SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યe ૪/૨૩ ૧૬૭ વિષયક સમિતિ અર્થાત્ સુંદર ચેષ્ટા. અહીં સાત ભંગો થાય છે - પાકા આદિ પડિલેહણ ન કરે, ન પમાછૅચઉભંગી છે. તેમાં ચોથામાં ચાર ગમો છે – પ્રતિલેખિત, ૬૫માર્જિતની ચતુર્ભગી. પહેલાં જ અપ્રશસ્ત છે, છેલ્લો પ્રશસ્ત છે. (૫) ઉચ્ચાર - પ્રાવણ-લેખ-સિંઘાન-મેલના પરિઠાપન વિષયક સમિતિઅથતુિ સુંદર ચેટ, તેનાથી. અહીં ઉચ્ચાર-વિષ્ટા, પ્રસવણ-મૂત્ર, ગ્લેમ-બળખા, સિંઘાન-નાકનો મેલ, જલ-મલ. અહીં પણ ઉક્ત સાત ભંગો જ લેવા. o અહીં ઈસમિતિના વિષયમાં એક દષ્ટાંત છે - એક સાધુ ઈયસિમિતિ વડે યુક્ત હતા. શકનું આસન ચલિત થયું. શક એ દેવોની વચ્ચે પ્રશંસા કરી. ત્યારે તે સાધુની પ્રશંસા કરી તેની કોઈક મિથ્યાદૃષ્ટિ દેવે શ્રદ્ધા ન કરી. દેવલોકથી આવીને તે દેવ માખી પ્રમાણ દેડકીને વિદુર્વે છે. સાધુની પાછળ હાથીને વિકુર્તીને છોડે છે. તે સાધુ ઈસમિતિ પાલન કરતાં ચાલે છે, ગતિ ભેદ કરતા નથી. હાથીએ ઉપાડીને પાડી દીધા. પણ સાધુને શરીરની સ્પૃહા નથી. માત્ર દુ:ખ છે કે – મારા પડવાથી જીવો મર્યા. એમ જીવદયા પરિણત રહે છે. અથવા ઈયમિત અરહન્નક છે, દેવીએ પગને છેદી નાંખ્યા. o ભાષાસમિતિ - સાધુ હતા, ભિક્ષાર્થે નીકળ્યા, નગર સંઘેલ હતું. કોઈક નિર્ગસ્થ બહાર કટકમાં ચાલતા હતા, કોઈએ પૂછ્યું - કેટલા હાથી, ઘોડા, ઘાન્યાદિ છે? સાધએ કહ્યું - સ્વાધ્યાય-ધ્યાન યોગથી વ્યાક્ષિપ્ત હોવાથી હું કંઈ જાણતો નથી. o એષણા સમિતિ - વસુદેવના પૂર્વજન્મમાં એષણા સમિતિનું ઉદાહરણ છે. મગધમાં નંદીગ્રામે ગૌતમ નામે એક ચકકર બ્રાહ્મણ હતો. તેની પત્ની ધારિણી હતી. કોઈ દિવસે તેમઈને ગર્ભ રહ્યો. તે બ્રાહ્મ મરીને તે ગર્ભમાં જ જમ્યો. મામાએ ઉછેર્યો. લોકો તેને કહેતા કે અહીં તારું કોઈ નથી. ત્યારે મામાએ તેને કહ્યું કે લોકોની વાત ન સાંભળવી. હું તને મારી મોટી દીકરી પરણાવીશ. હું તને કહું તે કામો કર. સમયે તારો વિવાહ ગોઠવી દઈશું. તે મોટી પુત્રી, તેની સાથે વિવાહ કરવા ઈચ્છતી નથી. તે બ્રાહ્મણ વિષાદ પામ્યો. મામાએ કહ્યું - હું મારી બીજી પુત્રી પરણાવીશ, તું ચિંતા ન કર. તે પ્રમાણે તે બીજી પુત્રી પણ તેની સાથે પરણવા ઈચ્છતી નથી. એ પ્રમાણે બીજી પુત્રી પણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી. સંસારથી ખેદ પામીને તે ધિજાતીય બ્રાહ્મણે નંદીવર્ધન આચાર્ય પાસે દીક્ષા લીધી. તે છઠ્ઠું-અમનો તપસ્વી થઈ આ અભિગ્રહ લે છે . માટે બાળ અને ગ્લાન આદિની વૈયાવચ્ચ કરવી. તીવ્ર શ્રદ્ધાથી તે નિંદીપણ વૈયાવચ્ચ કરે છે. વિખ્યાત યશવાળો થયો. શક છે દેવસભામાં તેની પ્રશંસા કરી. કોઈ દેવને શકના વચનમાં શ્રદ્ધા ન થતાં તે નીચે આવ્યો. બે શ્રમણના સ્પો વિવ્ય. એકને અતિસારનો રોણી બનાવી અટવીમાં રાખ્યો અને બીજો તે વૈયાવચ્ચી મતિ પાસે આવ્યો. એક ગ્લાસ સાધ છે, જો તું વૈયાવચ્ચ કરે તો. નંદીપેણ મુનિ તે સાંભળી જલ્દી ઉભા થયા. છટ્ઠના પારણે આહાર લઈને આવેલા, કોળીયો લેવા જતા હતા, સાંભળતા જ બોલ્યા - ચાલો, શું કાર્ય છે ? ૧૬૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 તે દેવ-સાધુ બોલ્યો, ત્યાં પાનકદ્રવ્ય - પાણી નથી, તેનો અમારે ખપ છે. નંદીષેણ મુનિ પાણી લેવાને માટે નીકળ્યા. નિર્દોષ પાણીની ગવેષણા કરતા ફરે છે, દેવ પાણીને અનેષણીય કરતો જાય છે. આ પ્રમાણે એક વખત ભ્રમણ કર્યું, બીજી વખત કર્યું એમ કરતાં ત્રીજી વખત ભ્રમણ કરતાં નિર્દોષ પાણી પ્રાપ્ત થયું. અનુકંપાથી તુરંત જ તે રોગગ્રસ્ત સાધુ પાસે પહોંચી ગયા. તે ગ્લાન સાધુ કઠોર અને નિષ્ફર વચનોથી આક્રોશ કરતો રોપાયમાન થઈ બોલે છે - હે મંદભાગ્ય ! ખાલી-ખાલી નામ માત્રથી જ તું વૈયાવચ્ચી છો. “સાધુ ઉપકારી છો” એમ માનતો ફોગટ ફૂલાય છે. મારી આવી અવસ્થામાં પણ તું ભોજન લોલુપતા છોડતો નથી. નંદીષેણ મુનિ, તે સાધુની વાણીને અમૃત સમાન માનતો, તે કઠોર વાણી સહન કરતો, તે ગ્લાન મુનિના પગ પાસે જઈને તેમને ખમાવે છે, તે મુનિની અશુચિનું પ્રક્ષાલન કરે છે. વિનંતી કરે છે, ઉઠો, આપણે ચાલીએ હું કેવી સેવા કરીશ કે થોડાં જ કાળમાં આપ નીરોગી થઈ જશો. - ગ્લાન મુનિ કહે છે કે – હું જવા માટે શક્તિમાનું નથી, મને પીઠે બેસાડી દે. નંદીષેણ તેમને પીઠે બેસાડે છે. ત્યારે તે મુનિ વિષ્ઠા છોડે છે. તે પરમ અશુચિ દુધી વાળી વિઠા છોડતો નંદીષણમુનિની પીઠ બગાડે છે અને કઠોર વાણી બોલે છે. હે મુંડિત ! તને ધિક્કાર છે. વેગમાં વિઘાત કરીને મને દુ:ખમાં પાડ્યો. એમ ઘણો બધો આક્રોશ કરે છે. નંદિષેણ મુનિ તેને ગણકારતા નથી. તેમને દોષ પણ દેતા નથી. વિષ્ઠાદિ ગંધને ચંદન સમાન માનતા મિચ્છામિ દુક્કડં આપે છે અને વિચારે છે કે હું શું કરું ? કઈ રીતે આ સાધુને સમાધિ થાય ? તેણે એષણા સમિતિનું ઉલ્લંઘન ન કર્યું. આ પ્રમાણે એષણા સમિતિમાં પ્રયત્નો કરવા જોઈએ. અથવા આ બીજું પણ એક ઉદાહરણ છે. જેમકે- કોઈક પાંચ સંયતો તૃણા અને ઘા વડે માર્ગમાં કલેશ પામતા કોઈ એક ગામમાં વિકાસે પહોંચ્યા. પાણીની માર્ગણા-ગવેષણા કરે છે પણ તે લોકો તેને અનેષણીય કરી દે છે. તે સંયતો તેવા પાણીને ગ્રહણ કરતાં નથી. બીજે ક્યાંયથી પણ પાણી ન મળતા તેઓ તૃષાથી અભિભૂત થઈ કાળધર્મ પામ્યા. ચોથું ઉદાહરણ - આચાર્યએ સાધુને કહ્યું- ગામમાં જા. ઉજ્ઞાહિત કરાતા કોઈ કારણે ત્યાં રહ્યા. એકે ત્યાં પડિલેહણ કરીને સ્થાપવાનો આરંભ કર્યો. સાધુએ તેને ટપારીને કહ્યું – કેમ શું અહીં સાપ રહે છે. નીકટ રહેલા દેવે સાપ વિકર્યો. આ જઘન્ય અસમિત. બીજાએ તે જ સ્થાન વિધિથી પડિલેહણ કરીને સ્થાપ્યું તે ઉત્કૃષ્ટ સમિત અહીં એક ઉદાહરણ છે - એક આચાર્યને પno શિષ્યો હતા. તેમાં એક શ્રેષ્ઠીત્રએ દીક્ષા લીધી હતી. તે જ્યારે જે સાધુ આવે તેનો તેનો દંડ રાખે. એ પ્રમાણે તે ઉભો થાય. પછી બીજો આવે.પછી બીજો આવે, તો પણ તે મુનિ ભગવંત અત્વરિત, અચપલ, ઉપપ્નીચે પ્રમાજીને દંડને સ્થાપે. એ પ્રમાણે ઘણાં કાળે પણ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy