SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ ઉપોદ્ઘાત નિ - ૬૭૬ થી ૬૭૯ ઉપનય - જે સ્વયં વૈયાવચ્ચ ન કરે, તેને ધરાર કરાવવી. તેથી બલાભિયોગ સિવાય મોક્ષાર્થી વડે સ્વયં જ ‘ઈચ્છાકાર' આપીને પાર્જિતની પણ વૈયાવચ્ચ કરવી. (શંકાવું તો શું અપાર્જિતની સ્વયં ઈચ્છાકાર કરણ અયુક્ત છે, તે આશંકાને માટે કહે છે – • નિર્યુક્તિ-૬૮૦ - અભ્યર્થનામાં મરકનું, શિષ્યને પ્રેરણામાં વાનરનું દૃષ્ટાંત છે. ગુરકરણમાં સ્વયં જ બે વણિકોના દષ્ટાંત છે. • વિવેચન-૬૮૦ :સંક્ષેપથી ગાથાર્થ કહ્યો, હવે વિસ્તારાર્થે કથાનક કહે છે - એક સાધુને લબ્ધિ હતી, તે બાળ-વૃદ્ધની વૈયાવચ્ચ કરતો ન હતો. તેને આચાર્યએ પ્રેરણા કરી ત્યારે તેણે કહ્યું – મને કોણ અભ્યર્થના કરે છે ? આચાર્યએ કહ્યું – તું અભ્યર્થના શોધતા ચુકીશ, જેમ તે મટુક [બ્રાહ્મણ]. એક બ્રાહ્મણ જ્ઞાનના મદમાં મસ્ત હતો. કાર્તિક પૂર્ણિમામાં રાજા જનપદોમાં દાન દેવા લાગ્યો, તો ત્યાં ન ગયો. તેની પત્નીએ કહ્યું - જાઓ. ત્યારે બ્રાહ્મણ બોલ્યો - હું એક તો શુદ્રનો પ્રતિગ્રહ કરું છું બીજું તેના ઘેર જઉં, જેને સાતમી પેઢીથી કુળનું કાર્ય મને આવીને આપે છે, માટે ન જઉં] એ રીતે તે ચાવજજીવન દરિદ્ર રહ્યો. એ પ્રમાણે તું પણ અભ્યર્થના શોધતો નિર્જાથી ચૂકીશ. આ બાળ-વૃદ્ધોની વૈયાવચ્ચ કરનારા બીજા છે, તારી આ લબ્ધિ છે, તે એમ જ નાશ પામશે. ત્યારે તે બોલ્યો કે - જો સુંદર છે, તો સ્વયં કેમ કરતા નથી ? આચાર્ય કહે છે કે – તું તે વાનર જેવો છે. એક વાનર હતો, વૃક્ષો રહેતો. વરસાદમાં ઠંડી હવાથી ધ્રુજતો હતો. ત્યારે સુઘરીએ તેને કહ્યું - હે વાનર ! તું પુરુષ છે પણ બાહુ દંડને નિરર્થક વહે છે, તું વૃક્ષના શિખરે કોઈ ઘર વગેરે કરતો નથી. તેણીએ આમ કહેતા વાનર મૌન રહ્યો, ત્યારે તેણી બે-ત્રણ વખત તેમ બોલી. ત્યારે તે રોષિત થઈને વૃક્ષ ઉપરથી ઉતરવા લાગ્યો, તેણે સુઘરીના માળાને વીંખી નાંખ્યો સુઘરી ભાગી. વાનરે કહ્યું – હે સુઘરી ! તું મારી મહતકિા નથી કે મારી મિત્રાદિ નથી, હવે તું પણ ઘર વગરની રહે. * x - એમ હે શિષ્ય ! તું પણ મારી ઉપર કરી રહ્યો છે. પણ મારે બીજા પણ નિર્જરા દ્વાર છે, તેનાથી મને ઘણી નિર્જરા છે. તે લાભથી ભ્રષ્ટ થઈશ, જેમ તે બે વણિકો થયા હતા. એકે પહેલાં વરસાદમાં સ્વયં જ પોતાના ઘરને ઢાંકતો વ્યાપારના લાભથી ભટ થયો, બીજો મૂલ્ય આપી બીજા પાસે ઢંકાવતા, તે દિવસે ઘણો વ્યાપાર થવાથી ઘણાં લાભને પામ્યો. - ૪ - એ પ્રમાણે હું જાતે જ વૈયાવચ્ચ કરું તો સૂત્રાર્થના ચિંતન વગર તે નાશ પામે. તે બંને નાશ પામતા ગ9ની સારણાના અભાવે ગણના આદેશાદિના પતિતપણથી મારું ઘણું બધું નાશ પામે. સૂત્રાર્થના અચિંતન આદેશમાં વૃદ્ધ, શૈક્ષ, ગ્લાન, બાલ, પક, વાદી, ઋદ્ધિમાનું અને ઋદ્ધિ રહિતનું ધ્યાન ન રહે, આ કારણોથી આચાર્ય તુંબરૂપ હોય છે. [તંબ એટલે ચકની નાભિ તેથી તે વૈયાવચ્ચ ન કરે, તે બાકીનાનું કર્તવ્ય છે. જેમ કુળના મોભીરૂપ પુરુષનું આદરથી રક્ષણ કરવું જોઈએ કેમકે તુંબનાભિનો વિનાશ થતાં આરાઓને કોઈ આધાર રહેતો નથી. • x • પાણી લેવાને ગયેલા આચાર્યની લઘુતા થાય છે. લોકોમાં પણ “આચાર્યનો પ્રભાવ નથી” ઈત્યાદિ લોકાપવાદ થાય છે. - x • બાકી સુગમ છે. ઈચ્છાક્રિયાથી હું તારા માટે પ્રથમાલિકાને લાવું છું. એમ વિચારી જો લબ્ધિ અભાવે મેળવી ન શકે ત્યારે શું તેને નિર્જરા લાભ ન થાય? • નિર્યુક્તિ-૬૮૧ + વિવેચન : સંયમવ્યાપારમાં અમ્યુન્જિતને તથા મનઃપ્રસાદથી આલોક પરલોકની આશંસા છોડીને કરવાની ઈચ્છાવાળા તપસ્વી-સાધુને લબ્ધિ આદિના અભાવે ન મળવા છતાં અદીત મનવાળા તેને નિર્જરાનો લાભ છે જ. દ્વા-૧ સમાપ્ત. હવે મિથ્યાકાર વિષય જણાવવા કહે છે – • નિયુક્તિ-૬૮૨ થી ૬૮૫ - સંયમયોગમાં ઉધમી બનેલ, જે કંઈ વિપરીત આચરણ કરે, તે ખોટું છે એમ જાણીને મિયા દુષ્કૃત દેવું જોઈએ... જે પાપકર્મ કરીને અવશ્ય પ્રતિકમવું જોઈએ. તે પાપ કર્મનું ન કરવું તે ઉત્સર્ગ પદે પ્રતિકાંત છે... જે દુકૃતને આપીને મિયાકૃત આપ્યુંતેના કારણને ફરી ન આચરતો, ગિવિધે પડિક્કમતોનિવૃત્ત થતા, તેનું નિશે મિથ્યાદુ થાય છે... જે દુકૃતને આપીને મિશ્રાદુકૃત્વ આપ્યું. તે જ પાપને ફરીથી સેવે તેને પ્રત્યક્ષ મૃષાવાદ, માયા અને નિકૃતિનો પ્રસંગ આવે. • વિવેચન-૬૮૨ થી ૬૮૫ : સંયમયોગ- સમિતિ, ગુપ્તિરૂપ તે વિષયમાં ઉપસ્થિત થયેલ, જે કંઈ અન્યથા આચરેલ હોય, તેને આ વિપરીત છે, તેમ જાણીને મિથ્યા દુકૃત આપવું જોઈએ. સંયમ યોગ વિષયોમાં પ્રવૃત્તને વિતય સેવનમાં મિથ્યાદુકૃતુ એ દોષને નિવારવાને છે. • x • ઉત્સર્ગના પ્રતિપાદન માટે કહે છે - જો પ્રતિકર્મ અર્થાતુ નિર્વતવું હોય તો મિથ્યાદુકૃત આપવું જોઈએ નિયમથી કરવું. પછી પાપકર્મ ન કરવું તે ઉત્સર્ગ પદે પ્રતિકાંત છે • x • હવે આ મિથ્યાદુકૃત સુદત્ત કઈ રીતે થાય તે જણાવે છે :•x - જે વસ્તુ દુષ્ઠ કરી છે તે દુકૃત, એ પ્રમાણે જાણીને, “સૂચનથી સૂઝ” એમ સમજીને મિથ્યાદુકૃત આપવું. પૂર્વોક્ત દુકૃત કારણને ન કરતો કે ન આચરતો જે વર્તે તેને નિશે મિથ્યાદુકૃત છે. તે • x• ત્રિવિધ અર્થાત્ મન-વચન-કાયારૂપ યોગથી, કરવા-કરાવવા-અનુમોદવા રૂપ ભેદથી નિવૃત્ત, તે દુકૃત કારણોથી તેનું જ પૂર્વોક્ત દુકૃત ફળ દાતૃવને આશ્રીને મિથ્યા થાય છે અથવા વ્યવહિત યોગથી તેનું જ મિથ્યાદુકૃત્ થાય છે, બીજાનું નહીં. હવે મિથ્યાદુકૃત દેવા છતાં સખ્ય ન થાય
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy