SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ નિ - ૧૦૨૮,૧૦૨૯,ભા.૧૮૪ (PROOF-1) વર્ણવ્યા પછી અનુક્રમે અંતના પણ છ નિક્ષેપા છે. ભદંત એટલે કલ્યાણકર - ૪ - સુખકર. અથવા પ્રાકૃત શૈલિથી ભવાંત થાય છે. અહીં ભવ : સંસારનો અંત, તે આચાર્ય વડે કરાય છે તેથી ભવાંતકર, તથા ભયતકર. અહીં જા એટલે ત્રાસ. તે આચાર્યને પામીને ભયનો અંત થાય માટે ભયાંત - ગુરુ અથવા ભયના તકને ભવાંતક. તેને આમંત્રણ છે. સના • નામ આદિ વિન્યાસ રૂ૫. ભયના છ પ્રકારો છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી. તેમાં પાંચ પ્રકારો પ્રસિદ્ધ છે. છઠ્ઠો ભાવભય. તે સાત ભેદે છે - ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતમય, શ્લોકભય, આજીવિકાભય, મરણમય. તેમાં (૧) આલોક ભયમાં સ્વભવથી જે પ્રાપ્ત થાય (૨) પરલોકભય • પરભવથી, (3) આદાનભય - કંઈક દ્રવ્યનું આદાન, તેના નાશ કે હરાઈ જવાનો ભય. (૪) અકસ્માતભય - બાહ્ય નિમિત્ત વિના અહેતુક ભય અકસ્માત થાય તે. (૫) અશ્લોભય-પ્રશંસાથી વિપરીત અપાંસાનો ભય, (૬) આજીવિકામયદુર્જીવિકા, (૭) મરણભય - પ્રાણનો પરિત્યાગ. ‘ત' શબદના પણ છ ભેદ છે. અંત એટલે અવસાન, છેડે. તેના છ ભેદ આ પ્રમાણે - નામાંત, સ્થાપનાંત, દ્રવ્યાંત, ક્ષેત્રાંત, કાલાંત અને ભાવાંત. તેમાં દ્રવ્યાંત તે ઘટ વગેરેનો નાશ, ક્ષેત્રાંત-ઉર્વલોક આદિ ક્ષેત્રનો નાશ, કાલાંત-સમયાદિનો અંત, ભાવાંત-દયિકાદિ. • ભાગ-૧૮ : એ પ્રમાણે સર્વ અંત વર્ણવ્યા પછી, આ અધિકાર હોય છે - સાત ભય વિમુક્ત તથા ભવાંત અને ભયાંત. ઉક્ત પ્રકારે અનેક ભેદ ભિન્ન ભયાદિ વર્ણવ્યા પછી - X • મૂળદ્વાર ગોથામાં ભયાંતના બે દ્વારની વ્યાખ્યા પછી ભદંત, ભવાંત અને ભયત એ ગુર આમંત્રણ અર્થમાં સૂગ અવયવ છે. અહીં ભણકાર કહે છે - હે ભદંતા સામાયિક કરું છું, એમ શિષ્ય ગુરને આમંત્રણ કરે છે. અહીં ગુરને આમંત્રણ વયન પહેલાં કર્યું, તેનું શું કારણ ? ગુરુકુલવાસી હોય છે. કેમકે સિદ્ધાંતમાં કહ્યું છે કે – ગુરુકુલમાં રહેનાર જ્ઞાનનો ભાગી થાય. દર્શન અને ચારિત્રમાં વધુ સ્થિર થાય, તેથી ધન્ય જીવો જીવનપર્યત ગુરુકુલ વાસને છોડતા નથી. આવશ્યક પણ નિત્ય ગુરુના ચરણકમળમાં થાય છે, કાય કારણવશ અલગ વસતિમાં પણ રહેતો હોય. એ પ્રમાણે બધાં આવશ્યક કાર્યો પૂછીને કરવા આમંત્રણ છે. - ભદંત શબ્દ તેની આદિમાં છે, માટે સર્વ આવશ્યકની સાથે તે અનુવર્તે છે. તેથી ‘ઋષિ પંજો' કહ્યું. કેમકે કરવા યોગ્ય કે અયોગ્ય ગુરુઓ જાણે છે તથા વિનયના સ્વીકાર માટે છે, શ્વાસોચ્છવાસ કિયા સિવાય બધાં કાર્યો મુરને પૂછ્યા વિના નિષેધ છે. ગુરુનો વિરહ હોય તો ગુરુની સ્થાપના પણ “તેના ઉપદેશથી કરું છું' એવું બતાવવા માટે છે. જેમ જિનેશ્વરના વિરહમાં જિનબિંબની આરોવના • આમંત્રણ સફળ થાય છે. જેમ પરોક્ષ રહેલ રાજા કે મંગદેવતાની સેવા છે તેમ પરોક્ષ એવા ગુરની પણ સેવા વિનયહેતુ માટે છે. - x - હવે સામાયિક દ્વારની વ્યાખ્યા • નિયુક્તિ -૧૦3૦,૧૦૩૧-વિવેચન :સામ, સમ, સમ્યક એ સામાયિકના કાર્થી નામો છે. તેનો નામ, સ્થાપના, ૩૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ દ્રવ્ય, ભાવથી નિક્ષેપો થાય છે. મધુર પરિણામ તે સE, દુધ અને ખાંડનું સમ્યફ મીલન તે સમ, હારના દોરમાં મોતીનું પ્રવેશવું તે દ્રવ્ય “ઇક', આ દ્રવ્યના ઉદાહરણો છે. - X - X • સામાદિનો નિક્ષેપ - નામસામ, સ્થાપનાસામ, દ્રવ્યસામ અને ભાવસાન. પ્રમાણે સમ અને સમ્યફ પદના પણ જાણવા. તેમાં દ્રવ્યસામ વગેરેને પ્રતિપાદન કરતા કહે છે - અહીં ઓધથી મધુર પરિણામ દ્રવ્ય - સાકર વગેરે તે દ્રવ્ય સામ છે, ઈત્યાદિ - ગાથાર્થમાં કહ્યું. હવે “ભાવ સામ" આદિ પ્રતિપાદિત કરતાં કહે છે – • નિર્યુક્તિ-૧૦૩ર-વિવેચન : આત્માની ઉપમાથી બીજાને દુઃખ ન કરવું તે ભાવસામ. અર્થાતુ પોતાની જેમ બીજાને પણ દુઃખ ન પમાડવાના પરિણામ તે ભાવસામ. તથા રાગ દ્વેષને ન સેવવા એટલે કે રાગ-દ્વેષની મણે વર્તવું તે સમ બધે પોતાના સમાન રૂપથી વર્તવું તે. તથા જ્ઞાનાદિ ત્રણે એકત્ર તે સમ્યફ જાણવા. તેથી કહે છે - જ્ઞાન, દર્શન, ચારિત્રને જોડવા તે સમ્યફ જ, અર્થાત્ મોક્ષ પ્રસાધકત્વથી છે. | સામ આદિ આત્મામાં પ્રવેશ કરાવવા તેને “ઈક' કહે છે. તેથી જ કહે છે - ભાવ સામ આદિમાં આ ઉદાહરણો છે. સામાયિક શબ્દની યોજના આ રીતે જાણવી. આત્મામાં સામાયિક નિપાતન થવાથી સામાયિક શ0દ બને છે. માન ની માફક સમ શબ્દનો માય આદેશ થતાં તેમાંથી પણ ‘સામાયિક' બને છે. એ રીતે બીજે પણ ભાવના કરવી. હવે સામાયિકના પર્યાય શબ્દોને પ્રતિપાદન કરતા કહે છે – • નિયુક્તિ-૧૦33-વિવેચન : સમતા, સમ્યકત્વ, પ્રશસ્ત, શાંતિ, શિવ, સુખ, અનિંધ, અગર્ણ, જુગુપ્સનીય, અનવધ એ એકાર્યક શબ્દો છે. [શંકા] નિરપ્તિમાં જ સામાઈય, સમઈય આદિ પયયિ શcદોને કહેલા છે, તો પછી ફરી કેમ કહ્યા 1 [સમાધાન] ત્યાં માત્ર પર્યાયશાદ છે. અહીં તો બીજા વાક્યથી અર્થ નિરૂપણ છે. એ પ્રમાણે પ્રત્યેક શહદમાં અર્થની અભેદતાથી અનંતા ગમ અને અનંતા પયયો એક સૂત્રના જ્ઞાપિત છે. અતવા અસંમોહાથે ત્યાં કહ્યા છતાં અહીં કથન અદુષ્ટ જ છે. હવે કંઠતઃ સ્વયં જ ચાલનાને પ્રતિપાદિત કરવા કહે છે - • નિર્યુક્તિ-૧૦૩૪-વિવેચન : કારક કોણ છે ? કરતો હોય છે. કર્મ શું છે? કતાં વડે કરાય છે. કારક અને કરણ પરસ્પર ભિન્ન છે કે અભિજ્ઞ? એ આક્ષેપ તે ચાલના. અહીં “હે ભદંતાં હું સામાયિક કરું છું' એમાં કત, કર્મ, કરણ વ્યવસ્થા વક્તવ્યતા છે. જેમકે – હે સજા! હું ઘડો કરું છું, તેમાં કુલાલ' એ કત, ઘટ એ કર્મ, દંડાદિ તે કરણ છે. તેમ અહીં કરનાર તે “આત્મા' જ છે. • x - જે કરાય છે, તે તદ્ગુણરૂપ સામાયિક જ છે. 7 શબ્દ કરણ પ્રશ્નના નિર્ણયનના સંગ્રહ માટે છે. તે જણાવે છે – “ઉદ્દેશાદિ ચાર ભેદે કરણ છે.” કારક અને કરણ વચ્ચે તથા ૨ શબ્દથી કર્મનો કારક વચ્ચે ભેદ છે કે અભેદ છે ? ભેદ માનશો તો સામાયિકવાળાને સામાયિક કળમોક્ષનો ભાવ થશે, કેમકે આત્મારૂપ કારકથી તે સામાયિક અન્ય છે, જેમ મિથ્યાર્દષ્ટિથી સામાયિક અલગ હોવાથી rajsaheb\Adhayan-33\Book33AL E:\Mahar
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy