SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૪૯ થી ૫૧ ર૬ ૨Ro આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ થઈને કેવળજ્ઞાન પામ્યા. ત્યારપછી દિવીના પ્રતિબોધચી] બાકીના ચારે પણ કેવળજ્ઞાન પામ્યા. પાંચે પણ સિદ્ધ થયા. આ તે બધાંની પારિણામિકી બુદ્ધિ જાણવી. (૧૧) અમાત્ય પુર • વરઘનુ, તેને તેનું પ્રયોજનોમાં પારિણામિકી બુદ્ધિ વાપરેલી. જેમકે – માતાને છોડાવી, તે પલાયન થયો. ઈત્યાદિ બધું કહેવું જોઈએ. બીજા આચાર્ય બીજે ટાંત આપે છે – એક મંત્રીમ, કાપેટિક રાજકુમાર સાથે ચાલતો હતો. કોઈ દિવસ નિમિત્તક મળ્યો. રાત્રિના દેવકુલિકામાં રહીને શિવા રહે છે. કુમાર નૈમિત્તિકને પૂછ્યું કે- આ શું ભણો છો? તેણે કહ્યું - આ ભણવાથી આ નદીના કાંઠે પૌરાણિક ક્લેવર રહે છે. આ કટિમાં સો મુદ્રા વિશેષ છે, હે કુમાર ! તે તું ગ્રહણ કર. મુદ્રાઓ તારી અને ક્લેવર મારું. હું એકલો તે કરી શકું તેમ નથી. કુમારને કૌતુક જગ્યું. તે નિમિતકને છેતરીને એકલો ગયો. ત્યાં જઈને મુદ્રાઓ ગ્રહણ કરીને પાછો આવી ગયો. ફરી નિમિત્તક રટણ કરે છે, કુમાર ફરી પૂછે છે. તે બોલ્યો - કૌતુહલિક કહે છે - આ પ્રમાણે બોલે છે કે હે કુમાર ! તને પણ સો મુદ્રા મળી અને મને ફ્લેવર, કુમાર મૌન થઈ ગયો. મંત્રીપુત્ર વિચારવા લાગ્યા કે – આનું સત્ય જોઉં. આ કૃપણામે લઈને આવે છે કે બહાદુરીથી ? જો કૃપણcથી લાવે, તો આના રાજ્યમાં રહેવું નહીં. સવારે કહ્યું - તું જા, મને તો પેટમાં શૂળની પીડા છે, હું જઈ શકું તેમ નથી. કુમારે તેને કહ્યું કે - તને છોડીને જવાનું યુક્ત નથી. પરંતુ અહીં મને કોઈ જાણે નહીં, તે રીતે આપણે જઈએ. પછી કુલપુક ગૃહે જઈને બધું આપી દીધું. બધું પોષણ મૂલ્ય દીધું. મંત્રીપુત્રએ જાયું - આણે બહાદુરીથી કાર્ય કરેલ છે. • x - ૪ - કુમારે રાજ્ય પ્રાપ્ત કર્યું. ભોગો પણ તેને આપ્યા. આ તે મંત્રીપુત્રની પારિણામિકી બુદ્ધિ જાણવી. (૧૨) ચાણક્ય :- ગોલ દેશમાં ચણક નામે ગામ હતું. ત્યાં ચણક નામે બ્રાહમણ રહેતો હતો. તે શ્રાવક હતો. તેના ઘેર સાધુઓ ઉતર્યા હતા. ચણકનો પુત્ર દાંત સહિત જન્મ્યો હતો. ચણકે તે પુત્રને સાધુના પગે લગાડ્યો. ત્યારે સાધુઓએ કહ્યું કે – આ સજા થશે. ક્યાંક મારો પુત્ર દુર્ગતિમાં ન જાય તેમ વિચારીને ચણ કે તેના દાંત ઘસી નાંખ્યા. ફરી પણ આચાર્યએ કહ્યું, હવે શું કરવું તે કહો? આચાર્ય બોલ્યા - હે તે પ્રચ્છન્ન રાજા થશે. બાળ ભાવનો ત્યાગ કરીને તે બાળક ચૌદ વિધા સ્થાનોનો પાગામી બન્યો. તે શ્રાવક સંતુષ્ટ થયો. એક ભદ્ર બ્રાહ્મણકુળથી તેને માટે પની [કન્યા] લાવીને પી. કોઈ દિવસે કોઈ કૌતુકમાં તેની પત્ની માતાને ઘેર ગઈ. કોઈ કહે છે કે – તેણીના ભાઈના વિવાહમાં ગયેલી. તેની બહેનને કોઈ પ્રયુર ધનાઢ્ય સાથે પરણાવી. તેણી અલંકૃત અને વિભૂષિત થઈને આવી. બધાં જ પરિજનો તેણીની સાથે વાતો કરતા હતા. ચાણક્યની પત્ની એકાંતમાં ઉભેલી. તેને મનમાં ઘણો જ ખેદ થયો. ઘેર આવી, શોકમય રહેવા લાગી. ચાણક્યએ ઘણો આગ્રહ કર્યો ત્યારે તેણીએ બધી વાત કહી. ચાણક્યએ વિચાર્યું કે પાટલિપુગમાં નંદ રાજા દાન આપે છે. હું ત્યાં જાઉં. પછી કારતક પૂર્ણિમામાં પૂર્વે રાખેલા આસને જઈને તે બેઠો અને તે તેના-નંદના માટે સદા રખાયેલું હોય છે. નંદની સાથે સિદ્ધપુત્ર ત્યાં આવ્યો અને બોલ્યો કે - આ બ્રાહ્મણ નંદવંશની છાયાને આક્રમીત કરીને રહેલો છે. દાસીએ તેને કહ્યું - હે. ભદંતા બીજા આસને બેસો, તેણે બીજા આસને કંડિકા સ્થાપે છે, એ પ્રમાણે ત્રીજા આસને દંડક સ્થાપ્યો, ચોચા આસને માળા મૂકી, પાંચમાં આસને જનોઈ મૂડી, આ ધૃષ્ટ છે. એમ કહી તેને ત્યાંથી બહાર કાઢી મૂક્યો. તેણે મનમાં જ નંદને ઉખેડી દેવાની પ્રતિજ્ઞા કરી. ફરી કોઈ વખત કહે છે કે – તે પુરુષને શોધવા નીકળ્યો. કેમકે ચાણક્ય તેિણે સાંભળેલું કે તે પરદા પાછળનો રાજા થશે. ચાણક્ય, નંદના મયૂર પોષકોને ગામે ગયો. પuિાજકનો વેશ લીધો. તેના મહતરની પુત્રીને ચંદ્રનું પાન કQાનો દોહદ થયો. તે ભિક્ષા માટે ગયેલો. તેને પૂછે છે કે આને ચંદ્રપાન કરૂં છે, તો શું કરવું? ચાણક્ય બોલ્યો, જો આ બાળક મને આપી દો તો હું તેણીને ચંદ્રનું પાન કરાવીશ. તેઓએ હા કહી. પછી વાનો મંડપ કર્યો. તે દિવસે પૂર્ણિમાં હતી મંડપની મધ્યમાં છિદ્ર કર્યું. મધ્યમાં રહેલ ચંદ્રમાં સર્વ સહયુર દ્રવ્યો વડે સંયોજીને દુધનો થાળ ભર્યો, બાળકને બોલાવ્યો, ચંદ્રને જુએ છે અને પી જાય છે. ઉપર એક પુરષ આચ્છાદન કરતો જાય છે. તેનો દોહદ પરો થયો. આવેલ બાળકનું ચંદ્રગુપ્ત નામ રાખ્યું. તે પણ મોટો થવા લાગ્યો. ચાણક્ય ધાતુવાદ-સ્વર્ણરસાદિને શોધે છે. ચાણક્ય તે બાળક સાથે રાજનીતિથી મે છે, ઈત્યાદિ - * * * * * * ચાણક્ય તેને કહેલું કે જ્યાં સુધી હું તને રાજા ન બનાવી દઉં, ત્યાં સુધી હું પરિવ્રાજક છું. - x - કાળક્રમે ચાણક્ય લોકોને ભેગા કર્યા અને પાટલીપુત્રને રુંધ્યું. [ઘેરા ઘાલ્યો.]. નંદરાજાએ પરિવ્રાજકને ભગ્ન કર્યો, ઘોડા લઈને પાછળ પડ્યો. ચંદ્રગુપ્ત પાસરોવરમાં ડૂબાડી રાખ્યો. સંજ્ઞા વડે કહી દીધું કે અશ્વ સૈન્ય ચાલી જાય ત્યારે બહાર આવી જજે. ચંદ્રગુપ્ત પણ તેમ કર્યું. બીજા કોઈ એમ કહે છે કે – ચંદ્રગુપ્તને પાસરોવરમાં ફેંકીને તે ધોબી થઈ ગયો. પછી એક જાત્યવાહી અશ્વકિશોર ઉપર જતાં અસવારે પૂછતા તેને કહ્યું કે - ચંદ્રગુપ્ત આ પાસરોવરમાં ડૂબી ગયો. પછી અસવારે તે જોયું. પછી તેણે ઘોડો ચાણક્યને આપ્યો. પગ નીચે મૂક્યું ચાવત બધું જ મૂકીને પાણીના ઉતરવાને માટે કંચક " નીચે પહેરવાનું વસ્ત્ર, તેને મૂકે છે. તેટલામાં ચાણક્યએ ખગ લઈને તે પુરુષના બે કટકા કરી દીધા. ત્યારપછી ચંદ્રગુપ્તને બોલાવીને ઘોડા ઉપર બેસીને તે બંને પલાયન થઈ ગયા. ચાણક્યએ ત્યારપછી ચંદ્રગુપ્તને પૂછ્યું. જે વેળાએ તને સરોવરમાં ફેંકી દીધો,
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy