________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
ભાગ-૩૩
૪૦ આવશ્યક-મૂલસૂત્ર 3
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૧૭
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે. જે ચાર મૂળસૂત્રોમાં પહેલું મૂળ સૂત્ર છે. તે ‘આવશ્યક’ નામથી પ્રસિદ્ધ છે. તેનું પ્રાકૃતમાં આવય એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તો તેને ‘આવશ્ય’' નામે જ ઓળખે છે. આ
આગમમાં છ અધ્યયનો છે.
મૂળ આવશ્યક સૂત્રનું કદ તો ઘણું જ નાનું છે, માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે. પરંતુ તેની નિયુક્તિની સંખ્યા-૧૬૨૩ છે, વળી તેમાં ભાષ્ય અને હારિંભદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ મોટું થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, બૃહત્ ભાષ્ય, ઈત્યાદિ વિવરણો સાથે રાખવામાં આવે તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તૃત થઈ જાય.
મૂળ આવશ્યકમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચક્ખાણ એ છ વિષયો છે. પણ નિયુક્તિ સાથે ચૂર્ણિ અને વૃત્તિને લઈએ તો જૈન વાડ્મય બની જાય તેટલા વિષયો અને કથા-દૃષ્ટાંત સહ આ આગમ પ્રચૂર માહિતીસ્રોત
બની રહે છે.
અહીં અમે અનુવાદમાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, હાભિદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે. પરંતુ વિશેષાવશ્યક ભાષ્યાદિ પણ જોઈ લેવા યોગ્ય જ છે. તેમાં ઘણું તાત્ત્વિક ઉંડાણ સમાવાયું છે.
અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેર્યા છે, તો ક્યાંક વ્યાકરણાદિ છોડેલ પણ છે. કથા-દૃષ્ટાંતો પણ ક્યાંક વાક્યમૂર્તિ આદિથી લંબાયા છે, તો ક્યાંક સંક્ષેપ પણ કર્યો છે.
અમે આ આગમને નિર્યુક્તિના આધારે ચાર વિભાગમાં વહેંરચેલ છે. જેમાં પહેલા બે ભાગોમાં ૧ થી ૧૦૦૫ નિર્યુક્તિ અને વિવેચન કર્યા છે. આ ભાગમાં નિર્યુક્તિ-૧૦૦૬ થી ૧૨૭૩ને સમાવેલ છે.
આ ત્રીજા ભાગમાં અધ્યયન ૧ થી ૩ સંપૂર્ણ અને પ્રતિક્રમણ અધ્યયનમાં સિદ્ધોના ૩૧-ગુણો સુધીના સૂત્રોનું વિવેચન કરેલ છે.
33/2
6
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૧૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
ૐ આવશ્યક સૂત્ર-ટીકા સહિત-અનુવાદ
— x — x — x — x — x — x — x — x — x —
(૧) આ પૂર્વે ભાગ-૧ અને ભાગ-૨માં થઈને ૧ થી ૧૦૦૫ નિયુક્તિ અને તેનું વિવેચન સમાવેલ છે. આ ભાગ-૩-માં નિયુક્તિ-૧૦૦૬ થી ૧૨૭૩ એમ કુલ-૨૬૮ નિયુક્તિનો સમાવેશ છે. ભાગ-૨ માં “નમસ્કાર મંત્ર એક જ મૂળસૂત્ર આવેલ હતું. વાસ્તવિક રીતે અધ્યયન-૧-“સામાયિકનો આરંભ આ ત્રીજા ભાગમાં છે. આ ભાગ-૩-માં મૂળસૂત્રો-૧ થી ૨૬ [અધુરુ] નો અમે સમાવેશ કરેલ છે. જેમાં ત્રણ અધ્યયનોમાં મૂળસૂત્ર ૧ થી ૧૦ પુરા છે “પ્રતિક્રમણ” નામે ચોથું અધત્વ છે, જેમાં સુત્રો-૧૧ થી ૩૬ છે. તેમાંથી અને સૂત્ર-૨૬ સુધી આ ભાગમાં લીધા છે. તે ૨૬માં પણ “બીશયોગસંગ્રહ" ભાગ-૪-માં લીધેલ છે.
(૨) [ભાગ-૧ અને ૨ માં અમે નિયુક્તિ અને તેનું વિવેચન એવા બે અલગ ભાગ પાડેલા. આ ભાગમાં નિયુક્તિ અને વિવેચન બંને સાથે જ લીધેલ છે, અલગ-અલગ વિભાગ કરેલાં નથી.]
(૩) વાંચતી વખતે ઓળખવું સહેલું પડે માટે મૂળસૂમો ઈટાલિક બોલ્ડમાં સૂત્રનું વિવેચન નોર્મલ ટાઈપમાં અને નિયુક્તિ અને ભથ્ય તથા તે બંનેના વિવેચનને સેમી બોલ્ડમાં કમ્પોઝ કરાવેલ છે.
• નમસ્કાર નિયુક્તિ... ભાગ-૨-થી ચાલુ ઃ
હવે આક્ષેપદ્વારનો અવયવાર્થ પ્રગટ કરતા કહે છે –
• નિયુક્તિ-૧૦૦૬ + વિવેચન :
આક્ષેપ-આ નમસ્કારમાં સંક્ષેપ નથી અને વિસ્તાર પણ નથી. સંક્ષેપ બે છે સિદ્ધ અને સાધુ, વિસ્તાર અનેક પ્રકારે છે, તેમાં પાંચ ભેદ યુક્ત નથી.
આ પાંચ અંશક પાઠ તે અપપાઠ છે, - X - તેમાં સંક્ષેપવત્ તે સામાયિક સૂત્ર છે, વિસ્તારથી ચૌદ પૂર્વી છે. જ્યારે પંચ નમસ્કાર સૂત્ર ઉભયાતીત છે. તેથી આ સંક્ષેપ પણ નથી અને વિસ્તાર પણ નથી. કેમકે જો આ સંક્ષેપ હોત તો તેમાં બે ભેદે જ નમસ્કાર કહેવાત. સિદ્ધને અને સાધુને. કઈ રીતે ? સિદ્ધ શબ્દથી અહંતાદિ પરિનિવૃત્ત છે, માટે ફક્ત સંસારીનું જ સાધુ શબ્દથી ગ્રહણ થાય છે. - ૪ - ૪ - તેથી સિદ્ધ અને સાધુના નમસ્કારથી બાકીનાનો નમસ્કાર થઈ જ જાય છે.
જો આનો વિસ્તાર કરીએ તો, તે પણ અસુંદર થશે. કેમકે વિસ્તાર કરવાથી અનેક ભેદ પ્રાપ્ત થાય છે. તે આ રીતે - ઋષભ, અજિત, સંભવ આદિ ચોવીશ અરહંતોને નમસ્કાર, સિદ્ધનો વિસ્તાર કરતા - અનંતર સિદ્ધોને, પરંપર સિદ્ધોને, પ્રથમ સમય સિદ્ધોને ઈત્યાદિ અનંતનો વિસ્તાર થાય.
આ રીતે બંને પક્ષને સ્વીકારતા પંચ પ્રકારો યોજી શકાય નહીં.
આ રીતે આક્ષેપદ્વાર કહ્યું. હવે પ્રસિદ્ધિદ્વારનો અવયવાર્થ કહે છે તેમાં *સંક્ષેપ'ની યોગ્યાયોગ્યતા વિચારી કહે છે - X - X - બે ભેદ લેતાં સર્વ ગુણ નમસ્કાર
અસંભવ છે - ૪ - તેથી કહે છે –
• નિયુક્તિ-૧૦૦૭ વિવેચન :
આ અર્હત્ આદિ નિયમથી સાધુઓ છે. કેમકે સાધુના ગુણોનો તેમાં સદ્ભાવ છે. સાધુઓનો અર્હત્ આદિમાં ભજના છે, કેમકે તે બધાં અર્હત્ આદિ નથી. કેટલાંક