SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ એ ૬/૨ નિ - ૧૬૧૬ આદિમાં વિભાષા. ન જાણતો ન જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે. અશુદ્ધ જ છે. અહીં જ્ઞાતર્ય અને જ્ઞાતરિના ચાર ભેદો થાય છે. તે ચતુર્ભગીમાં ગોણિ દષ્ટાંત છે. ભાવાર્થ સ્વયં કહેવો. • નિયુક્તિ-૧૬૧૪-વિવેચન : મૂળગુણ અને ઉત્તરગુણમાં એ પ્રમાણે સર્વોત્તરગુણોમાં અને દેશોત્તર ગુણોમાં, તે રીતે શુદ્ધિમાં - છ પ્રકારે શ્રદ્ધાનાદિ લક્ષણોમાં પ્રત્યાખ્યાનનો વિધિજ્ઞ, આ વિષયમાં પ્રત્યાખ્યાન વિધિને આશ્રિને એવો અર્થ છ પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાતા ગુરુ-આચાર્ય હોય છે. • નિયુકિત-૧૬૧૫-વિવેચન :કૃતિકમદિ વિધિજ્ઞ-વંદનાકારાદિ પ્રકારને જાણનાર. ઉપયોગરત પ્રત્યાખ્યાન જ ઉપયોગપ્રધાન અને અશઠભાવે - શુદ્ધ ચિતે સંવિઝ-મોક્ષાર્થી સ્થિરપ્રતિજ્ઞ-કહેવાયેલને અન્યથા ન કરે. (કોણ ?] પ્રત્યાખ્યાપના કરનાર તે પ્રત્યાખ્યાપિતા-શિષ્ય. એવા પ્રકારનો હોય તેમ તીર્થકર અને ગણધરોએ કહેલ છે. • નિયુક્તિ-૧૬૧૬-વિવેચન : અહીં પણ ફરી પચ્ચકખાણ કરનાર અને પચ્ચકખાણ કરાવનારની ચતુર્ભગી બતાવેલી છે, તે આ પ્રમાણે – જાણતો જાણગની સમીપે શુદ્ધ પ્રત્યાખ્યાન પચ્ચકખે છે. જે કારણથી બંને પણ જાણે છે કે પ્રત્યાખ્યાન નમસ્કાર સહિત કે પોરિસિ આદિક કઈ રીતે છે તે. જાણતો ન જાણનારને જણાવીને પ્રત્યાખ્યાન કરે છે. જેમકે નમસ્કાર સહિત આદિ અમુક તારા વડે પ્રત્યાખ્યાન કરાયું તે શુદ્ધ છે અન્યથા શુદ્ધ નથી. ન જાણતો જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે તે શુદ્ધ નથી, પ્રભુ સંદિષ્ટ આદિમાં વિભાષા. ન જાણતો ન જાણનારની પાસે પ્રત્યાખ્યાન કરે છે. અશુદ્ધ જ છે. અહીં ગાયનું દષ્ટાંત જાણવું. તે આ પ્રમાણે છે – (૧) જો ગાયનું પ્રમાણ સ્વામી પણ જાણે છે અને ગોવાળ પણ જાણે છે. બંને પણ જાણતા હોય તો સ્મૃતિમૂલ્ય સ્વામી સુખેથી આપે છે. બીજો લે છે. આ પ્રમાણે લોકિકી ચતુર્ભાગી બતાવી. એ પ્રમાણે જાણતો જાણનારને પચ્ચકખાણ કરાવે છે, તો તે શુદ્ધ છે. જાણતો કોઈ કારણે ન જાણનારને પચ્ચકખાણ કરાવે તો તે શુદ્ધ પણ નિકારણે શુદ્ધ ન થાય. અજાણતા જાણનારને પચ્ચકખાણ કરાવે તો પણ શુદ્ધ. અજાણતો ન જાણનારૂં પચ્ચકખાણ કરાવે તો તે શુદ્ધ નથી. ૨૧૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ o મૂળદ્વાર ગાથામાં પ્રત્યાખ્યાતા કહ્યા. હવે પ્રત્યાખ્યાનધ્યને અધ્યયનમાં કહ્યા છતાં દ્વાર શૂન્યાર્થે કહે છે – • નિયુક્તિ૧૬૧૬-વિવેચન :દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે પ્રત્યાખ્યાતવ્ય જાણવું. દ્રવ્ય પ્રત્યાખ્યાતવ્ય તે અશન આદિ અને ભાવ પ્રત્યાખ્યાત તે અજ્ઞાનાદિ જાણવા. આ ગાથાર્થ કહ્યો. 0 મૂળ દ્વાર ગાવામાં બીજુ દ્વાર કહ્યું. o–o હવે પર્ષદા દ્વાર : તે પૂર્વ વર્ણિત સામાયિક નિર્યુક્તિમાં શૈલધન કૂટાદિ છે. અહીં તે જ કથનને ફરીથી સવિશેષ કહીએ છીએ - પર્ષદા બે ભેદે છે - ઉપસ્થિતા અને અનુપસ્થિતા. તેમાં જે ઉપસ્થિત પર્ષદા હોય તેને કહેવું જોઈએ, અનુપસ્થિતા પર્ષદાને કહેવું જોઈએ નહીં. હવે જે ઉપસ્થિતા પર્ષદા છે, તે પણ બે ભેદે કહેલી છે - (૧) સમ્યક ઉપસ્થિતા અને (૨) મિથ્યા ઉપસ્થિતા - જેમકે આર્ય ગોવિંદ. આવી મિથ્યા ઉપસ્થિતા પર્ષદાને કથન કરવું યોગ્ય નથી. જે સમ્યગુ ઉપસ્થિતા પર્ષદા છે તે બે ભેદે છે - (૧) ભાવિતા સખ્યણું ઉપસ્થિતા, (૨) અભાવિતા સભ્ય ઉપસ્થિતા. તેમાં અભાવિતા પર્ષદાને કહેવાનું યોગ્ય નથી. જે ભાવિતા સભ્ય ઉપસ્થિતા પર્ષદા છે, તે બે પ્રકારે છે (૧) વિનિતા અને (૨) અવિનિતા - ભાવિતા તેમાં અવિનિતા ભાવિતા સમ્યક્ ઉપસ્થિતા પર્ષદાને કથન કરવું યોગ્ય નથી. પણ વિનિતા પાર્ષદાને કહેવું. વિનિતા ભાવિતા સમ્યક્ ઉપસ્થિતા પર્ષદા બે પ્રકારની છે, તે આ પ્રમાણે :(૧) વ્યાક્ષિપ્તા અને (૨) અવ્યાક્ષિપ્તા. જે વ્યાક્ષિપ્તા વિનિતા ભાવિતા સખ્યણ ઉપસ્થિતા પર્ષદા છે તે વ્યાક્ષિપ્ત હોવાથી જે સાંભળે છે કંઈક અને કર્મ કંઈ કરે છે. ખેદ પામે છે અથવા બીજો કોઈ વ્યાપાર-પ્રવૃત્તિ કરે છે. અત્યાક્ષિપ્તા પાર્ષદાને ધર્મ કહેવો જોઈએ. આ અવ્યાક્ષિપ્તા વિનિતા ભાવિતા સભ્ય ઉપસ્થિતા જે પર્ષદા છે તે બે ભેદે છે – ઉપયુક્તા અને અનુપયુક્તા. જે અનુપયુક્તા અવ્યાક્ષિતા વિનિતા ભાવિતા સખ્ય ઉપસ્થિતા ચોવી જે પર્યા છે તે જે સાંભળે છે તે કંઈ જુદુ-જુદુ જ વિચારે છે. જે ઉપયુક્તા પાર્ષદા છે, તે નિશ્ચિતા અર્થાત્ ઉપયુક્ત સહિતા છે, તેથી ઉપયુક્તાને ધર્મ કહેવો જોઈએ. તેથી નિયુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૧૬૧૭ + વિવેચન :ઉપસ્થિત પર્યાદામાં જે વિનિત અવ્યાક્ષિપ્ત અને ઉપયુક્તા છે, એવા પ્રકારની
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy