SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા-નિ ૪૪ પદાર્થને જાણે છે, માટે તેમાં દોષ નથી. - x • આ પ્રમાણે પરમ અવધિનો દ્રવ્યાશ્રિત વિષય કહ્યો. હવે ક્ષેત્ર-કાળ આશ્રિત બતાવે છે – • નિયુક્તિ -૪૫ - પરમાવધિ ક્ષેત્રથી લોકપ્રમાણ અસંખ્યાત ખંડો, કાળથી અસંખ્યાત, દ્રવ્યથી રૂપી, સ્ત્ર પ્રમાણ અગ્નિજીવોની ઉપમાથી જાણવું. • વિવેચન-૪૫ - પરમ એવી આ અવધિ તે પરમાવધિ, અવધિ અને અવધિજ્ઞાનીના અભેદ ઉપચારથી આ પરમાવધિ ક્ષેત્રથી અસંખ્યાત લોક માગ ખંડોને જાણે. કાળથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીને જાણે. દ્રવ્યથી મૂર્તદ્રવ્યોને જાણે. તેથી પરમાણુથી માંડીને બધાં ભેદ સહિત પગલાસ્તિકાયને જાણે, ભાવથી હવે કહેવાનાર પર્યાયોને જાણે. • x • અગ્નિ જીવોનું સ્વરૂપ પૂર્વવત્ જાણવું. પ્રિનુ રૂપગત સર્વને જાણે. તેમ અનંતર ગાથામાં જણાવેલ છે જ, તો અહીં ફરી કેમ જણાવ્યું ? બીજું રૂપગત દ્રવ્ય નથી, તે બતાવવા કહ્યું છે. અથવા પૂર્વ ગાથામાં એક પ્રદેશાવગાઢાદિ પરમાવધિનું દ્રવ્ય પરિમાણ કહ્યું, અહીં તે “રૂપગત બધાં દ્રવ્યો જાણે” તે ક્ષેત્ર, કાળ બંનેનું વિશેષણ કહ્યું. તેનો સાર એ છે કે - રૂપી દ્રવ્યાનુગત લોકમાત્ર અસંખ્યય ખંડ ઉત્સર્પિણી અવસર્પિણી લક્ષણ ક્ષેત્ર કાળ બંનેને જુએ, પુદ્ગલ દ્રવ્યોને નહીં. કેમકે અરૂપીપણું છે અને અવધિજ્ઞાન રૂપી દ્રવ્ય નિબંધનપણે છે. આ પ્રમાણે પુરુષાશ્રયી ક્ષાયોપથમિક અવધિ અનેકભેદે છે. હવે તિર્યંચને આશ્રીને કહે છે – • નિયુક્તિ-૪૬ : તિર્યંચ યોનિમાં ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની આહાર અને તૈજસ દ્રવ્યોને જુએ છે. નારકમાં એક ગઉ અને ઉત્કૃષ્ટ એક યોજન જાણવું. • વિવેચન-૪૬ : આહાર, તૈજસ ગ્રહણ કરવાથી દારિક, વૈક્રિય, હાક અને તૈજસ દ્રવ્યો લેવા. તેથી આહાર અને તૈજસનો લાભ તિર્યય યોનિમાં છે. તેનો અર્થ એ છે કે- તિર્યંચયોનિમાં જે અવધિજ્ઞાન છે, તે ઉત્કૃષ્ટથી દ્રવ્યથી આહાક અને તૈજસ શરીરના દ્રવ્યોને જાણે. હવે ભવપ્રત્યય અવધિનું સ્વરૂપ કહે છે. તે દેવ અને નારકોને હોય છે. તેમાં નાકોને થોડું હોય છે, માટે તેને પ્રથમ કહે છે, તે જઘન્યથી ગાઉને જાણે છે. “જે નરોને બોલાવે તે નાક” તેમને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન એક યોજનનું હોય. તેનો સાર એ કે- નારકીમાં થતું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન મથી એક યોજના છે. અહીં પૂર્વે કહેલ છે તેમ દ્રવ્યપર્યાયો આદિ સંબંધી પણ જાણવું. આ પ્રમાણે નાકજાતિને આશ્રીને જઘન્ય ઉત્કૃષ્ટ ભેદ કહ્યો. હવે રતનપ્રભા પૃથ્વીને આશ્રીને કહે છે - • નિયુક્તિ -૪૩ - ચાર ગાઉં, સાડા ત્રણ ગાઉં, ત્રણ ગાઉ, અઢી ગાઉ, બે ગાઉ, દોઢ ગાઉ, આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ એક ગાઉ એ ક્રમે પહેલીથી સાતમી નરક સુધી ઉતકૃષ્ટાવધિ હોય. • વિવેચન-૪૭ : નરક તે નારકને રહેવાના સ્થાનો. તે સાત પૃથ્વીના આધાપણે હોવાથી સાત ભેદે છે. તેમાં રનપ્રભાદિ આધારવાળા નકોમાં અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય ભેદથી અવધિનું ક્ષેત્ર પરિમાણ કહ્યું છે. નરક કહેવાથી નાકીના જીવો ત્યાં રહ્યા છે, તે લેવા. તેમાં પહેલી રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર ચાર ગાઉ અને જઘન્યાવધિ all ગાઉ છે. એ પ્રમાણે શર્કરાપભામાં ઉત્કૃષ્ટ 3 ગાઉ, જઘન્ય ૩-ગાઉ છે. એમ સર્વત્ર ઉકાટમાં અડધો ઘટાડતાં જઘન્યમાં છેવટે મહાતમપ્રભા નાકમાં ઉત્કૃષ્ટ અવધિ ૧ ગાઉ અને જઘન્ય અડધો ગાઉ આવે. રત્નપ્રભા નરકાદિ જાતિ અપેક્ષિત એકવચન છે. [પ્રશ્ન] ઉત્કૃષ્ટથી યોજના અને જઘન્યથી રૂપા ગાઉં, એમ શાથી કહ્યું ? (ઉત્તર) સૂગથી તે પ્રમાણે છે. તતા કહ્યું છે – ભગવત્ ! રનપભા પૃથ્વી નૈરયિક અવધિજ્ઞાન વડે કેટલાં ક્ષેત્રને જુએ અને જાણે ? ગૌતમ! જઘન્યથી 3 ગાઉ અને ઉત્કૃષ્ટથી ૪-ગાઉ. ઈત્યાદિ • x • જ્યાં જઘન્ય અવધિજ્ઞાન નારકોનું ૧-ગાઉ કહ્યું, ત્યાં વાંધો આવશે ? [ઉત્તર) ના, ત્યાં જઘન્યથી olી ગાઉ છે, માટે દોષ નથી. આથી જાણવું કે - સાતમી નરકમાં ઉત્કૃષ્ટ ઉગાઉ કહ્યું. ત્યાં જઘન્યતી oil ગાઉ સમજી લેવું. નાસ્કીનું કહ્યું, હવે દેવસંબંધી ભવપ્રત્યય કહે છે – • નિયુક્તિ -૪૮ થી ૫૦ - શક અને ઈશાન પહેલી નક સુધી, સનતકુમાર અને મહેન્દ્ર બીજી સુધી, બ્રા અને લાંતક ત્રીજી સુધી, શુક્ર અને સહસ્ત્રાર ચોથી સુધી, અનિતા અને પ્રાણત પાંચમી સુધી, આરણ-ટ્યુત પણ પાંચમી સુધી પણ વિમલતર અને ઘણું વધારે અવધિજ્ઞાાનથી જુએ. અધો અને મધ્યમ વયકતાા છડી સુધી, ઉવમિવાળા સાતમી સુધી, અનુત્તરદેવો સંપૂર્ણ લોકનાડીને જુએ. • વિવેચન-૪૮ થી ૫૦ : શક અને ઈશાન એટલે સૌધર્મ અને ઈશાન કલ્પે રહેલા સામાનિક આદિ દેવતાઓ સ્વ અવધિજ્ઞાન વડે રત્નપ્રભા પૃથ્વી સુધી જુએ છે. સનતુ કુમાર અને માહેન્દ્રકલાના દેવાધિપને આશ્રીને તેના સામાનિકાદિ દેવો બીજી પૃથ્વીને અવધિજ્ઞાન વડે જુએ છે. એ રીતે સ્માર્યવત્ બધે સમજવું. લોકપુરાની ગ્રીવા સ્થાને રહેલા તે પૈવેયક વિમાનો. તેના અધો અને મધ્યમ પ્રવેયકના દેવો તમોપભા નામે છઠ્ઠી નક સુધી જુએ છે. ઉપરના રૈવેયકવાસી દેવો સાતમી નાક સુધી જુએ છે. અનુત્તર વિમાનવાસી દેવો ચૌદ રાજલોક તે કન્યાના ચોલક સંસ્થાન સમાન અવધિજ્ઞાન વડે લોકનાડીને જુએ છે. “દેવ’ શબ્દનું ગ્રહણ ત્યાં રહેલ એકેન્દ્રિયોના વર્જન માટે કરેલ છે. એ પ્રમાણે ક્ષેત્રાનુસારથી દ્રવ્યાદિ પણ જાણવી. એ રીતે વૈમાનિક અવધિનું અધો ક્ષેત્રપમાણ કર્યું. હવે તીર્ણ અને ઉd
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy