SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૪/૨૨, ધ્યાનશતક-૧૦૫ - સૂત્ર-૨૨ : કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વૈર્ષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી એ પાંચ ક્રિયાઓનું હું પ્રતિક્રમણ કરું છું. • વિવેચન-૨૨ : હું પ્રતિક્રમું છું [શું ?] પાંચ ક્રિયા વડે - પ્રવૃત્તિ રૂપથી જે અતિયાર થયા હોય. તે ક્રિયા કાયિકી આદિ પાંચ છે. (૧) કાયા વડે થતી તે કાયિકી તે ત્રણ પ્રકારે છે – અવિરતકાયિકી, દુપ્પણિહિત કાયિકી, ઉપરત કાયિકી. તેમાં મિથ્યાર્દષ્ટિને અને અવિરત સમ્યક્ દૃષ્ટિને અવિરત કાયિકી ક્રિયા લાગે. બીજી દુપ્પણિહિત કાયિકી ક્રિયા પ્રમત્ત સંયતને હોય. તે પણ બે ભેદે છે – ઈન્દ્રિય દુપ્પણિહિત અને નોઈન્દ્રિય દુપ્પણિહિત. તેમાં શ્રોત્ર આદિ વડે ઈષ્ટાનિષ્ટ વિષયની પ્રાપ્તિમાં જે કંઈક સંગ નિર્વેદ દ્વારથી અપવર્ગ માર્ગ પ્રતિ જે દુર્વ્યવસ્થિત કાયિકી તે ઈન્દ્રિય દુપ્પણિત છે અને મન વડે દુપ્પણિહિત શુભાશુભ સંકલ્પ દ્વારથી દુર્વ્યવસ્થિત તે નોઈન્દ્રિયદુપ્પણિહિત ક્રિયા છે. ત્રીજી જે અપ્રમત્ત સંયતને સાવધયોગથી નિવૃત્ત થતાં જે લાગે તે ઉપરતકાયિકી. ૧૬૩ (૨) અધિકરણિકી - જેના વડે આત્મા નસ્કાર્ટિમાં લઈ જવાય તે અધિકરણ અનુષ્ઠાન કે બાહ્ય વસ્તુ, તેના વડે થાય તે અધિકરણિકી તે બે ભેદે છે – પ્રવર્તિની અને નિર્તિની. તેમાં પ્રવર્તિની તે ચક્રમહોત્સવ, પશુ બંધાદિ છે. નિર્તિની તે ખડ્ગ આદિથી છે. આ બંને અંતપાતિત્વથી તેનું અધિકરણિકીપણું કહ્યું. (3) પ્રાદ્વૈર્ષિકી - પ્રદ્વેષ એટલે મત્સર, તેનાથી નિવૃત્ત તેને પ્રાદ્ધેપિકી કહે છે. તે પણ બે ભેદે છે – જીવ પ્રાદ્ધેષિકી, અજીવ પ્રાદ્ધેપિકી. પહેલીમાં જીવ પ્રતિ દ્વેષ થાય છે. બીજીમાં અજીવ પ્રતિ દ્વેષ થાય છે. જેમકે પત્થરાદિમાં પડતાં, દ્વેષ થવો. (૪) પરિતાપન - તાડનાદિ દુઃખવિશેષરૂપ, તેનાથી થતી ક્રિયા તે પાતિાપનિકી, તેના બે ભેદ – સ્વદેહ પારિતાપનિકી, પરદેહ પારિતાપનિકી. પહેલીમાં પોતાના દેહમાં પરિતાપન કરે છે, બીજીમાં પરદેહમાં પરિતાપન કરે છે. બીજો રોપાયમાન થઈને પણ સ્વદેહમાં કોઈક જડ પસ્તિાપન કરે. અથવા સ્વહસ્ત પરિતાપનિકી, પરહસ્તપરિતાપનિકી. (૫) પ્રાણાતિપાત – હિંસા, તે સંબંધી ક્રિયા તે પ્રાણાતિપાતિકી. આ પણ સ્વ અને પર બે ભેદે છે. પહેલીમાં પોતાની હિંસા કરે છે. બીજીમાં પરની હિંસા કરે છે. તથા કોઈ નિર્વેદથી કે સ્વર્ગાદિ માટે પર્વત ઉપરથી પડવા આદિ વડે સ્વ હિંસા કરે છે. ક્રોધાદિ વશાત્ પર-હિંસા કરે છે. ક્રોધથી રોષિત થઈ હિંસા કરે. માનથી જાત્યાદિ વડે હીલના કરે. માયાથી વિશ્વાસ વડે અપકાર કરે. લોભથી કાયવત્. મોહથી સંસાર મોચક યાગ કરે. એ રીતે પાંચે ક્રિયા કહી. ક્રિયાના અધિકારથી વીસ ક્રિયા બતાવે છે - (૧) આરંભિકી – બે ભેદે છે. જીવારંભિકી, અજીવારંભિકી. તેમાં જે જીવોનો આરંભ-હિંસા કરે, તે જીવારંભિકી અને અજીવોનો આરંભ કરે તે અજીવ આરંભિકી ક્રિયા છે. (૨) પારિંગ્રહિકી ક્રિયા બે ભેદે જીવ, અજીવ જીવોનો પરિગ્રહ કરે તે જીવપારિંગ્રહિકી, અજીવોનો પરિગ્રહ કરે તે અજીવ પારિંગ્રહિકી, (૩) માયા પ્રત્યયિકી - ૧૬૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ – આત્મ ભાવ વંચનતા અને પરભાવ વંચનતા. આત્માના ભાવોને ગોપવે પણ બે ભેદે અને માયાવી ઋજુભાવને દર્શાવ, સંચમાદિમાં શિથિલ કરણનો ફટાટોપ દર્શાવ તે આત્મવંચનતા ક્રિયા. તેવું-તેવું આચરે, જેનાથી બીજો છેતરાય તે પરવંચનતાક્રિયા. (૪) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા પણ બે ભેદે – અનભિગૃહીત અને અભિગૃહીત અસંજ્ઞી કે સંજ્ઞીમાં પણ જે કંઈ કુતીર્થિક મતને ન સ્વીકારે તે અનભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી અને અભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયિકી બે ભેદે - હીનાતક્તિ દર્શનમાં અને તદ્બતિક્તિ દર્શનમાં. 'દીન' જેમકે અંગુઠાના પર્વ જેટલો જ આત્મા છે. સવ માત્ર જ આત્મા છે આદિ. ધિ - આત્મા ૫૦૦ ધનુપ્ કે સર્વગત છે. અકર્તા છે. એ પ્રમાણે હિનાતિક્તિ દર્શન જાણવું. તેનાથી વ્યતિક્તિ દર્શન તે । – આત્મા કે આત્માનો ભાવ નથી. આ લોક કે પરલોક નથી. બધાં ભાવો અાત્ સ્વભાવવાળા છે. ઈત્યાદિ. - (૫) અપ્રત્યાખ્યાન ક્રિયા - અવિતોને જ હોય. તેમાં કોઈને વિરતિ ન હોય. તે બે ભેદે છે જીવ અપ્રત્યાખ્યાનક્રિયા, અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા. કોઈ જીવ કે અજીવને વિરતિ હોતી નથી. (૬) દૃષ્ટિના ક્રિયા બે ભેદે જીવ દૃષ્ટિજા, અજીવ દૃષ્ટિજા. જીવદૃષ્ટિજા - અશ્વાદિને ચક્ષુર્દર્શન પ્રત્યયથી થાય છે. અજીવ દૃષ્ટિજા ચિત્રકર્માદિ વડે થાય છે. (૭) પૃષ્ટિજા કે પ્રાશ્નિકી ક્રિયા- તે બે ભેદે - જીવ પ્રાશ્વિકી અને અજીવ પ્રાન્તિકી. જીવપ્રાન્તિકી - જેમાં રાગથી કે દ્વેષથી જીવાધિકાર પૂછે છે અને અજીવમાં અજીવાધિકાર પૂછે. અથવા પૃષ્ટિજા એટલે સૃષ્ટિજા - સ્પર્શન ક્રિયા. તેમાં જીવ સ્પર્શન ક્રિયા સ્ત્રી, પુરુષ કે નપુંસકમાં સંવર્તન કરે છે તેમ કહેલ છે. અજીવોમાં સુખ નિમિત્તે મૃગના રોમાદિથી વસ્ત્ર બનાવે, મોતી કે રત્નો મેળવે તે. (૮) પ્રાતીત્યિકી ક્રિયા બે ભેદે – જીવ પ્રાતીત્યિકી, અજીવ પ્રાતીત્યિકી. જીવને આશ્રીને જે બંધ, તે જીવ પ્રાતીત્યિકી. અજીવને આશ્રીને જે રાગ-દ્વેષનો ઉદ્ભવ તે અજીવ પ્રાતીત્યિકી ક્રિયા. (૯) સામંતોપનિયાતિકી-સમંતાત-ચોતરફથી અનુપતતિ - પડે છે તે. આ ક્રિયા બે ભેદે છે – જીવ સામંતોષનિપાતિકી અને અજીવ સામંતોષનિપાતિકી. જેમાં એક ખંડના લોકો જેમ જેમ પ્રલોકે અને પ્રશંસે છે, તેમ તેમ હર્ષને પામે છે. અજીવોમાં સ્થ કર્માદિ છે. અથવા સામંતોપનિયાતિકી ક્રિયા બે ભેદે છે – દેશથી અને સર્વથી સામંતોપનિપાતિકી, પ્રેક્ષકો પ્રતિ જેમાં એક દેશથી સંયતોનું આગમન થાય તે દેશસામંતોપનિષાતિકી અને જેમાં ચોતરફથી પ્રેક્ષકોનું આગમન થાય તે સર્વસામંતોષનિપાતિકી અથવા પ્રમત સંયતોને અન્નપાન પ્રતિ અનાચ્છાદિતા સંપાતિમાં જીવો વિનાશ પામે તેને સર્વ સામંતોપ નિપાતિકી ક્રિયા કહે છે. (૧૦) નૈઃશસ્ત્રિકી ક્રિયા બે ભેદે છે – જીવ નૈઃશસ્ત્રિકી, અજીવ નૈઃશસ્ત્રિકી. તેમાં જીવ નૈઃશસ્ત્રિકી તે રાજાદિની આજ્ઞાથી જેમ યંત્રાદિથી જળ કાઢવું. અજીવ નૈઃશસ્કિી - જેમ પાષાણકને ગોફણથી, ધનુષાદિથી ફેંકવું અથવા નૈઃશસ્ત્રિકી - જેમ પાષાણને ગોફણથી, ધનુષાદિથી ફેંકવું અથવા નૈઃશસ્ત્રિકી તે જીવથી જીવ નીકળે તે - પુત્રાદિ. (૧૧) સ્વાહસ્તિકી ક્રિયા બે ભેદે જીવ સ્વાહસ્તિકી, અજીવ સ્વાહસ્તિકી. - -
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy