી શીખવે છે. બીજી રીતે શિષ્ય પરીક્ષા – • નિયુક્તિ-૧૩૯ - ગેલ, મેઘ, કુડગ, ચાલણી, પરિપૂર્ણક, હંસ, મહિષ, બકરી, મસક, જળો, બીલાડી, હક, ગાય, ભેરી, ભરવાડણાદિ ષ્ટાંત છે. • વિવેચન-૧૩૯ :આટલાં શિષ્યની યોગ્રાયોગ્યતા બતાવનાર દેટાંતો છે ઉદાહરણો કથિત કે ૧૧૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચરિત એમ બે પ્રકારે હોય. જેમ ભાત સંધવાને લાકડાં જોઈએ તેમ પદાર્થને સમજવાને ઉદાહરણ જોઈએ. તેમાં પહેલાં કલ્પિત દટાંતો કહે છે - o શૈલ - મગના દાણા જેટલો એક નાનો કઠણ પત્થર છે, તેના સામે પુકરાવર્તનો મેઘ જંબૂદ્વીપ જેટલો મોટો છે. તેમાં નારદ જેવો કજીયાખોર આવીને મગરેલીયા પત્થરને કહે - સાંભળ! પુકરાવતું મેઘે કહ્યું કે - મગરોલીયાની વાત છોડો, તેને તો એક ધારામાં જ પલાળી ચુરે યુરો કરી વહેવડાવી દઉં. ત્યારે અહંકારથી પત્થરે કહ્યું. જો મેઘ મારો તલના ફોતરાના ત્રીજો ભાગ પણ પલાળે, તો હું મારું નામ છોડી દઉં. નારદે મેઘને જઈને આ વચનો સંભળાવ્યા. ' મેઘે કોપાયમાન થઈને મૂસળધારાચી સાત સમિદિન વષ કરી. પછી મેઘને થયું કે તે મગશૈલ પલળીને તણાઈ ગયો હશે, તેથી બંધ પડ્યો. પાણી ઘટ્યા, મગરૌલ પત્થર વધુ ચળકતો થઈ કહેવા લાગ્યો, કેમ ભાઈ જીતી ગયો ? મેઘ લજવાઈને પાછો ગયો. કોઈ શિષ્ય મણશૈલ સમાન હોય, એક પણ પદ ન ભણે, આચાર્ય ગર્જના આવે અને કહે કે – આચાર્યની જ ઓછી બુદ્ધિ છે કે જેથી શિષ્ય ભણતો નથી. જેખ કુતીર્થે ગાયોને ઉતારે તો ગોવાળનો જ દોષ છે. એમ કહી ભણાવવા લાગ્યા. શિષ્ય ન ભણ્યો, આચાર્ય લજવાઈને પાછા ગયા. આવા શિષ્યને ન ભણાવવો. કેમકે આચાર્ય તથા સૂત્રનું બહુમાન થાય. ગુરુ પણ ભણેલું વીસરી જાય, બીજા ભણનારને વિન થાય, વંધ્યા ગાયને દુધ ન આવે, તેમ કુશિષ્યને ભણાવવાં છતાં ન આવડી. કાળી ભૂમિનું સુશિષ્ય ઉપર ટાંત ઘટાવે છે - દ્રોણ મેઘ પડે તો પણ કૃણભૂમિથી પાણી પાછું નીકળી જતું નથી. તેમ જે શિણ સાંભળવા અને ઘારી રાખવામાં સમર્થ હોય, તેવાને શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવા ગુરુએ હંમેશાં આપવું. • કુટ (ઘડા)નું ટાંત - ઘડા બે જાતના હોય - નવો, જૂનો. જૂના પણ બે જાતના - ભરેલા, ન ભરેલા. ભરેલા પણ બે જાતના - પ્રશસ્ત વસ્તુથી અને અપશસ્ત વસ્તુથી. પ્રશસ્ત તે અગરુ, તુરક આદિ. અપશસ્ત તે કાંદા, લસણ આદિથી. પ્રશત ભરેલા વાસ સહિત કે રહિત પણ થાય. એ પ્રમાણે અપશસ્તના બે ભેદ થાય. આમાં પ્રશસ્તવાસવાળા નકામા છે, પ્રશસ્ત વાસવાળા વાસ ઉડી જાય તો સુંદર ન કહેવાય. બાકીના હોય તે સુંદર જાણવા. અભાવિત એટલે ન ભરેલા, નવા એટલે નીભાડેથી તુરંત લાવેલા. આ પ્રમાણે નવા શિષ્યોમાં મિથ્યાર્દષ્ટિને પહેલા લેવાં, જેના હોય પણ કુભાવનાથી ભાવિત ન હોય તેને શીખવવું સુંદર છે. અન્યદર્શની અને પાસત્થાએ પોતાના પક્ષમાં લીધેલા તે ભરેલા ઘડા જેવા જાણવા, સંવિજ્ઞ સાધુથી પ્રશસ્ત ભાવનાવાળા જાણવા. તેવા પણ બોધ વમી જાય, તે ઠીક નહીં. ન વમે તે ઠીક છે. પણ જે અપશસ્ત વમે અને પ્રશસ્ત ન વમે તો સુંદર છે. પણ જે કુબોધ ન છોડે તેને સારા ન જાણવા. (અથવા ઘડાના ચાર ભેદો-].
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy