SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-મૂલક સટીક અનુવાદ/૩ (PROOF-1) આધ્ય૩, નિ - ૧૧૦૭, પ્ર ૧ અર્થ છે. કહ્યું છે કે – સંસક્ત આ છે, ગોભો -લંદકમાં ઉચ્છિષ્ટ કે અનુચ્છિષ્ટ જે કંઈ નાંખવામાં આવે તે બધું : એ પ્રમાણે મૂલ-ઉત્તર દોષો અને ગુણો જે કંઈ પણ હોય તે તેમાં સંનિહિત હોય તેને સંસક્ત કહે છે. રાજવિદૂષકાદિ અથવા નટ જેમ બહુરૂપ હોય અથવા મેલક કે જે હરિદ્વરાગાદિ બહુવર્ણ હોય. એ પ્રમાણે જેવા સ્વરૂપની શુદ્ધ કે અશુદ્ધની સાથે સંવાસ કરે છે. તેવા સ્વરૂપનો જ સંસક્ત કહેવાય છે. તે સંસક્ત બે વિકલાવાળો રાગ, દ્વેષ, મોહને જિતેલા જિનવરે કહેલ છે. એક સંક્ષિપ્ત, બીજો અસંક્ષિપ્ટજે પાંચ આશ્રયમાં પ્રવૃત્ત છે, ત્રણ ગારવ વડે પ્રતિબદ્ધ છે, સ્ત્રી અને ગૃહી વડે સંક્ષિપ્ત છે, તેને સંન્નિષ્ટ સંસક્ત જાણવો. પાર્શ્વસ્થાદિક અને સંવિનામાં જે મળે છે, ત્યાં તેના જેવો થાય છે - પિયધર્મી અથવા અપિયધર્મી તેને અસંક્લિષ્ટ જાણવો. (૫) યથાછંદ - ઈચ્છા મુજબ જ અને આગમ નિરપેક્ષ જે પ્રવર્તે છે તે યથાણંદ. યથાણંદ અથવા ઈચ્છા છંદ - ઉલૂગને આયરતો કે ઉસૂગ પ્રરૂપતો, ઉત્સગને ઉપદેશતો તે સ્વચ્છંદ વિકહિત અનુપપાતિ, પરતૃપ્તિમાં પ્રવર્તે છે, તેને યથાઈદ જાણવો. સ્વછંદ મતિ વિકલપતિ, કંઈક સુખસાતા અને વિકૃતિ પ્રતિબદ્ધ તથા ત્રણે ગાવોથી મદવાળો થાય તેને યથાણંદ જાણવો જોઈએ. આ પાક્ષસ્થાદિ અવંદનીય છે. ક્યાં ? જિનમતમાં, લોકમાં નહીં. હવે પાર્થસ્થાદિને વંદન કરનારને કયો દોષ છે ? તે કહે છે - • નિયુક્તિ-૧૧૦૮-વિવેચન : પાર્શ્વસ્થ આદિને વંદના કરતા કીર્તિ પણ થતી નથી કે નિર્જરા પણ થતી નથી, મન કાયકલેશ અને કર્મબંધ જ થાય છે . • પાસસ્થાદિને નમસ્કાર કરતા કીર્તિ - “ચાહો આ પુન્ય ભાગ છે." રૂપ તે હોય છે. તેવી કીર્તિ નહીં પણ અપકીર્તિ થાય છે કે - આ પણ આ પાસસ્થા જેવો જ લાગે છે કે જેથી તેને વંદન કરે છે. નિર્જસ - કર્મક્ષય લક્ષણ, તે પણ ન થાય. કેમકે તીર્થકર આજ્ઞા વિરાધનાથી તેઓનું નિર્ગુણ છે. કાય - દેહ, તેને ક્લેશ - નમી જવા આદિ રૂપ તે કાયકલેશ. ફોગટ કાયકલેશ કરે છે, કરાય તે કર્મ - જ્ઞાનાવરણીયાદિ રૂપ. તેનો બંધ - વિશિષ્ટ ચના વડે આત્મામાં સ્થાપન અથવા આત્માને બંધ • સ્વ સ્વરૂપ તિરસ્કરણ લક્ષણ તે કર્મબંધ થાય છે. શબ્દથી આજ્ઞાભંગાદિ દોષો થાય છે. કઈ રીતે ? - ભગવંતે નિષેધેલને વંદનાથી આજ્ઞા ભંગ, તેમને જોઈને બીજા પણ મિથ્યાત્વને પામે, બીજા વંદન કરે તે અનવસ્થા. કાય કલેશથી આત્મ વિરાધના. તેને વંદનથી તેના કરાતી અનુમોદનાથી સંયમ વિરાધના. આ પ્રમાણે પાર્શ્વસ્થાદિને વાંદતા ઉક્ત દોષો લાગે. - હવે પાક્ષસ્થાને જ ગુણાધિક વંદન પ્રતિષેધ ન કરવાથી થતા અપાયોને જણાવવા માટે કહે છે - નિર્યુક્તિ-૧૧૦૯-વિવેચન : જે પાશ્વસ્થાદિ ભ્રષ્ટ બ્રહ્મચર્ય છે, બહાચારી તેમને વંદન કરે ત્યારે નિષેધ કરતા નથી, તે કોંટમેટા થાય છે અને તેમને બોધિ સારી રીતે દુર્લભ બને છે. -૦- ભ્રષ્ટ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય વગરના, અહીં બ્રહ્મચર્ય શબ્દ મૈથુનની વિરતિનો વાચક છે અને સામાન્યથી સંયમનો વાયક છે. અભિમાનથી પોતાના પગને વ્યવસ્થિત કરે છે કે જ્યારે બ્રહ્મચારી તેમને વંદન કરે છે પથતુિ તેમને વંદનનો નિષેધ કરતા નથી. તેઓ તેના દ્વારા ઉપાર્જેલ કર્મથી નારકત્વ આદિ વિપાકોને પામીને અથવા કથંચિત્ કૃચ્છુ માનુષત્વને પામે છે, તો પણ કોંટમેટા થાય છે. બોધિ-જિનશાસન અવબોધ રૂપ સંકલ દુ:ખવિરેકભૂત સુદુર્લભ થાય છે અને તે એક વખત પામ્યા પછી અનંત સંસારીત્વને પામે છે. - તયા - • નિયુક્તિ-૧૧૧૦-વિવેચન : આત્માનો સમાગથી સારી રીતે નાશ કરે છે. જે ચાસ્ત્રિથી પ્રકર્ષપૂર્વક ભ્રષ્ટ થઈ • દૂર થઈ, ગુણસ્થ સંસાધવનેિ વંદન કરાવે છે. તે ગુજન કેવા ? સુબ્રમણ - જેમાં શોભન શ્રમણો છે તે. યથોક્ત કિયાકલાપ કરવાના શીલવાળા તે યથોક્તકારીને. એ પ્રમાણે વંદક-બંધ દોષનો સંભવ હોવાથી પાશ્વસ્થાદિને વંદન ન કરવા, ગુણવંતોએ તેમની સાથે સંસર્ગ કરનારને પણ ન વાંદના. કેમ? તે કહે છે – • નિર્યુક્તિ-૧૧૧૧-વિવેચન : જેમ અશુચિ સ્થાન • વિટાપ્રધાન સ્થાનમાં પડેલ ચંપકમાલા સ્વરૂપથી શોભન હોવા છતાં અશુચિ સ્થાનના સંસર્ગથી મસ્તકે મૂકાતા નથી. તે રીતે પાર્શ્વસ્થાદિ સ્થાને વર્તતા સાધુ અવંદનીય છે. પાર્થસ્થાદિના સ્થાનો - વસતિ, નિગમ ભૂમિ આદિ લેવા, બીજા આચાર્યો શય્યાતરપિંડાદિ ઉપભોગ રૂપ કહે છે. જેના સંસર્ગથી પાર્શ્વસ્થા થાય છે. પણ આ આર્ય બરાબર ઘટતો નથી. કેમકે ચંપકમાલા ઉદાહરણનો ઉપનય સમ્યગુ ઘટતો નથી. અહીં દષ્ટાંત છે . એક ચંપકપ્રિયકુમાર હતો, મસ્તકમાં ચંપકમાલા કરીને ઘોડે બેસીને ચાલતો. ઘોડા ઉપરથી ઉછળી તે ચંપકમાલા વિટામાં પડી. પાછી લેવા વિચાર્યું પણ વિટામાં પડેલ જોઈ છોડી દીધી. તેને ચંપક વિના ચેન પડતું ન હતું. તો પણ સ્થાન દોષથી છોડી દીધી. એ પ્રમાણે ચંપકમાલાને સ્થાને સાધુ લેવા, વિટાના સ્થાને પાશ્વસ્થાદિ લેવા જે વિશુદ્ધ સાધુ તેમની સાથે રહે કે મળે તે પણ પરિહરણીય છે. અધિકૃત અર્થને સાધવા માટે જ બીજું દષ્ટાંત આપે છે - • નિયુક્તિ-૧૧૧૨-વિવેચન : પક્વણ કુળમાં વસતો શકુની પારગ પણ ગહિત થાય છે. એ પ્રમાણે પાર્થસ્થાદિ મણે વસતા સાધુઓ ગર્હિત થાય છે. પકવણ - ગહિંત કુળ. પાગ • પારંગતવાનું. શકુની શાદનો બીજો અર્થ ચૌદ વિધા સ્થાનો પણ કર્યો છે. તેમાં છ અંગ, ચાર વેદ, મીમાંસા, ન્યાય, પુરાણ અને ધર્મશાસ્ત્ર મળીને ચૌદ સ્થાનો થાય. છ અંગ એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિ અને નિરુક્તિ. સુવિહિત : સાધુ. કુશીલ-પાશ્વસ્થાદિ. અહીં એક કથાનક છે - - એક બ્રાહ્મણને પાંચ પુત્રો શકુની પારગ હતા. તેમાં એક બ્રાહ્મણ કોઈ દાસીના પ્રેમમાં પડયો. તેણી દારૂ પીતી હતી, બ્રાહ્મણપુ દારૂ પીતો ન હતો. દાસી બોલી - જો તું દારુ ના પીએ તો સ્નેહ નહીં વધે. રાત્રિના રિતિકામાનંદ] થશે. અન્યથા વિસર્દેશ સંયોગ થશે. એ પ્રમાણે ઘણું કહેતા તેણીએ દારુ પીવડાવ્યો. તે પહેલાં ખાનગીમાં પીતો હતો, પછી જાહેરમાં પીવાનો શરૂ કર્યો. પછી અતિ પ્રસંગથી મધ સાથે માંસ ખાનારો થયો. ચાંડાલો સાથે ભમવા લાગ્યો. તેઓની સાથે જ ખાતો, પીતો અને વસતો હતો. પછી પિતા, સ્વજન, બધાંએ તેને પ્રવેશ નિષોધ કર્યો. કોઈ દિને તે પ્રતિભ4 થયો. તેનો બીજો ભાઈ નેહથી તેણીની કુટીરમાં પ્રવેશ્યો અને પૂછયું, તને કંઈ આપું ? તેને ઉપાલંભ આપીને પિતાએ કાઢી મૂક્યો. બીજે બાલ પાટકમાં રહીને પૂછે jsaheb\Adhayan-33\Book33AL E:\Maharaj
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy