SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦૪/૨૯, નિં - ૧૪૦૧ વિશેષ એ કે – ગંડક અને મરુકનું દૃષ્ટાંત સંભવતું નથી. • નિયુક્તિ-૧૪૦૨ + વિવેચન : આ સામાન્યતર અસ્વાધ્યાયમાં જે સ્વાધ્યાય કરે છે, તે આજ્ઞા અનવસ્થાષ્ય, મિથ્યાત્વ અને વિરાધના પામે છે. ૯૩ ગાથા સુગમ છે. “અસ્વાધ્યાયિક બે ભેદે છે' ઈત્યાદિ મૂળ દ્વારગાથામાં પર સમુર્ત્ય અસ્વાધ્યાયિક દ્વાર વિવરણ કર્યુ. હવે આત્મસમુત્ય અસ્વાધ્યાયિક દ્વાર અવાવાર્થે કહે છે – • નિયુક્તિ-૧૪૦૩ * વિવેચન : આત્મસમુત્ય અસ્વાધ્યાયિક એકવિધ કે દ્વિવિધ હોય છે. તેમાં એકવિધ શ્રમણોને હોય છે અને દ્વિવિધ શ્રમણીને હોય છે. અહીં પૂર્વાદ્ધ સુગમ છે. પશ્ચાદ્ધની વ્યાખ્યા આ છે – શ્રમણોને એકવિધ તેના વ્રણમાં થાય છે. શ્રમણીને બે ભેદે તે વ્રણ અને ઋતુકાળથી થાય છે. આ વ્રણમાં વિધાન કરે છે – • નિયુક્તિ-૧૪૦૪-વિવેચન : પહેલો જે વ્રણ તે સો હાથથી બહાર ધોવાથી નિઃગલ કરાય છે. પછી ત્રણ બંધો પરિંગલિત થાય છે. ઉત્કૃષ્ટથી ગલનાન્વિતને કહે છે – તેમાં યતના હવે પછી કહેવાનાર લક્ષણરૂપ છે. વ્રણ બે ભેદે છે – સંભવ અને આર્તવ. બંનેમાં પણ એ પ્રમાણે પકયતના કરવી જોઈએ. • નિયુક્તિ-૧૪૦૫-વિવેચન : વ્રણ ધોવાતા નિષ્પગલમાં સો હાથથી બહાર પટ્ટક આપીને કહે છે. ફૂટવાથી પરિંગલમ્ થાય તે પટ્ટકમાં તેની ઉપર ભસ્મ નાંખીને ફરી પટ્ટક આપે [પાટો બાંધે એમ કહેલ છે. એ પ્રમાણે ત્રીજામાં પણ પાટો બાંધવો ઉક્ત ત્રણેમાં ત્યારપછી વાચના આપવી જોઈએ. ત્રીજી વખત પછી પણ [લોહી કે પરુ] ગળતા હોય તો સો હાથથી બહાર વ્રણ અને પાટો ધોઈને પછી વાચના આપે. અથવા બીજે ભણે. • નિયુક્તિ-૧૪૦૬ + વિવેચન : બીજો ભેદ શ્રમણીનો તેમાં આર્ત્તવ. ત્યાં પણ આ પ્રમાણે જ છે. વિશેષ એ કે ઉત્કૃષ્ટથી સાત બંધ કરવા જોઈએ. તો પણ આર્તવ ન રોકાય તો સો હાથથી બહાર ધોઈને ફરી વાંચના આપે. અથવા બીજે ભણે. • નિયુક્તિ-૧૪૦૭ + વિવેચન : એ પ્રમાણે કોઈપણ અસ્વાધ્યાયમાં પોતે સ્વાધ્યાય ન કરે. જો કોઈ અજયણાથી કરે છે, તો તે આજ્ઞાભંગાદિ દોષ પામે છે. ગાથા સુગમ છે. માત્ર આજ્ઞા ભંગાદિ દોષ ન લાગે, પરંતુ – • નિર્યુક્તિ-૧૪૦૮-વિવેચન : “શ્રુતજ્ઞાનમાં અનુપયાથી અભક્તિ થાય છે અથવા શ્રુતજ્ઞાન ભક્તિના આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ રાગથી અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય ન કરવો જોઈએ.” આ ઉપદેશ છે. તો પણ લોકધર્મ વિરુદ્ધ હોવાથી તેમ ન કરવું જોઈએ. અવિધિમાં પ્રમાદ જન્મે છે. તેમાં દેવતા છળ કરે છે. જેમ વિધાસાધનની વૈગુણ્યતાથી વિધા સિદ્ધ થતી નથી, તેમ અહીં પણ કર્મક્ષય ન થાય. E୪ ધર્મપણાથી - શ્રુતધર્મનો આ ધર્મ જે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાયનું વર્જન, તેમ કરે તો શ્રુતજ્ઞાનાચારને વિરાધે છે, તેથી ન કરવો. શિષ્ય કહે છે – જો દાંત, માંસ, લોહી આદિમાં અસ્વાધ્યાયિકનું શરીર તો આનાથી યુક્ત જ છે, તેથી સ્વાધ્યાય કેમ કરે ? • નિયુક્તિ-૧૪૦૯-વિવેચન = ચોદક [શિષ્ય]ના અભિપ્રાયના અનુમતાર્થે કહે છે – તમારું કથન સત્ય છે, તેનાથી યુક્ત શરીર છે, તો પણ તે શરીથી પૃથક્પ છે, તેનું વર્જન કરવું જોઈએ. પણ જે ત્યાં જ રહેલ છે, તેને ન વવા. આવું બતાવવા કહેલ છે. આ પ્રમાણે જ લોકમાં જોવાય છે, લોકોત્તરમાં પણ આવો જ અર્થ કરાયેલ છે. પણ બીજા કહે છે – • નિયુક્તિ-૧૪૧૦-વિવેચન : -- મળ-મૂત્ર આદિ અંદર રહેલાં છે, તેનાથી જ બહાર ઉપલિપ્ત કરી દેતા નથી. અનુપલિપ્ત જ રહે છે. વળી અંદર રહેલા હોવા છતાં તેમાં અર્ચના-પૂજા કરે જ છે. વળી બીજા કહે છે - • નિયુક્તિ-૧૪૧૧-વિવેચન : જે પ્રતિમા સન્નિહિત-દેવતા અધિષ્ઠિત છે, તે જો કોઈ પણ અનાદરથી જાણીને જ બહાર મળથી લિપ્ત કરીને તે પ્રતિમાને સ્પર્શે કે તે પ્રતિમાની અર્ચના-પૂજા કરે છે, તો તે સહન ન કરે, પણ પ્તિચિત્ત આદિ કરે છે, રોગ પણ ઉત્પન્ન કરે છે કે મારી પણ નાંખે છે. એ પ્રમાણે જે અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરે છે, તેને જ્ઞાનાચારની વિરાધનાથી કર્મબંધ થાય છે. આ તેમને પરલોકસંબંધી દંડ છે. આ લોકમાં પણ પ્રમતને દેવતા છળે છે. આજ્ઞાદિ વિરાધના તો નિયમા થાય જ છે. કોઈ આ પ્રશસ્ત કારણોથી અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરે છે. તે જણાવતા હવે કહે છે કે – • નિયુક્તિ-૧૪૧૨ + વિવેચન : રાગથી કે દ્વેષથી જે અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે છે અથવા દર્શન મોહથી મોહિત કહે છે કે – અમૂર્ત એવા જ્ઞાનની આશાતના શું થાય? તેમાં કયો અનાચાર છે ? તેમાં આ વિભાષા છે – [નિયુક્તિ-૧૪૧૩માં] • નિયુક્તિ-૧૪૧૩ + વિવેચન : બીજા વડે ગણી કે વાચક વ્યાÇિયમાણ થાય અથવા શબ્દાદિ વડે હષ્ટ, તુષ્ટ કે નંદિત થાય, તેનો અભિલાષી અસ્વાધ્યાયિકમાં પણ સ્વાધ્યાય કરે છે. એ પ્રમાણે
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy