________________
અધ્ય૰ ૪/૨૧, ધ્યાનશતક-૬
'ત્ર' શબ્દથી પૂર્વે પણ વિયુક્ત-અસંપ્રયુક્તથી અતીતકાળ કહ્યો.
દ્વેષ મલીન - અપ્રીતિલક્ષણ રૂપ દ્વેષ, તેનાથી મલિન, તેથી આક્રાંત થઈ ઋત' - દુઃખી, પહેલો ભેદ કહ્યો. હવે બીજો કહે છે –
. ગાથા-૭ -
૧૩૫
શૂળ, શીર્ષ, રોગાદિ વેદનામાં વિયોગમાં દૃઢ અધ્યવસાયથી તેના અસંપયોગની ચિંતામાં તેના પતિકારમાં આકુળ મન હોવું તે.
• વિવેચન-૭ :
શૂળ, શિરોવેદના, રોગવેદના, બીજા રોગ અને આતંકમાં જે વેદના વેદે, તેના વિયોગ માટેનો દૃઢ અધ્યવસાય. આ વર્તમાનકાળ લીધો. અનાગતને આશ્રીને કહે છે – વેદનાના કથંચિત્ અભાવે તેના અસંપયોગની ચિંતા “કઈ રીતે મને આ આવતા રોગનો સંપયોગ ન થાય? ચિંતા અહીં ધ્યાન જ કહેવું. - ૪ -
આ વિયોગ પ્રણિધાનથી શું? તે વેદનાના પ્રતિકારમાં ચિકિત્સામાં વ્યગ્ર જે અંતઃકરણ તે વિયોગ પ્રણિધાનાદિ આર્તધ્યાન.
બીજો ભેદ કહ્યો. હવે ત્રીજો ભેદ કહે છે –
. ગાથા-૮ :
ઈષ્ટ વિષયાદિ કે વેદનામાં રાગક્ત જીવને તેના અતિયોગનો અધ્યવસાય તથા ન મળેલ માટે તેના સંયોગની ઈચ્છારૂપ દૃઢ અધયવસાય [રૂપ આર્તધ્યાન] • વિવેચન-૮ :
મનોજ્ઞ વિષયાદિ વસ્તુ તથા ઈષ્ટ વેદનામાં તેના અવિયોગનો દૃઢ અધ્યવસાય આના દ્વારા વર્તમાનકાળ કહ્યો. તથા મને કઈ રીતે આ વિષયોનો સંબંધ થાય તેવી ઈચ્છા. આના દ્વારા અનાગત કાળનું ગ્રહણ કર્યુ. ગાથામાં રાગક્ત પ્રાણીને એમ કહ્યું. તેમાં અભિષ્યંગ-આસક્તિ લક્ષણ તે રાગ, તેનાથી ભાવિત હોવું તે.
ત્રીજો ભેદ કહ્યો, હવે ચોથો ભેદ કહે છે –
* ગાથા-૯
દેવેન્દ્ર અને ચક્રવર્તીપણાના ગુણ, ઋદ્ધિના યાચના સ્વરૂપ નિયાણાનું ચિંતન થાય છે, તે અધમ છે. અત્યંત અજ્ઞાનતા સભર છે. [આ ચોથું આધ્યાન]
• વિવેચન-૯ :
દેવો - ભવનવાસી આદિ, તેનો ઈન્દ્ર તે દેવેન્દ્ર - ચમર આદિ. ચક્ર - એક આયુધ, તેના વડે વિજયનું આધિપત્ય વર્તાવનાર તે ચક્રવર્તી, જેમકે – ભરત આદિ. એ રીતે બલદેવ, વાસુદેવની ગુણ અને ઋદ્ધિ. તેમાં ગુણ - સુરૂપાદિ, ઋદ્ધિ-વિભૂતિ, તેની યાચના. તે જઘન્ય નિદાનનો અધ્યવસાય “હું આ તપ અને ત્યાગાદિથી દેવેન્દ્ર થાઉં ઈત્યાદિ રૂપ. અધમ કેમ કહ્યા ? જે કારણે અતિ અજ્ઞાન અનુગત છે, અને અજ્ઞાની સિવાયના કોઈને સાંસારિક સુખનો અભિલાષ ન થાય.
આર્તધ્યાનનો ચોથો ભેદ કહ્યો, હવે આ જે રીતે થાય, તેને જણાવવા માટે
કહે છે –
૧૩૬
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
. ગાથા-૧૦ :
આ પ્રમાણે ચાર પ્રકારનું આધ્યિાન રાગ-દ્વેષ-મોહથી કલુષિત જીવને થાય, તે સંસાર વર્ધક અને તિચિગતિનું મૂળ છે.
• વિવેચન-૧૦ :
ગાથાર્થ કહ્યો. વિશેષ આ પ્રમાણે – સાધુને પણ શૂળાદિ વેદનાથી અભિભૂતને અસમાધિમાં તેનો પ્રતિકાર કરવામાં તેના વિપ્રયોગના પ્રણિધાનનો દોષ આવે તથા તપ અને સંયમના સેવનમાં નિયમથી સાંસાસ્કિ દુઃખ વિયોગ પ્રણિધાનથી આર્તધ્યાનની પ્રાપ્તિ થાય તેનું શું? આર્તધ્યાન રાગાદિ વશવર્તીને જ હોય, બીજાને ન હોય, તેથી
ગ્રંથકાર કહે છે
• ગાથા-૧૧ -
આ પીડા મારા કવિપાકથી ઉભી થયેલી છે' એવા વસ્તુ સ્વભાવના ચિંતનમાં તત્પર અને સમ્યક્ સહન કરતા મધ્યસ્થ મુનિને...[અનુસંધાન ગાથા૧૨માં છે.
• વિવેચન-૧૧ :
રાગ-દ્વેષની મધ્યે રહે તે મધ્યસ્થ. મધ્યસ્થના જ, બીજાના નહીં. ત્રિકાળ
અવસ્થામાં જગને માને તે મુનિ - સાધુ. સ્વકર્મના પરિણામથી જનિત આ શૂળાદિ - ૪ - કહ્યું છે કે – “અરે ! પૂર્વે કરેલ દુશ્રીર્ણ અને દુષ્પતિકાંત કર્મને વેદીને જ
મોક્ષ છે, પણ વેધા વિના નથી. અથવા તપથી ખપાવીને મોક્ષ થાય.''
એ પ્રમાણે વસ્તુ સ્વભાવ ચિંતનત શોભન અધ્યવસાય વડે સહેતા એવાને
અસમાધિ કઈ રીતે થાય ? પણ ધર્મ-અનિદાન થાય તે કહેશે. આશંકાગત પહેલા પક્ષનો પરિહાર કર્યો. હવે બીજો, ત્રીજો.
• ગાથા-૧૨ :
અથવા પ્રશસ્ત આલંબન કરીને, અલ્પ સાવધ ઉપાયને કરતા, તપ અને
સંયમરૂપ પ્રતિકારને સેવતા મુનિને અનિદાન ધર્મ છે.
• વિવેચન-૧૨ :
જ્ઞાનાદિ ઉપકારક પ્રશસ્ત આલંબન-પ્રવૃત્તિ નિમિત્ત શુભ અધ્યવસાયને કરતાં. - ૪ - ચિકિત્સારૂપ, અલ્પ સાવધ ઉપાય કરતાં. અહીં અસ્ય શબ્દ અભાવ કે થોડાંના
અર્થમાં છે. અતિદાન ધર્મ થાય કેમકે તે નિર્દોષ છે. આ નિર્દોષત્વ વચનના પ્રામાણ્યથી
છે. કહ્યું છે કે – “ગીતાર્થ તના વડે કૃયોગીને કારણે નિર્દોષ છે.' એ રીતે આગમના ઉત્સર્ગ - અપવાદરૂપે છે અન્યથા પરલોકની સાધના અશક્ય છે. તપ અને સંયમથી સાંસારિક દુઃખોનો પ્રતિકાર કરતા સાધુને આ ધર્મધ્યાન જ છે. કેમકે તે દેવેન્દ્રાદિના નિદાન રહિત સેવે છે.
[શંકા] “કરેલા કર્મના ક્ષયથી મોક્ષ થાય.' આ પણ નિયાણું જ છે ને? [સમાધાન] સાચું, આ પણ નિયમથી પ્રતિષેધ કરાયેલ જ છે. કેમકે – મોક્ષમાં કે સંસારમાં મુનિ સર્વત્ર નિસ્પૃહ છે.' તો પણ ભાવનામાં અપરિણત જીવને આશ્રીને