SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/ર નિ - ૧૦૩૭, ભાષ્ય-૧૮૭ ૪૨ આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) દ્રવ્યસર્વ અને સર્વઘત્ત સર્વમાં શો ફેર છે ? દ્રવ્ય સર્વમાં ઘડો આદિ એક એક સંપૂર્ણ દ્રવ્ય લેવાય, સર્વધરં સમસ્ત વસ્તુ જાતિને વ્યાપીને રહેલ છે. હવે માવસર્વ કહે છે – • ભાષ્ય-૧૮૮-વિવેચન : ભાવમાં સર્વ ઉદયલક્ષણ ઔદયિક ભાવ, જેમ આ છે તેમ શેષ ભાવો પણ સમજી લેવા. અહીં ક્ષાયોપશમ ભાવસવનો અધિકાર છે અને નિરવશેષ સર્વનો ઉપયોગ અધિકાર છે .. સર્વ બે પ્રકારે છે - શુભ, અશુભ ભેદથી. ઔદયિક-ઉદય લક્ષણ. કર્મોદય નિપજ્ઞ. - x • મોહનીય કર્મના ઉપશમના સ્વભાવથી બધું જ ઔપશમિક શુભ છે. કર્મના ક્ષયથી જ બધું ક્ષાયિક પણ શુભ જ છે. શુભાશુભ મિશ્ર તે સર્વ ક્ષાયોપથમિક, પરિણતિ સ્વભાવ સર્વ શુભાશુભ તે પારિણામિક. અહીં ક્ષાયોપથમિક ભાવ સર્વથી અધિકાર છે. ‘સવ’ અવયવની વ્યાખ્યા કરી, હવે સાવધ અવયવ કહે છે - • નિયુક્તિ-૧૦૩૮-વિવેચન : અવધ કર્મ તે ગહલાયક હોય અથવા ક્રોધાદિ ચાર વધે છે. તેની સાથેનો જે યોગ, તેના હું પચ્ચકખાણ કરું છું. - - - - અનુષ્ઠાન અવધ કહેવાય છે. અવધ એટલે જે નિંધ કે ગહિંત હોય છે. સર્વ અવધનો હેતુપણે હોવાથી ક્રોધાદિ ચાર અવધ છે. કારણમાં કાર્યનો ઉપચાર છે. અવધ સહિત જે વ્યાપાર તે સાવધ કહેવાય છે. પ્રત્યાખ્યાન-નિષેધ લક્ષણ છે. - X - વર્જનીય એટલે વર્ય, વ્યંજનીય. વજર્ય સહ તે સવર્ય, સકારના દીર્ધ આદેશથી સાવજ [સાવધ હવે “યોગ' કહે છે, તે દ્રવ્યથી, ભાવથી - • નિયુક્તિ-૧૦૩૯-વિવેચન : મન,વચન, કાયને યોગ્ય દ્રવ્યો તે દ્રવ્યયોગ. ભાવમાં બે ભેદે - સમ્યકત્વ આદિ પ્રશસ્ત છે, મિથ્યાત્વ આદિ પશસ્ત છે. - X - જીવ વડે અગૃહીત કે ગૃહીત સ્વ વ્યાપારમાં રાખવૃત્ત તે દ્રવ્યયોગ, દ્રવ્યોના કે હરીતક આદિના યોગ તે દ્રવ્ય યોગ. ભાવે વિષયક યોગ-પ્રશસ્ત અને અપશસ્ત છે. તેમાં સમ્યકત્વાદિ પ્રશસ્ત છે, આદિ શહદથી જ્ઞાન અને ચારિત્ર લેવા. જેના વડે આત્મા વર્ગમાં જોડાય તે પ્રશસ્ત. મિત્યાત્વાદિ આપશસ્ત છે, કેમકે તેમાં આત્મા અષ્ટવિધ કર્મથી જોડાય છે. સાવધયોગની વ્યાખ્યા કરી. હવે પ્રત્યાખ્યામિ એ અવયવના પ્રસ્તાવથી પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરાય છે. •X - પ્રતિ શબદ પ્રતિષેધ અર્થમાં છે, • આભિમુખ્ય અર્થમાં, • પ્રકથન અર્થમાં છે. હું સાવધ યોગના આભિમુખ્યમાં પ્રતિષેધનું કથન કરું છું અથવા પ્રતિષેધનું આદરથી અભિધાન કરું છું. પ્રતિષેધનું કથન તે પ્રત્યાખ્યાન એટલે નિવૃત્તિ. તે છ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષોત્ર, અનીચ્છા અને ભાવ. તેમાં નામ, સ્થાપના સુગમ છે. હવે દ્રવ્ય પ્રત્યાખ્યાન કહે છે • નિયુક્તિ-૧૦૪૦-વિવેચન : દ્રવ્યમાં નિલવાદિ, ક્ષેત્રમાં દેશ નિકાલ કરાયેલા, ભિક્ષાદિ ન આપવામાં અદિછી અને ભાવમાં બે ભેદે પ્રત્યાખ્યાન છે. • x : નિલવાદિ જે પ્રત્યાખ્યાન કરે તે દ્રવ્ય પ્રત્યાખ્યાન. આ શબ્દથી દ્રવ્યોના, દ્રવ્યભૂતના કે દ્રવ્યહેતુથી જે પ્રત્યાખ્યાન, તે દ્રવ્ય પ્રત્યાખ્યાન. જેને દેશ નિકાલનો આદેશ કરાયેલ હોય તેને ક્ષેત્ર પ્રત્યાખ્યાન છે. મf શદથી નગર આદિનો પ્રતિષેધ લેવો. દેવાની ઈચ્છા ન થવી તે અદિચ્છા, ત્યાં ભિક્ષાદિને ન આપવાનું કથન તે અદિચ્છા પ્રત્યાખ્યાન. આદિ શબ્દથી વાદિ લેવા. – “જેમ આને કોઈ ભિક્ષા આપતા નહીં' તેવું વચન. ભાવ પ્રત્યાખ્યાન - બે ભેદે છે. માર્ચ - સાવધ યોગનું પ્રત્યાખ્યાન અથવા માવત: શુભ પરિણામના ઉત્પાદથી કે ભાવના હેતુથી . નિવણિાર્થ. સાવધ યોગ વિરતિ લક્ષણ પ્રત્યાખ્યાન. તે ભાવ પ્રત્યાખ્યાન. હવે બે ભેદ દર્શાવવા કહે છે – • નિર્યુક્તિ-૧૦૪૧-વિવેચન : શ્રુત પ્રત્યાખ્યાન, નોકૃત પ્રત્યાખ્યાન, શ્રુત બે ભેદે – પૂર્વશ્રુત, વાપૂર્વકૃત. નોધૃતપત્યાખ્યાન બે ભેદે – મૂલગુણ, ઉત્તરગુણ. -x - શ્રુતo બે ભેદે – (૧) પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન, (૨) અપૂર્વકૃત પ્રત્યાખ્યાન. તેમાં પૂર્વે જ પ્રત્યાખ્યાન સંક્સિત હોય તે પૂર્વશ્રુત પ્રત્યાખ્યાન, પૂર્વભૂત પ્રત્યાખ્યાન તે આતુર પ્રત્યાખ્યાનાદિ. નોધૃતપત્યાખ્યાન • શ્રુત પ્રત્યાખ્યાનથી અય. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાન દેશથી અને સર્વથી. દેશથી - શ્રાવકોનું અને સર્વથી - સંયતોનું. અહીં અધિકૃત સર્વ, સામાયિક પછી લીધેલ છે તે. અહીં વૃદ્ધ સંપદાય છે – કોઈ રાજપુત્રીએ એક વર્ષ માંસ ન ખાધુ. પારણે અનેક જીવોનો ઘાત કર્યો. સાધુએ બોધ પમાડ્યો. દીક્ષા લીધી. તો પહેલાં કર્યું તે દ્રવ્ય પ્રત્યાખ્યાન, પછી કર્યું તે ભાવ પ્રત્યાખ્યાન. હવે ‘ચાવજીવ' શબ્દની વ્યાખ્યા – • નિયુક્તિ-૧૦૪ર-વિવેચન : ‘સાવતુ' શબ્દ અહીં “અવધારણ'માં છે. “જીવન' શબ્દ “પ્રાણધારણ'માં કહેલ છે. પ્રાણધારણ સુધી પાપથી અટકવું અર્થ છે. તેની આગળ કરવાનું વિધાન નથી, પ્રતિષેધ પણ નથી. વિધિમાં આશંસા દોષનો પ્રસંગ આવે અને પ્રતિષેધમાં દેવ આદિમાં ઉત્પણનો ભંગ પ્રસંગ આવે. અહીં જીવે તે જીવ એ ક્રિયાશદ છે. જીવન – પ્રાણધારણ, અહીં જીવિત શબ્દ દશ ભેદે વર્તે છે. તેનું નિરૂપણ કરે છે - • નિયુક્તિ-૧૦૪૩-વિવેચન : નામ જીવિત, સ્થાપનાજીવિત, દ્રવ્યજીવિત, ઓઘજીવિત, ભવ જીવિત, તદ્ભવજીવિત, ભોગજીવિત, સંયમજીવિત, યશોજીવિત અને કીર્તિજીવિત એ દશ ભેદો છે. અવયવાર્થ ભાણકાર પોતે કહેશે. તેમાં (૧) નામ, (૨) સ્થાપના સુગમ હોવાથી બાકીના ભેદ ભાષ્યકાર કહે છે – • ભાષ્ય-૧૮૯-વિવેચન : (3) દ્રવ્યજીવિત - સચિત્તાદિ, આદિ શબ્દથી મિશ્ર, ચિત્ત લેવા. અહીં કારણમાં કાર્યના ઉપચારથી જે દ્રવ્ય વડે સચિત્ત, અચિત્ત, મિશ્ર ભેદથી પગ, હિરણ, ઉભયરૂપથી જેનું જે રીતે જીવિત કે તેને તે રીતે તે દ્રવ્યજીવિત કહેવાય. બીજા દ્વિપદાદિ દ્રવ્યને કહે છે. (૪) આયુ’ એ પ્રદેશકમ છે. તે દ્રવ્ય સહ ચરિત જીવને પ્રાણ ધારણ સદા સંસારમાં થાય તે ઓઘ, ઓઘજીવિત એટલે સામાન્ય જીવિત, આને આશ્રીને જો પછી સિદ્ધ થાય તો પછી ઓધજીવિત ન હોય. (૫) ભવ એટલે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. સ્વભવમાં સ્થિતિ તે ભવજીવિત. E:Maharajsaheb\Adhayan-33\Book33AL
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy