SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ • ૬/૪ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૮૫ (૨) વચન દુપ્રણિધાન :- સામાયિક કરેલો અસભ્ય, નિષ્ઠુર, સાવધ વચનપ્રયોગ ન કરે. કહ્યું છે – કૃત સામાયિક પૂર્વ બુદ્ધિથી વિચારીને બોલે, સદા નિરવધ વચન બોલે, અન્યથા તેને સામાયિક ન થાય. (૩) કાય પ્રણિધાન :- સામાયિક કરેલને અપડિલેહિતાદિ ભૂમિ આદિમાં હાથ-પગ આદિના દેહ-અવયવોની અનિદ્ભુત સ્થાપના. કહ્યું છે કે – અનિરીક્ષ્ય અને અપમૃજય સ્પંડિલ સ્થાનાદિ સેવતો હિંસાના અભાવમાં પણ પ્રમાદને કારણે તે કૃતસામાયિક નથી. (૪) સામાયિકની સ્મૃતિ ન હોવી - સામાયિક સંબંધી જે મરણા તે સ્મૃતિ અતિ ઉપયોગ. તેનું મન - ન સેવવું તે. અતિ પ્રબળ પ્રમાદવાનુ યાદ રાખતો નથી કે આ વેળામાં મારે જે સામાયિક કર્તવ્ય છે, તે કરેલ છે કે નથી, મોક્ષ સાધન અનુષ્ઠાનનું મૂળ સ્મૃતિ છે. કહ્યું છે કે – જે પ્રમાદયુકત સ્મરણ કરતો નથી કે સામાયિક કયારે કર્તવ્ય છે, સામાયિક કરી કે ન કરી તે યાદ ન રહે તો કરેલી પણ વિફળ જાય છે. (૫) સામાયિકનું અનવસ્થિત કરણ તે અનવસ્થિતકરણ. અનવસ્થિત અRIકાલ કે કર્યા પછી અનંતર જ તજે છે. જેમ-તેમ કરવું તે અનવસ્થિત. કહ્યું છે કે - સામાયિક કરીને લક્ષણ જ પારે છે અથવા ઈચ્છા મુજબ કરે છે, તે અનવસ્થિત સામાયિક અનાદરને કારણે શુદ્ધ નથી. સાતિચાર પહેલું શિક્ષાપદ ‘સામાયિક' કહ્યું. હવે બીજા શિક્ષાપદનું પ્રતિપાદન કરતાં કહે છે – • સૂઝ-૭૮ - દિશાવત ગ્રહણ કરેલાને પ્રતિદિન દિશાનું પરિમાણ કરવું તે દેશાવકાશિક [નામે બીજું શિક્ષાપદ વ્રત છે.]. દેશવકાસિક પ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા જોઈએ, પણ આચરવા ન જોઈએ - નયન પ્રયોગ, પેણ પ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, બહાર પુદ્ગલ પ્રક્ષેપ. • વિવેચન-૩૮ : દિગવત પૂર્વે વ્યાખ્યાત જ છે. તે ગૃહીંત દિપરિમણના દીર્ધ કાળ, ચાવજીવ, સંવત્સર, ચાતમાંસાદિ ભેદના સો યોજનાદિ રૂપcથી દરોજ તેટલા પ્રમાણમાં જવાનું અશક્ય હોવાથી પ્રતિદિન - પ્રહર, મુહર્ત આદિ ઉપલક્ષણથી પ્રમાણ કરણ - દિવસાદિ ગમન યોગ્ય દેશનું સ્થાપન તે પ્રતિદિનનું પ્રમાણ કરણ દેશાવકાસિક. | દિગવતમાં ગૃહીત દિશાપરિમાણનો એક દેશ- અંશ, તેમાં ગમન આદિ ચેષ્ટા સ્થાન, દેશ અવકાશ, તેનાથી નિવૃત્ત તે દેશાવકાશિકત. અહીં પૂજયો કહે છે કે - ગૃહીત અણવતાદિની દીર્ધતર કાળ અવધિના વિરમણ છતાં પણ પ્રતિદિન સંક્ષેપ કરવો તેમ ઉપલક્ષણથી જાણવું અન્યથા તે વિષયના સંક્ષેપનો અભાવ થશે અથવા ભાવમાં પૃચ શિક્ષાપદ ભાવનો પ્રસંગ આવે, આટલો વિસ્તાર પૂરતો છે. ૧૮૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અહીં આચાર્યો સર્પનું દૃષ્ટાંત પ્રરૂપે છે. જેમકે પૂર્વે તે સપને બાર યોજનનો વિષય હતો. પછી વિધાવાદી વડે અપસાર કરાતા એક યોજનમાં તેણે પોતાની દૃષ્ટિ સ્થાપી. આ પ્રમાણે શ્રાવકોએ પણ દિવ્રત આગારમાં બહુ અપરાદ્ધવાન્ પછી દેશાવકાસિક વડે તેને ઘટાડતા જાય. અથવા વિષનું દષ્ટાંત - અગદે એક અંગુલમાં સ્થાપેલું. આ શિક્ષાવત પણ અતિચારરહિત પાલન કરવું જોઈએ. તેથી કહે છે કે દેશાવકાસિક વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા, પણ તેનું આચરણ ના કરવું તે આ પ્રમાણે - - (૧) આનયન પ્રયોગ – કોઈ વિશિષ્ટ દેશાદિમાં ભૂદેશ અભિગ્રહમાં બહાર સ્વયં ગમનનો યોગ ન હોવાથી બીજાને સચિત્તાદિ દ્રવ્ય લાવવા માટે પ્રયોજે - સંદેશો આપીને મોલે કે તારે આ લાવવું તે આનયનપ્રયોગ. (૨) પ્રેણપયોગ- ધરાર નોકરને મોકલવો તે પ્રેષ્ઠ પ્રયોગ. જેમકે અભિગૃહીત પર વિચાર દેશના વ્યતિક્રમના ભયથી, તારે અવશ્ય જ જઈને મારા ગાય આદિ લાવવા અથવા આ તારું કર્તવ્ય છે, એવો પ્રેણપયોગ. (3) શબ્દાનુપાત - સ્વગૃહ વૃત્તિ પ્રાકાકાદિ છોડીને ભૂદેશનો અભિગ્રહ હોવાથી બહાર પ્રયોજન ઉત્પન્ન થતાં ત્યાં સ્વયં જવાનો યોગ ન હોવાથી વૃત્તિપાકારની નીકટવર્તીને બુદ્ધિપૂર્વક છીંક-ખાંસી આદિ શબ્દો કરીને તેમને જાગૃત કરવા તે શબ્દનો અનુપાત - ઉચ્ચારણ કર્યું જેથી બીજાના કાનમાં આનો શબ્દ પહોંચે. (૪) રૂપાનુપાત - અભિગૃહીત દેશથી બહાર પ્રયોજન ભાવમાં શબ્દ ના ઉચ્ચારીને બીજાને સમીપ લાવવાને માટે પોતાના શરી-રૂપનું દર્શન તે રૂપાનુપાત. (૫) બહિ:પગલપોપ - અભિગૃહિત દેશની બહાર પ્રયોજન થતાં બીજાને જાગૃત કરવા ટેકા આદિ ફેંકવા, તે પુદ્ગલ પ્રક્ષેપ. દેશાવકાશિકનો આ અર્થ અભિગ્રહણ કરાતા, બહાર ગમનાગમન આદિ વ્યાપાજનિત પ્રાણીનું ઉપમદન થાય છે. તે સ્વયં કરે કે બીન વડે કરાવે તેમાં કોઈ કળ વિશેષ નથી. તેના કરતાં તો ઈયપિય વિશુદ્ધ કરતાં સ્વર્ય ગમનમાં ગુણ છે. બીજા વળી અનિપુણ હોય તો અશુદ્ધિ થાય છે. સાતિચાર બીજું શિક્ષાપદ “દેશાવકાસિક' કહ્યું. હવે ત્રીજું શિક્ષાપદ કહે છે, તેનું આ સૂત્ર છે – • સૂત્ર-૩૯ : પૌષધોપવાસ ચાર ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - આહાર પૌષધ, શરીર સતકાર પૌષધ, બહાચર્ય પૌષધ, વ્યાપાર પૌષધ. પૌષધોપવાસ વ્રતધારી શ્રાવકે આ પાંચ અતિચારો જાણવા જોઈએ. તે આ પ્રમાણે - આપતિલેખિતપુણ્યતિલેખિત શય્યા સંતાફ, અપમાર્જિત - દુઘમાર્જિત શા સંતાક. અપતિલેખિત દુuતિલેખિત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ, અપમાર્જિત દુઘમાર્જિત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ, પૌષધોપવાસની સમ્યફ પાલના ન કરવી છે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy