________________
આગમસૂત્ર સટીક અનુવાદ
- આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય - ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘુપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, વૃજ્યર્થ, અનુવત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રયુર પરિશિષ્ટો છે.
on કૃદામાલા :– આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (ર) વ્યાખ્યાન સાહિત્ય » ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩,
– આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં બ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-નકશા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
- શાશ્વાતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩)
(૩) તતાભ્યાસ સાહિત્ય : ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાધિગમ સૂબ અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
- આ ગ્રંથમાં તલવાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશા પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિસહિત સૂત્ર, સૂસાથે, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂકસંદર્ભ, સૂત્રપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org