________________
ઉપોદ્ઘાત નિ ૪૮૦
૨૨૧
ત્યાં ગોશાળાએ વાંદરા જેવું મુખ કરીને બાળકોને વ્હીવડાવ્યા. ત્યાં પણ માર ખાધો. પછી તે બાળકોએ રોતારોતા જઈને માતા-પિતાને કહ્યું. તેઓએ પણ જઈને માર્યો પિશાય છે એમ માનીને છોડી દીધો.
લોકો બોલ્યા કે - આને માસ્વામી શો ફાયદો ? તેના કરતાં તેના સ્વામીને માસે કે જે આને રોકતા નથી.
ત્યારે તે બળદેવ પ્રતિમા હાથમાં હળ લઈને ઉભી થઈ ગઈ. ત્યારે લોકોએ પગે પડીને ભગવંતની ક્ષમા માંગી.
• નિયુકિત-૪૮૧ -
ચોરાક, મંડપ, ભોય, ગોશાળો, હનન, તેજ, દાહ, મેઘ, કાલહસ્તિ, કલંબુકમાં ઉપસર્ગ
• વિવેચન-૪૮૧ વૃિતિકારશ્રીએ પણ આ રીતે પદો જ મૂકેલા છે. કથાનક આ રીતે
ત્યારપછી ભગવંત ચોરાક નામના સંનિવેશમાં ગયા. ત્યાં ગોઠી સંબંધી ભોજન પાતુ અને પકાવાતું હતું. ત્યાં વીર ભગવંત પ્રતિમા સ્થાને સ્થિત-રહ્યા.
ગોશાળો બોલ્યો - હવે અહીં વિચરીએ.
(ત્યાં રહેલો સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો - અમે અહીં જ રહીશું. ગોશાળો પણ ત્યાં નિકૃત્યને ઉકટતાથી અવલોકે છે કે દેશકાળ છે કે નહીં ?
તે સ્થાને ચોરનો ભય હતો. ત્યારે તે ગોષ્ઠીકોએ વિચાર્યું કે - આ વારંવાર અવલોકે છે, કદાચ આ [ગોશાળો] ચોર હોય. ત્યારે તેને પકડીને અત્યંત માર્યો.
ભગવંતનો પ્રચ્છન્ન રહેલા હતા. ત્યારે ગોશાળો બોલ્યો કે – જો મારા ધમચાર્યનું જો તપ હોય તો આ મંડપ બળી જાઓ. તેના શ્રાપથી - x • મંડપ બળી ગયો ૪ -
પછી ભગવંત કલંબુડા નામના સંનિવેશે ગયા.
ત્યાં પ્રતિક એવા બે ભાઈઓ - મેઘ અને કાલહસ્તી હતા. તે કાળહસ્તીએ ચોની જેમ પકડવા દોડ્યો. મેથે ભગવંતને પૂર્વે જોયેલા હતા. કાલહસ્તીએ પૂછ્યું - તમે બંને કોણ છો ? ભગવંત મૌન જ રહ્યા.
ત્યાં તે બંનેને કાલહસ્તીને માર્યા. તો પણ ભગવંત કંઈ ન બોલ્યા. ત્યારે તે બાંધીને મોટાભાઈ મેઘ પાસે મોકલ્યા. ભગવંતને જોઈને મેઘ ઉભો થઈ ગયો. ભગવંતને પૂજ્યા, ખમાવ્યા. કેમકે તેણે પહેલા કુંડગામમાં ભગવંત વીરને જોયેલા હતા.
• નિયુક્તિ-૪૮ર :
લાઢ દેશમાં ઘોર ઉપસર્ગો, પૂર્ણ અને કળશ બે ચોરો, શએ વજથી હસ્યા. ભદ્રિકા, ચાતુમતિ, ચોમાસી તા.
- વિવેચન-૪૮૨ :વૃિત્તિકાશ્રીએ આ પ્રમાણે પદો જ નોંધ્યા છે. અર્ય કયા મુજબ)
૨૨૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ શેષ કચાનક આ પ્રમાણે છે - પછી ભગવંત વિચારે છે કે - ઘમાં કર્મોની નિર્જર કરવાની છે, લાઢ દેશમાં હું જઉં. ત્યાં તે અનાર્ય લોકો છે ત્યાં હું નિર્જર કરીશ.
તે વિષયમાં લાવકનું ટાંત યાદ કરે છે. દુનિયુકિત દીપિકામાં ય eid આપેલું છે, ત્યાં જોઈ શકાય)
પછી ભગવંત વરિત કર્મ નિર્જર માટે લાઢ દેશમાં પ્રવેશ્યા. ત્યાં હીલના, નિંદના વડે ઘણાં કર્મોની નિર્ભર કરે છે. પછી ત્યાંથી નીકળે છે.
ત્યાં પૂર્ણ કળશ નામે અનાર્ય ગામ હતું. તેના માર્ગમાં બે ચોરો લાઢ દેશમાં પ્રવેશવાને ઈચ્છતા હતા. સાધુને જોઈને અપશુકન થયા જાણીને ભગવંતના વધને માટે વિચારી તલવાર ખેંચીને માથું વાઢી નાંખવા દોડ્યા. દેવરાજ શકએ અવધિજ્ઞાનના ઉપયોગથી તે જાણીને વજ વડે તે બંનેને હણી નાંખ્યા.
એ પ્રમાણે વિયતા ભદ્રિકા નગરી પહોંચ્યા.
ત્યાં પાંચમું ચોમાસુ કર્યું. ત્યાં ચોમાસી તપ વડે રહ્યા અને સ્થાનાદિ વિચિત્ર તપોકર્મ કર્યા.
• સૂત્ર-૪૮૩ :
કદલિ સમાગમ, ભોજન, મતિ, દહીં-ભાત, ભગવતનું પ્રતિમા ધ્યાન, જંબૂNડ, ગોષ્ઠી ભોજન, ભગવંતની પ્રતિમા.
• વિવેચન-૪૮૩ - વૃિત્તિકારશ્રીએ આ પદો જ મૂકેલા છે, અર્થ કથાનક આધારે -
ત્યાંથી પારણું કરીને ભગવંત બહાર વિચરતા કદલી સમાગd નામે ગામે આવ્યા. ત્યાં શરદકાળમાં લાવક-ભોજનમાં દહીં-ભાત ઘણાં અપાતા હતા. ત્યારે ગોશાળાએ કહ્યું - ચાલો જઈએ.
(ત્યાં રહેલા) સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું – અમારે અભક્તાર્થ અથતું ભોજન ત્યાગ કે ઉપવાસ છે.
ગોશાળો ત્યાં ગયો. તેણે દહીં-ભાત ખાધા. પણ નાનું હતું અને ઉપધિના ફોટપણાથી ધારણ કરી શકાતું ન હતું.
તેઓએ કહ્યું - મોટું ભાજન કરવું જોઈએ ઈત્યાદિ ત્યારે તે દહીં-ભાત તેની ઉપર ફેંક્યા.
પછી ભગવંત જંબૂખંડ નામના ગામે ગયા. ત્યાં પણ લાવક ભોજન હતું. તે બધું પૂર્વવતું. વિશેષ ત્યાં દુધ અને ભાત (કુરિયાહતા. તેઓએ પણ તે જ રીતે ગોશાળાને કર્યું.
• નિયુક્તિ -૪૮૪ -
તંબાકમાં નંદિપેશ આચાર્ય પ્રતિમા, આરક્ષક , હનન, ભય, દહન, કૂવો, જયુસ, મુકિત, વિજયા અને પ્રગભા, પ્રત્યેક