________________
૬૦ ૬/૬૨ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
(૧) કૃત્ (૨) કારિત. તે ત્રણ કરવાથી - મન વડે, વચન વડે, કાયા વડે, અર્થાત્ સ્થૂળ પ્રાણાતિપાત પોતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી. તે પ્રમાણે મનથી, વચનથી, કાયાથી, આ પહેલો ભેદ. આમને અનુમતિ પ્રતિષિદ્ધ નહીં, કેમકે સંતાન આદિના પરિગ્રહનો સદ્ભાવ છે. તેના વ્યાવૃત્તિકરણમાં તેમની અનુમતિનો પ્રસંગ આવે છે. અન્યથા પરિગ્રહ અને અપરિગ્રહમાં કંઈ તફાવત નહીં રહે. પ્રવ્રુજિત - અપ્રવ્રુજિતમાં અભેદ આપત્તિ છે.
૧૪૯
અહીં શંકા કરે છે – ભગવતી આગમમાં ત્રિવિધ ત્રિવિધે પણ ગૃહસ્થોને પ્રત્યાખ્યાન કહેલ છે અને તે શ્રુતોક્ત હોવાથી અનવધ જ છે. તો તે અહીં નિર્યુક્તિકારે શા માટે ન કહ્યા ?
[સમાધાન] તેના વિશેષ વિષયત્વથી. તે આ રીતે – નિશ્ચે જે પ્રતિમાને અંગીકાર કરે અને સંતતિ પાલનાદિથી મુક્ત છે, તે ત્રિવિધ ત્રિવિધે કરે છે અથવા વિશેષ્ય - કોઈ વસ્તુ સ્વયંભૂરમણના મસ્ત્યાદિ અને સ્થૂળ પ્રાણાતિપાત ઈત્યાદિ. પરંતુ સર્વ સાવધ વ્યાપાર વિરમણોને આશ્રીને નહીં.
[શંકા] નિર્યુક્તિકારે સ્થૂલ પ્રાણાતિપાતાદિમાં પણ ત્રિવિધ ત્રિવિધ વિકલ્પ કહ્યો નથી, તેનું શું ? - ૪ - [સમાધાન] આ વાત સત્ય છે, પરંતુ બાહુલ્ય પક્ષને આથ્રીને નિયુક્તિકારે જણાવેલ છે. જે વળી કોઈ અવસ્થા વિશેષમાં કદાચિત્ જ આચરાય છે, સુષ્ઠુસમાચારીમાં નહીં. તે કહેલ નથી. બહુલતાથી ‘દ્વિવિધ ત્રિવિધન' વડે છ વિકલ્પો બધાં ગૃહસ્થોને બધાં જ પ્રત્યાખ્યાનમાં થાય છે.
બીજો ભેદ - સ્થૂલ પ્રાણાતિપાત ન કરે, ન કરાવે. મનથી અને વચનથી. અથવા મન અને કાયાથી અથવા વચન અને કાયાથી. અહીં પ્રધાન ઉપસર્જન ભાવ વિવક્ષાથી ભાવાર્થ જાણવો.
તેમાં જ્યારે મનથી અને વચનથી કરે નહીં, કરાવે નહીં ત્યારે મન વડે જ અભિસંધિરહિત જ વચન વડે પણ હિંસક ન બોલે, કાયા વડે જ દુહ્યેષ્ટિતાદિથી અસંજ્ઞિવત્ કરે છે.
જ્યારે મનથી અને કાયાથી ન કરે, ન કરાવે ત્યારે મનથી અભિસંધિ રહિત જ કાચા વડે દુશ્ચેષ્ટિતાદિ પરિહરતો અનાભોગથી વાચા વડે જ હિંસક બોલે. જો વાચા અને કાયાથી ન કરે, ન કરાવે ત્યારે મન વડે જ અભિસંધિને આશ્રીને કરે છે. અનુમતિ તો ત્રણે વડે પણ સર્વત્ર હોય જ છે. એ પ્રમાણે શેષ વિકલ્પો પણ કહેવા. દ્વિવિધ-એકવિધી, એકવિધ-ત્રિવિધી.
[૧૫૫૯] એકવિધ-દ્વિવિધથી. એકવિધ - એકવિધથી છ ભેદ થાય. પ્રતિપન્ન ઉત્તરગુણ સાતમો. અહીં સંપૂર્ણ - અસંપૂર્ણ ઉત્તરગુણ ભેદનો અનાદર કરીને સામાન્યથી એક ભેદ કહેલ છે. અવિરત સમ્યગ્દષ્ટિ એ આઠમો ભેદ છે.
[૧૫૬૦] આ રીતે આ આઠ ભેદો દેખાડ્યા. આનો જ વિભાગ કરાતા બત્રીશ થાય છે. કઈ રીતે ? તે કહે છે –
પાંચ અણુવ્રતો સમુદિત જ ગ્રહણ કરે. તેમાં ઉક્ત લક્ષણા છ ભેદો થાય છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
તથા અણુવ્રત ચતુષ્ટ્ય ગ્રહણ કરે તેમાં પણ છે. એ રીતે અણુવ્રત ત્રણ ગ્રહણ કરે. તેમાં પણ છ. એ પ્રમાણે અણુવ્રત બે ગ્રહણ કરે તેમાં પણ છ તથા કોઈ એક અણુવ્રત ગ્રહણ કરે, તેમાં પણ છ.
૧૫૦
આ પ્રમાણે અનેક પ્રકારે વ્રતોને ગ્રહણ કરે કેમકે શ્રાવકધર્મનું આ વૈચિત્ર્ય છે. અહીં પાંચ x છ = ત્રીશ ભેદો થયા. સ્વીકારેલ ઉત્તગુણ સાથે એકત્રીશમો ભેદ થયો અને - ૪ - કેવળ સમ્યગ્દર્શની સાથે એક ભેદ ઉમેરતા કુલ બત્રીશ ભેદ થાય.
- X -
[૧૫૬૧] આ મૂલગુણ અને ઉત્તરગુણનો આધાર સમ્યકત્વ છે. તેથી કહે છે – “નિસ્યંકિય નિક્સંખિય'' ગાથા. શંકાદિસ્વરૂપ ઉદાહરણ દ્વારથી આગળ અમે કહીશું.
વીવન - મહાવીર વર્ધમાનસ્વામીના પ્રવચનમાં આવા અનંતર કહેલાં બત્રીશ ઉપાસકો - શ્રાવકો કહેલાં છે.
૦ આ બત્રીશ પ્રકારના શ્રાવકો – કરણ ત્રિક, યોગ ત્રિક, કાળ ત્રિક વડે વિશેષિત કરાતા ૧૪૭ શ્રમણોપાસક થાય છે કઈ રીતે?
(૧) પ્રાણાતિપાત મનથી ન કરે અથવા પ્રાણાતિપાત વચનથી ન કરે અથવા પ્રાણાતિપાત કાયાથી ન કરે. એ ત્રણ.
(૨) પ્રાણાતિપાત મન અને વચનથી ન કરે અથવા પ્રાણાતિપાત મન અને કાયાથી ન કરે, અથવા પ્રાણાતિપાત વચન અને કાયાથી ન કરે એ ત્રણ. (૩) અથવા પ્રાણાતિપાત મન, વચન, કાયાથી ન કરે. એ એક
(૪) આ સાત ભંગો કરણથી કહ્યા. એ પ્રમાણે કરાવણ - કરાવવા વડે આ
જ સાત ભંગો ગણતાં કુલ ૧૪ ભંગો થાય.
(૫) એ પ્રમાણે અનુમોદનથી આ જ સાત ભંગો ગણતાં ૨૧ ભેદ થાય.
– અથવા –
(૧) મન વડે ન કરે, ન કરાવે.
(૨) વાન વડે ન કરે, ન કરાવે.
(૩) કાયા વડે ન કરે, ન કરાવે. (૪) મન, વચન વડે ન કરે, ન કરાવે. (૫) મન, કાયા વડે ન કરે, ન કરાવે. (૬) વાન, કાયા વડે ન કરે, ન કરાવે.
(૩) મન, વચન, કાયા વડે ન કરે ન કરાવે.
આ કરણ અને કરાવણથી સાત ભંગો થયા. એ પ્રમાણે કરણ અને અનુમોદથી સાત ભંગ થાય. એ પ્રમાણ કારાવણ અને અનુમોદથી સાત ભંગો થાય. એ પ્રમાણે કરણ-કરાવણ-અનુમોદથી સાત ભંગો થાય.
આ પ્રમાણે સાત સાત ભંગોથી ઓગણપચાશ વિકલ્પો થાય.
આમાં ૪૯-મો વિકલ્પ આ છે – પ્રાણાતિપાત મન, વચન અને કાયાથી સ્વયં