SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય ૪, નિ • ૧૨૪૦ ૧૦૯ (55) (PROOF-1) ભાવ આપત્તિમાં યતના વડે વર્તે છે, તે સંયમ વિરાધ્યા વિના સિદ્ધિને પામે છે. (૪) હવે વારણામાં વિષભોજન તળાવનું દૃષ્ટાંત છે – એક રાજાએ પસૈન્યને દૂરથી આવતું જાણીને ગામમાં દુધ, દહીં, ભ, ભોજય આદિમાં ઝેર ભેળવે છે. જે મીઠા પાણીના વાવ અને તળાવાદિ છે તેમાં પણ, જે વૃક્ષો પુપ અને ફળો યુક્ત છે. તેમાં પણ વિષ ભેળવી ભાગી ગયો. બીજો રાજા આવ્યો. તેણે બધું વિષભાવિત જાણીને સૈન્યમાં ઘોષણા કરાવી કે જે આ ભઠ્ય-ભોજન કરશે, તળાવાદિનું મીઠું પાણી પીશે, આ વૃક્ષના પુu-ફળ આદિના ઉપભોગ કરશે, તે મરશે. માટે આ ક્ષાર વાળું કટુક દુગધી પાણીનો ઉપભોગ કરવો. જેટલાં આ ઘોષણા સાંભલીને અટક્યા, તે જીવ્યા, જે ન અટક્યા [વિરમ્યા તેઓ મર્યા. આ દ્રવ્ય વારણા. ભાવ વારણા - આ દૃષ્ટાંતનો ઉપનય લેવો. સજાને સ્થાને તીર્થકરે વિષયુક્ત રાજ્ઞ, પાન સમાન વિષયો છે તેમ કહીને વારણ કર્યું. તેમાં જેઓ આસક્ત થાય છે, તેઓ ઘણાં જન્મ-મરણોને પામશે. જેઓ તેમાં આસક્ત નહીં થાય, તેઓ સંસાસ્તો પાર પામશે. (૫) હવે નિવૃત્તિમાં બે કન્યામાં પહેલાં કોલિક કન્યાનું દષ્ટાંત કહે છે – કોઈ એક નગરમાં કોલિક હતો. તેની શાળામાં ધૂર્તો આવેલા. તેમાં એક ધૂર્ત મધુર સ્વરથી ગાતો હતો. તે કોલિકની પુગી તેની સાથે પ્રેમમાં આસક્ત થઈ. તેણીને ધૂર્તે કહ્યું - આપણે નાસી જઈએ, જેથી કોઈ ન જાણે. તે કન્યા બોલી - મારી સખી રાજકવી છે, તેની સાથે મારે સંકેત છે કે આપણે બંને એકની પળી થઈશું. તેથી હું રાજકન્યા વિના છોકલી ન આપવું. ધૂત બોલ્યો - રાજકન્યાને પણ સાથે લઈ લો. તેણીને કહ્યું, તેણીએ હા પાડી. સવારમાં ભાગી છૂટ્યા. ત્યાં કોઈક બોલું - જે કુત્સિતા કણિકાર વૃક્ષ વિશેષો પુષિત થવા સમર્થ નથી. જો નીચકો કુત્સામાં પણ અશોભન કાર્ય કરે, તો તારે શું કરવાનું ? અથતિ સજજનોને આમ કરવું ઉચિત નથી. આ પ્રમાણે સાંભળીને રાજકન્યા વિચારે છે - આ ચૂત [આમ] વસંતમાં ઉપલબ્ધ થાય, જે કર્ણિકાર જેવા ચૈત્ય વૃક્ષો પુપિત થાય તે ઉત્તમ પુષિકા થઈને શું ? તે અધિકમાસ ઘોષણા ન સાંભળી અહો તે સારું કહ્યું - જો કોલિકી આવું કરે તો મારે શું કરવું ? તેથી રાજકન્યા બોલી કે હું રીનો ડાબલો ભૂલી ગઈ, એ પ્રમાણે છળ કરીને પાછી ચાલી ગઈ અથતું પ્રતિનિવૃત્ત થઈ. તે દિવસે સામતરાજપુત્ર રાજાને શરણે આવેલો હતો. રાજાએ તેને આ કન્યા પરણાવી દીધી. ઈષ્ટ થયું. તેણે સસરા સાથે અગ્ર દાવાદને જીતીને રાજ્ય મેળવ્યું. રાજકન્યા તેની મહાદેવી થઈ આ દ્રવ્ય નિવૃત્તિ કહી. ભાવ નિવૃત્તિમાં આ દૃષ્ટાંતનો ઉપાય છે – કાયાના સ્થાને સાધુ છે, પૂર્વ તે વિષયોમાં આસકત, ગીતને સ્થાને આયાય વડે અનુશિષ્ટ નિવૃત્ત તે સુગતિ પામ્યા. બીજા કુગતિ પામ્યા. બીજું દષ્ટાંત દ્રવ્ય-ભાવ નિવૃત્તિમાં કહે છે – એક ગચ્છમાં એક તરુણ ગ્રહણધારણ સમર્થ હતો, તેથી તેને આચાર્ય બનાવેલ. કોઈ દિવસે તે અશુભ કર્મના ઉદયથી દીક્ષા છોડવાના વિચારે નીકળી ગયા. જતાં-જતાં ગીતને સાંભળ્યું. તેણે મંગલ નિમિત્તે તેમાં ઉપયોગ મૂક્યો. તેમાં તરણ શૂર યુવાનો ગીત ગાતા હતાં • સમર્થ પરણે પ્રતિજ્ઞાનો નિવહિ કરવો અથવા રણભૂમિમાં મરી જવું, પણ અસમાન લોકોના ઉલ્લાપો સન્ન કરવા નહીં કે જે કૂળમાં જગ્યા છે ત્યારે કોઈ મહાત્મા ઓ સંવાદ બોલ્યો - લજ્જા એ ગુણ સમુદ્રની માતા છે, જનનીની જેમ આર્યોને અતિ શુદ્ધ હૃદયથી અનુવર્તમાન ૧૧૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ છે. ઈત્યાદિ - x - ગીતિકાનો ભાવાર્થ એવો છે કે – કેટલાંક પ્રાપ્ત થશવાળા, સ્વામી વડે સમાનિત, વિરતાથી રણમાં સુભટોને પ્રહાર કરતા નાશ પામે, કોઈ સ્વપક્ષના વંશના આશ્રિત ખલના પામે છે. તે સાંભળીને પ્રતિનિવૃત્ત થાય, ઈત્યાદિ - X -. ગીતિકાનો અર્થ સાંભળીને તે સાધુને ચિંતા થઈ. આ પ્રમાણે સંગ્રામ સ્થાને પ્રવજ્યા છે, જો તેનાથી પરાભૂત થાય તે અસદંશ લોકો વડે હેલના પામે. આ સાધુ પાછો આવેલ છે. તે પ્રતિનિવૃત્ત થયો, આલોચના - પ્રતિકમણાદિથી પાછા ફર્યા. (૬) હવે નિંદામાં બે કન્યામાં બીજી કન્યા ચિત્રકારપુગીનું દૃષ્ટાંત - એક નગરમાં રાજા હતો. બીજા રાજાને ચિત્ર સભા છે, મારે નથી એમ જાણીને મહા મોટી ચિત્રસભા કરાવીને ચિત્રકારોના સમૂહને સોંપી. તેઓ ચિત્રો કરતા હતા. તેમાં એક ચિત્રકારની પુત્રી ભોજન લઈને આવે છે. રાજા રાજમાર્ગે અશ્વ દોડાવતો જતો હતો. તે ડરીને નાસી ગઈ, કોઈ રીતે બચીને નીકળી ગઈ. ત્યારે તેનો પિતા પણ શરીર ચિંતાર્થે ગયેલો. તે કન્યાએ ત્યાં ભોંયતળીયે રંગોવડે મોરનું પીછું બનાવ્યું. રાજા પણ ત્યાં એકલો ફરતો હતો. ચિત્રકારપુગી ત્યાં અન્ય યિત્ત રહેલી હતી. રાજાની ત્યાં ર્દષ્ટિ ગઈ, મોરપીંછું લેવા માટે તેણે હાથ લંબાવ્યો. નખ ભટકાતા દુઃખી થયો. તે વખતે ચિત્રકાપુની હસીને બોલી – ત્રણ પાયા વડે આનંદક ન રહે જ્યાં સુધી ચોથો [પાયો શોધતા તમે મળી ગયા. રાજાએ પૂછ્યું - કઈ રીતે? તેણી બોલી - હું પિતા માટે ભોજન લાવતી હતી ત્યારે એક પુરુષ રાજમાર્ગમાં ઘોડાને દોડાવતો આવતો હતો, તેને એટલી ભાન નથી કે ક્યારેક કોઈકને મારી નાંખશે. હું મારા પુણથી જીવું છું, આ એક પાયો. બીજો પાયો રાજા, તેણે ચિત્રકારો પાસે વિકસભા વિસાવી. તેમાં એકૈક કુટુંબમાં ઘણાં ચિત્રકારો છે, મારા પિતા એકલા છે. તેમાં પણ તેને જ ભાગ આપ્યો, ત્રીજો પાયો મારા પિતા, જ્યારે હું ભોજન લઈને આવું છું તે ઠંડુ થઈ જશે. એમ વિચાર્યા વિના અત્યારે જ શરીર ચિંતાર્થે જાય છે. રાજા બોલ્યો - હું ચોથો પાયો કઈ રીતે ? ચિત્રકારપુગી બોલી – બધાં પણ પહેલા વિચારે કે અહીં મોર ક્યાંથી આવે ? કદાચ આવી પણ જાય તો પણ ક્યાંક નજરે તો ચડેને? રાજા બોલ્યો - સાચી વાત, તે મૂર્ખ છે. રાજા ગયો. પિતાએ જમી લેતા તેણી ઘેર ગઈ. રાજાએ તેણી સાથે લગ્ન કરવા માંગુ મોકલ્યું. ચિત્રકાર બોલ્યો - અમે તો દરિદ્ર છીએ. અમારાથી રાજાની સપરિવાર પૂજા કઈ રીતે થાય ? રાજાએ તેમનું ઘર દ્રવ્યથી ભરી દીધું. ચિત્રકાર પુત્રી પરણીને રાજમાર્ગમાં ગઈ. તેણીએ દાસીને શીખવાડ્યું કે સજા સુવા આવે ત્યારે તારે કહેવું છે સ્વામિની ! જ્યાં સુધી રાજા આવે ત્યાં સુધી કંઈક વાત કહો. મિજા આવ્યો, તે પ્રમાણે દાસી બોલી.] બિકર પુત્રી કથા કહે છે - એક કન્યા હતી. છોકસાથે ત્રણ વર તેને પરણવા આવ્યા. દાક્ષિણ્યથી માતા-પિતાએ ત્રણેને આપી. તે રખે સર્પ ડેસથી કન્યા મૃત્યુ પામી. એક તેની સાથે બળી ગયો. એકે અનશન કર્યું. એકે દેવને અરાધ્યો. દેવે તેને સંજીવન મંત્ર આપ્યો. તેણી જીવતી થઈ. તે ત્રણે પણ ઉપસ્થિત થયા, કન્યા કોને આપવી? શું એકને, બે કે ત્રણેને આપવી શક્ય છે? ત્યારે તેણી બોલી, હવે નિદ્રા આવે છે, કાલે કહીશ. તે વાતના કુતૂહલથી બીજી દિવસે પણ રાજાએ તે રાણીનો જ વારો રાખ્યો. rajsaheb\Adhayan-33\Book33ALL E:\Mal
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy