SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ : ૨ • વિવેચન-૯૨૭ : કર્મમાં સિદ્ધ તે કર્મસિદ્ધ અર્થાત કર્મમાં નિષ્ઠાને પામેલ. એ પ્રમાણે શિલ્પ સિદ્ધ, વિધાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યામાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપ:સિદ્ધ, કર્મક્ષયસિદ્ધ એ અગિયાર સિદ્ધો જાણવા. ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. અવયવાર્ય તો પ્રતિદ્વારે કહેવાશે. તેમાં નામસિદ્ધ અને સ્થાપનાસિદ્ધ સુખે જાણી શકાય છે. દ્રથસિદ્ધ - નિપન્ન થયેલ ઓદનને સિદ્ધ કહેવાય છે. હવે કર્મસિદ્ધાદિની વ્યાખ્યા વડે કમદિ સ્વરૂપ જ જણાવે છે - • નિયુક્તિ -૯૨૮ - આચાર્યના ઉપદેશ વિના જે પ્રાપ્ત થાય તે કર્મ, જેમકે - કૃષિ, વાણિજ્ય આદિ. જે આચાર્યના ઉપદેશાદિથી શિખાય તે શિલ્ય. જેમકે – ઘટ, લોહારાદિ ભેદથી કાર્ય. • વિવેચન-૯૨૮ : અહીં કર્મ એટલે આચાર્યના ઉપદેશ વિના જ સાતિશય અનન્ય સાધારણ ગ્રહણ કરાય છે. શિપ - અન્ય રીતે કહેવાય છે. અર્થાતુ જે આચાર્ય ઉપદેશ કે ગ્રન્જનિબંધથી ઉત્પન્ન થાય છે. સાતિશય કર્મ પણ તેથી શિલ્પ કહેવાય છે. તેમાં ભારવહન, કૃષિ, વાણિજ્યાદિ કર્મ, ઘડો, લુહારાદિના ભેદથી શિલ્પ છે. હવે કમસિદ્ધ ઉદાહરણ સહિત જણાવતા કહે છે – • નિયુક્તિ -૯૨૯ - જે સર્વ કર્મમાં કુશળ છે, અથવા જે જેમાં સુપરિતિષ્ઠિત થયો હોય, તેને અધ્યગિરિ સિદ્ધકની જેમ કમસિદ્ધ જાણતો. • વિવેચન-૯૨૯ - જે કોઈ સર્વ કર્મમાં કુશલ છે, અથવા જે કર્મમાં સુપરિતિષ્ઠિત છે ઈત્યાદિ ગાથાર્થ કહ્યો. ભાવાર્થ કથાનકથી જાણવો. તે આ - કોંકાણક દેશમાં એક દુર્ગમાં સહ્યથી માંડ ઉતારતો અને ચડાવતો. તેમાં વિષયમાં જે ગુરુ ભાસ્વાહી હતો તેને રાજાએ સમ્યફ આજ્ઞપ્ત કરેલ કે આને મારે પણ માર્ગ આપી દેવો. પણ તેણે કોઈને ન આપવો. આ તરફ ચોક સૈધવીય પુરાણ, તે પ્રતિભગ્ન [દીક્ષા છોડેલો] વિચારે છે કે હું ત્યાં જઉં, જ્યાં આ જીવ કર્મમાં ભાંગે નહીં અને સુખને જાણે નહીં. તે આ ભાર વાહકોને મળ્યો. તે જવાને તૈયાર થતા કહે છે - કુકડાના અવાજથી પ્રતિબોધિત સિદ્ધ કહે છે – મને સિદ્ધિ આપો. જે રીતે સિદ્ધો સિદ્ધિમાં સાકે ગયા છે. તે તેઓમાં મહતર હતો, બધાંથી વધારે ભાર વહન કરતો હતો. તેણે સાધુને જોઈને માર્ગ આપ્યો. ભાસ્વાહકો રોષિત થયા, રાજકુલે ફરિયાદ કરી, તેઓએ કહ્યું - અમારો રાજા પણ ભારથી દુઃખી થતાને માર્ગ આપે છે. તો તેં શ્રમણને માટે ખાલી કરીને માર્ગ કેમ આપ્યો ? ૧૯૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ રાજાએ તેને કહ્યું - તેં ઘણું ખોટું કર્યું. મારી આજ્ઞા ઉલ્લંઘી. તે ભારવાહીએ કહ્યું - હે દેવ ! આપે મને ગુરુભારવાહી કરીને આ આજ્ઞા કરેલી ? રાજાએ કહ્યું - હ. જો એમ હોય તો સાધુ ગુરતરભારવાહી છે. કઈ રીતે ? જે તે થાક્યા વિના ૧૮,૦૦૦ શીલાંગથી ભરેલ ભાર વહે છે, તે મારાથી પણ ઉપાડાતો ન હતો. તેણે ધર્મકથા કહી – મહારાજ ! વહન કરાય તે ભાર. તે પણ વિશ્રામ લેતા વહન કરે છે, જ્યારે સાધુઓ શીલનો ભાર ચાવજીવન વિશ્રામ વિના વહન કરે છે. રાજા પ્રતિબોધ પામ્યો. તે સંવેગવાળો થયો. ઉધત થયો. આ કર્મસિદ્ધ. હવે શિલ્યસિદ્ધને દેહાંત સહિત જણાવવા માટે કહે છે – • નિર્યુક્તિ-૯૩૦ - જે સર્વ શિલ્ય કુશળ છે અથવા જે જયાં સુપરિનિષ્ઠિત છે. તે કોકાણ સુતારની માફક સાતિશયી શિલ્ય સિદ્ધ જાણવો. • વિવેચન-૯૩૦ - જે કોઈ નિર્દિષ્ટ સ્વરૂપ સર્વ શિક્ષોમાં કુશલ હોય અથવા જે જયાં સુપરિતિષ્ઠિત હોય છે - શેષ ગાથાનો ભાવ કથાથી જાણવો. સોપારક નગરમાં રથકારની દાસીનો બ્રાહ્મણથી દાસપુત્ર જન્મ્યો. તે મૂક ભાવથી રહેતો, જેથી કોઈ જાણે નહીં. રકાર પોતાના પુત્રને શીખવતો પણ તે મંદબુદ્ધિથી ગ્રહણ કરતો ન હતો. તે દાસપુને બધું ગ્રહણ કરી લીધું. ચકાર મૃત્યુ પામ્યો. રાજાએ દાસને તેના ઘરમાં સારરૂપ જે કંઈ હતું તે બધું આપી દીધું. આ તરફ ઉજૈનીમાં રાજા શ્રાવક હતો. તેને ચાર શ્રાવક હતા. એક સોઈયો હતો, તે રાંધતો. તેને રૂચિ હોય તો જિમિત માત્રથી જીરણ કરતો. અથવા પ્રહર, બે - ત્રણ - ચાર - પાંય ચામચી જ્યાં સુધી ન રુચે ત્યાં સુધી ન જમતો. બીજો શ્રાવક આણંગન કરતો, તે તેલના કુq-કુડવ શરીરમાં પ્રવેશ કરાવતો અને તેને જ બહાર કાઢતો હતો. બીજો શ્રાવક શય્યા સ્વતો હતો. જો યે તો પહેલા પ્રહરે જાગતો અથવા બીજા, ત્રીજા, ચોથા પ્રહરે જાગતો અથવા સૂઈ જ રહેતો. ચોથો શ્રાવક શ્રીગૃહિક હતો. તેવું શ્રીગૃહ બનાવેલ કે ત્યાં જાય તો કંઈજ ન દેખાય. એવા ગણો હતા. તે રાજાને પુત્ર ન હતો. કામભોગથી નિર્વેદ પામીને તે રાજા પ્રવજ્યાના ઉપાય વિચારતો રહેતો હતો. આ તરફ પાટલીપુર નગરમાં જિતશબુ રાજા હતો. તેણે તે નગરીને ઘેરો ઘાલી રંધેલ હતી. એટલામાં તે રાજાને પૂર્વ કર્મની પરિણતિ વશ ગાઢ શૂળ ઉત્પન્ન થયું. તેણે ભક્તપત્યાખ્યાન કર્યું. મરીને તે દેવલોકમાં ગયો. નગરજનોએ તે રાજાને નગરી આપી દીધી. - શ્રાવકોને બોલાવ્યા અને પૂછ્યું - શું કર્મક છે? ભાંડાગારિક પ્રવેશ્યો, કંઈ જ દેખાયું નહીં, બીજા દ્વારા દેખાડાયો. શય્યાપાલકે એવી શય્યા કરી, જેનાથી મુહ મુહર્તે ઉઠી જાય છે, રસોઈયાએ એવી સોઈ કરી, જેનાથી વારંવાર જમવા લાગ્યો. અત્યંગકે એક પગનું તૈલ ન કાઢ્યું, જે મારી જેવો હોય તે કાઢશે. ત્યારે શ્રાવકોએ દીક્ષા લીધી.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy