SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય ૪/૨૬ ૨૨૧ ૨૨૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ મહામોહ બાંધે. (3) મસ્તકને વીંટીને, તીવ્ર અશુભ પરિણામોથી તે જીવને માસ્વો એટલે કે હિંસા કરવી. (૪) મસ્તકમાં મુદ્ભર આદિ વડે આઘાત કરીને મસ્તકને ભેદી નાંખે, દુ:ખમાચી હિંસા કરવી. (૫) ઘણાં લોકોનો જે નેતા-સ્વામી કે મુખીયો હોય, દ્વીપ-સમુદ્ર સમાન ડૂબતા એવાને આશ્વાસન સ્થાનરૂપ દ્વીપ સમાન ગાણ અર્થાત્ રક્ષણ આપનાર હોય, તેવા જીવની હિંસા કરે, તો તેવાની હિંસા કરતા ઘણાં, લોકોના સંમોહ કારણથી મહામોહને બાંધે છે. (૬) સાધારણ - સામાન્ય પ્લાનમાં પ્રભૂ-સમર્થ, ઉપદેશથી કે સકૃત કરણથી સાજો થાય, તો પણ મહા ઘોર પરિણામથી ઔષધની યાયનાદિ ન કરે, તે પણ મહામોહને બાંધે છે. • x - અહીં એક સાક્ષી પાઠ આપતા કહે છે - ભગવન્! જે ગ્લાનને પ્રતિચરે છે, તે ધન્ય છે કે જે આપના દર્શનને સ્વીકારે છે તે ધન્ય છે ? ગૌતમ ! જે ગ્લાનને પ્રતિચરે છે, તે મારા દર્શનથી યુક્ત જ છે અને જે દર્શનને સ્વીકારે છે, તે પ્લાનને પ્રતિયરે છે. આજ્ઞા કરણ સાર એ જ અરહંતનું દર્શન છે. તેથી આ અર્થને કારણે - હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે. - ૪ - (9) સાધુ-તપસ્વીને બળાત્કારથી શ્રુત અને રાત્રિ રૂપ ધર્મથી જે ભેદ પમાડે છે, તે મહામોહ પરિણામમાં ભ્રષ્ટ થઈને સમીપે રહીને મહામોહનીય કર્મ બાંધે છે. (૮) તૈયાયિક - જ્ઞાનાદિ લક્ષણ નયનશીલ માર્ગને દૂપણ પ્રકારથી પોતાને કે બીજાને વિપરિણામિત કરતો અપકારમાં વર્તે છે, o જ્ઞાન - કાયા, વ્રતો તે જ છે, ઈત્યાદિ વડે. ૦ દર્શન - આ જીવો અનંત છે, કઈ રીતે અસંખ્યાત પ્રદેશિક લોકમાં રહે ? ઈત્યાદિ વડે. 0 ચાસ્ત્રિ - જીવ ઘણાં છે, કઈ રીતે અહિંસકવ થાય, માટે ચારિત્રનો અભાવ છે ઈત્યાદિ વડે. ઉક્ત રીતે માર્ગને દૂષિત કરતો મહામોહ બાંધે. (૯) જિન - તિર્થંકર અને અનંતજ્ઞાની - કેવલી આ બંનેનો જે અવર્ણ વાદ - નિંદા કરે, મહાઘોર પરિણામથી કહે છે કે – અનંતવથી કઈ રીતે જાણવું, તેથી સર્વ અર્થ અને જ્ઞાનનો અભાવ જ છે. તથા - હજી પણ જ્ઞાન દોડી રહ્યું છે, હજી પણ લોકો અનંત છે, હજી પણ તમે કોઈએ જીવની સર્વજ્ઞતાને પામી નથી. આવરણો ક્ષીણ થતાં જિનેશ્વરો એક સાથે લોક અને અલોકને પ્રકાશે છે, તે ધનપટલ દૂર થતાં સૂર્યના પરિમિત દેશ સમાન છે. (૧૦) આચાર્ય, ઉપાધ્યાયની ખ્રિસા, નિંદા કરે. આ બધાં બહુશ્રુતો છે, તો પણ અમને આ બધાંની સાથે કંઈપણ, ક્યાંય પણ અપહાર કરે છે. ઈત્યાદિ બોલે. (૧૧) આચાર્ય, ઉપાધ્યાય, પરમબંધુ, પરમોપકારી, આ બધાં ગુણોથી પ્રભાવિત છે, તો પછી તેમને કાર્ય ઉત્પન્ન થતાં આહાર અને ઉપકરણાદિથી સમ્યક પરિતૃપ્ત કેમ થતાં નથી. (૧૨) વારંવાર અધિકરણ, જ્યોતિકાદિ ઉત્પાદને કહે, જ્ઞાન આદિ માર્ગની વિરાધના કરતા તીર્થભેદને કરે. (૧૩) વશીકરણ આદિ લક્ષણને પ્રયોજે, વારંવાર આ પ્રમાણે કરતાં મહામોહને બાંધે. (૧૪) કામ એટલા ઈચ્છા, મદન ભેદ ભિન્ન, જેનો ત્યાગ કરીને • વમીને પ્રવજ્યાને પ્રાપ્ત કરેલી છે, છતાં તે કામની અભિલાષા ઈહભવિક અને અન્યભવિકની કરે છે. (૧૫) વારંવાર “હું બહુશ્રુત છું” એ પ્રમાણે બોલે છે. બીજા કોઈ તેને પૂછે કે શું તમે બહુશ્રુત છો ? તો ‘હા’ પાડે અથવા મૌન થઈને ઉભો રહી જાય, જેથી સાધુઓ તેને બહુશ્રુત કહે. એમ પોતાની જાતે ‘બહુશ્રુત' બતાવે. (૧૬) બહુશ્રુત ન હોવા છતાં જેમ બહુશ્રુત કહેવડાવે, તે રીતે અતપસ્વી છતાં પોતાને તપસ્વી બતાવે. (૧) જે ઘરમાં ઘણાં લોકો રહેલા હોય, ત્યાં અંદર ધુમાડો વિકુવ, તેમની હિંસા કરે. (૧૮) અકૃત્ય - પ્રાણાતિપાતાદિ પોતે જાતે કરીને પછી બીજાએ કર્યા છે, તેવા આળ ચડાવે. (૧૯) નિકૃતિ - અન્યથા કરણ લક્ષણા માયા, ઉપાધિ એવી રીતે કરે છે, જેથી તે બીજા દ્વારા કરાયેલ છે તેમ જાણે. ઈત્યાદિ રીતે બીજાની વંચના - છેતરપીંડી કરે. (૨૦) અશુભ મનોયોગયુક્ત રહે. (૨૧) સભામાં બધું જ મૃષા બોલે. (૨૨) ઝંઝા - કલહ. અક્ષીણકલહ – સદા કલહ કરતો એવો તે મહામોહને બાંધે છે. (૨૩) જીવોને વિશ્વાસ પમાડીને કોઈ સાથે અતુલ પ્રીતિ કરીને જેની સાથે પ્રીતિ હોય તેને લોભાવે છે. (૨૪) માર્ગમાં પ્રવેશતો જાણીને વિશ્વાસ પમાડીને તેના ધન, સુવર્ણાદિનું હરણ કરે, હાથ છેદી નાંખે. (૨૫) કુમાર હોવા છતાં પોતાને ‘કુમાર' કહેવડાવે. (૨૬) અબ્રહ્મચારી હોવા છતાં પોતાને બ્રહ્મચારી મનાવે. (૨૭) જેની પાસેથી શ્ચર્ય પામે, તેને જ લોભાવીને ધતે. (૨૮) જેના પ્રભાવથી ઉત્થિત થાય, તેને જ કોઈ પ્રકારે અંતરાય ઉભા કરી
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy