SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ નિ - ૧૦૫૪ નય કહે છે. આ સમ્યકત્વાદિ ચતુર્વિધ સામાયિકમાં દેશવિરતિ અને સર્વવિરતિ એ બે સામાયિકને ઈચ્છે છે. કેમકે તે ક્રિયાસ્વરૂપ છે. સમ્યકત્વ સામાયિક અને શ્રુતસામાયિક તેના માટે ઉપાદીયમાનપણાથી છે માટે તેને ઈચ્છતા નથી. ગુણભૂતને ઈચ્છે છે. આ જ્ઞાન અને ક્રિયાયનું સ્વરૂપ છે. તે જાણીને શિષ્યને સંશય થયો કે આમાં તત્ત્વ શું છે? આયાર્ય ત્યારે નીચેની ગાથા કહે છે અથવા જ્ઞાન-ક્રિયા નય મતને જણાવીને હવે સ્થિતપક્ષ કહે છે – ૫૧ • નિયુક્તિ-૧૦૫૫-વિવેચન : બધાં નયોની બહુવિધ વક્તવ્યતાને સાંભળીને, તે સર્વ નયોમાં વિશુદ્ધ છે, જે ચરણગુણમાં સ્થિત સાધુ છે. બધાં મૂળ નયો તથા તેના ભેદો અને દ્રવ્યાસ્તિક આદિ નયોની સામાન્ય કે વિશેષ જ ઉભયરૂપની અપેક્ષા વિના અથવા નામાદિ નયોમાં કોને કયા સાધુ ઈચ્છે છે ઈત્યાદિ સાંભળીને સર્વ નય સંમત વચન - જે ચરણગુણ સ્થિત સાધુ, જેથી સર્વે નયો ભાવનિક્ષેપો જ ઈચ્છે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ (97) (PROOF-1) E:\Maharajsaheb\Adhayan-33\Book33A\ પર આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ * અધ્યયન-૨-“ચતુર્વિશતિસ્તવ' છે - — — x — x = x — x — x — હવે સામાયિક અધ્યયન પછી ચતુર્વિશતિ સ્તવ અધ્યયન આરંભીએ છીએ. અહીં અધ્યયન ઉદ્દેશ સૂત્રના આરંભમાં બધે જ કારણ અને અભિસંબંધ કહેવો, એ વૃદ્ધવાદ છે. તેનું કારણ કહે છે – જાત્યાદિ ગુણ સંપદા યુક્ત શિષ્યને ગુરુ આવશ્યક શ્રુતસ્કંધ સૂત્રથી અને અર્થથી આપે છે. તે અધ્યયન સમુદાયરૂપ વર્તે છે. તેથી કહ્યું છે . હવે આગળ હું એક-એક અધ્યયનનું કીર્તન કરીશ. પહેલું અધ્યયન સામાયિક કહ્યું. હવે બીજું – - આચાર્યના વચનના પ્રામાણ્યથી અધિકાર ઉપન્યાસ સિદ્ધિ થાય છે. “સાવધયોગ વિરતિ ઉર્તિન' ઈત્યાદિથી હવે બીજું અધ્યયન કહે છે. - ૪ - x - x - તેનો સંબંધ આ પ્રમાણે છે – અનંતર અધ્યયનમાં સાવધયોગ વિરતિરૂપ સામાયિક કહી. અહીં તેના ઉપદેષ્ટા અરહંતનું ઉત્કીર્તન-સ્તવના એ કર્તવ્ય કહે છે અથવા સામાયિક અધ્યયનમાં તેના આસેવનથી કર્મક્ષય કહ્યો. - X + X - અહીં પણ ચતુર્વિશતિ સ્તવમાં અરહંતના ગુણોત્કીર્તનરૂપ ભક્તિના તત્વથી આનું જ પ્રતિપાદન કરે છે. કહ્યું છે – જિનવરોની ભક્તિથી પૂર્વના સંચિત કર્મોનો ક્ષય થાય છે. એ પ્રમાણે આ સંબંધથી આવેલ ચતુર્વિશતિ સ્તવ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો કહેવા. તેમાં નામ નિક્ષેપામાં “ચતુર્વિશતિ સ્તવ” તેથી કહે છે – • નિયુક્તિ-૧૦૫૬-વિવેચન : ચતુર્વિશતિ સ્તવનો નામનિષ્પન્ન નિક્ષેપો થાય છે. ચતુર્વિશતિ શબ્દનો છ પ્રકારે અને સ્તવનો છ પ્રકારે નિક્ષેપ થાય છે. - X + X - અવયવાર્થ તો ભાષ્યકાર જ કહેશે. તેમાં આધ અવયવને આશ્રીને નિક્ષેપના ઉપદર્શનાર્થે કહે છે - • ભાષ્ય-૧૯૦-વિવેયન : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ છ પ્રકારે ચતુર્વિશતિનો નિક્ષેપો થાય છે. (૧) કોઈ જીવ કે અજીવનું 'ચતુર્વિશતિ' એવું નામ રાખે. (૨) સ્થાપના ચતુર્વિશતિ - કોઈને તે રૂપે સ્થાપના. (૩) દ્રવ્યયતુર્વિશતિ સચિત્ત, અચિત્ત, મિશ્રભેદથી ૨૪-દ્રવ્યો. તેમાં સચિત્ત-દ્વિપદ, ચતુષ્પદ, અપદ ભેદથી છે. અચિત્ત - કાર્યાપણાદિ, મિશ્ર-કટક આદિ અલંકૃત્ દ્વિપદાદિ. ક્ષેત્રથી ૨૪-ક્ષેત્રો અથવા ભરતાદિ ક્ષેત્રપ્રદેશો તે ચોવીશ પ્રદેશોમાં અવગાઢ દ્રવ્ય. કાળથી ૨૪-સમયાદિ, આટલું કાળ સ્થિતિ દ્રવ્ય છે. ભાવથી ૨૪-ભાવ સંયોગ કે ૨૪ ગુણ કૃષ્ણ દ્રવ્ય. આ ચતુર્વિશતિનો નિક્ષેપ થયો. અહીં સચિત્ત-દ્વિપદ મનુષ્ય ચતુર્વિશતિનો અધિકાર છે. ચતુર્વિશતિ કહ્યું, હવે સ્તવ'નું પ્રતિપાદન કરે છે - • ભાષ્ય-૧૯૧-વિવેચન : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ સ્તવના ચાર નિક્ષેપા છે. દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે, ભાવસ્તવ-વિધમાનગુણોનું કિર્તન છે. અહીં નામ એટલે ‘નામ સ્તવ’ ઈત્યાદિ - x - જાણવું. - X - તેમાં નામ અને સ્થાપના ગૌણ હોવાથી તેને છોડીને દ્રવ્યસ્તવ અને .
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy