________________
ગાથા-૧૧ થી ૧૩૪
૧૦૩
૧૦૪
ભકતપરિજ્ઞાપકીર્ણકસૂત્ર અનુવાદ
અત્યંતર-મ્બાહ્ય સર્વ ગ્રંથનો તું ત્યાગ કર. સંગ પિરિગ્રહ] નિમિતે જીવો હિંસા કરે, જુઠું બોલે, ચોરી કરે, મૈથુન સેવે, અપરિમાણ મૂછ કરે ચે. સંગ [પરિગ્રહ] મહાભય છે, પુણે દ્રવ્ય ચોર્યું છતાં શ્રાવક કુંચિકે મુનિપતિને વહેમચી પડ્યા. સર્વ ગ્રંથ વિમુક્ત, શીતળ પરિણામી, પ્રશાંત ચિત્ત પુરુષ સંતોષનું જે સુખ પામે છે તે સુખ ચક્રવર્તી પણ પામતા નથી.
[૧૩૫ થી ૧૩૮] નિઃશલ્ય મુનિના મહાવતો, અખંડ-અતિયાર હિત મુનિના મહાવ્રતો નિયાણશલ્યથી નાશ પામે છે. તે રાગ, દ્વેષ અને મોગભિત ત્રણ ભેદ છે, ધર્મ માટે હીનકુલાદિની પ્રાર્થના તે મોહગર્ભિત. ગગર્ભિતમાં ગંગદd, હેપગર્ભિતમાં વિશ્વભૂતિઆદિ, મોહગર્ભિતમાં ચંડપિંગલાદિના ટાંત છે. જે મોક્ષસુખને અવગણીને
સાસુખનાં કારણરૂપ નિયાણું કરે છે, તે પુરુષ કાચમણિને માટે વૈડૂર્યમણીનો નાશ કરે છે.
[૧૩૯ થી ૧૪૧] દુ:ખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ, બોધિલાભ એટલું ખાવું, બીજું કંઈ પ્રાચ્યું નથી. નિયાણશલ્ય ત્યાગી, રાત્રિભોજન થકી નિવૃત્ત થઈ, સમિતિગુપ્તિ વડે પાંચ મહાવ્રત રક્ષતો મોક્ષસુખની સાધના કરે. ઈન્દ્રિય વિષય આસક્ત જીવો સુશીલગુણરૂપ પીંછારહિત છિન્નપાંખવાળા પક્ષીવતું સંસારસાગરમાં પડે છે.
[૧૪ર થી ૧૪૪] જેમ શ્વાન સુકાયેલા હાડકાં ચાટવા છતાં તેના સને ન પામે, પોતાના તાળવાને શોષવે છે, છતાં ચાટતાં તે સુખ માને છે. સ્ત્રીસંગતેવી પુરુષ કંઈપણ સુખ ન પામવા છતાં બાપડો પોતાના શરીરના પરિશ્રમને સુખ માને છે. સારી રીતે શોધવા છતાં કેળના ગર્ભમાં જેમ કોઈ સાર નથી, તેમ ઈન્દ્રિય વિષયોમાં ઘણું શોધવા છતાં કોઈ સુખ મળતું નથી.
[૧૪૫,૧૪૬] શ્રોત્રથી પરદેશ ગયેલા સાર્થવાહની સ્ત્રી, ચક્ષુરાગથી મથુરાનો વાણિયો, ધાણથી રાજપુર, જીલ્લાથી સોદાસ હણાયો. સ્પર્શનેન્દ્રિયથી દુષ્ટ સોમાલિયારાજા નાશ પામ્યો. એકૈક વિષયે તે નાશ પામ્યા, તો પાંચે ઈન્દ્રિયોમાં આસક્તનું શું ?
[૧૪૭, ૧૪૮] વિષયની અપેક્ષા કરનાર દુર ભવસમુદ્ર પડે છે, વિષય નિરપેક્ષ ભવસમુદ્રને તરે છે, તે માટે દ્વીપની દેવીને મળેલા બે ભાઈનું દૃષ્ટાંત છે. રાગની અપેક્ષાવાળા ઠગાયા છે અને અપેક્ષા વિનાના નિર્વિન ઈચ્છિતને પામ્યા છે, તેથી પ્રવચનનો સાર પામેલા જીવે રાગથી નિરપેક્ષ થવું.
[૧૪૯,૧૫૦] વિષયાસક્તિવાળા જીવો ઘોર સંસારસાગરમાં પડે છે અને વિષયાસતિરહિત જીવો સંસારાવીને ઓળંગી જાય છે. તેથી હે ધીર ! ધૃતિબળથી દુદતિ ઈન્દ્રિયોને દમ. તેથી રાગ-દ્વેષ શત્રુ જીતીને તું આરાધનાપતાકા સ્વીકાર કર.
[૧૫૧ થી ૧૫૩] ક્રોધાદિ વિપાકને અને તેના નિગ્રહથી થતાં ગુણને જાણીને હે સુપુરષ ! તું પ્રયનથી કપાય કલેશનો નિગ્રહ કર. જે મિલોકમાં અતિ તીવ્ર દુ:ખ છે, જે ઉત્તમ સુખ છે. તે સર્વે ક્રમશઃ કષાયની વૃદ્ધિ અને ક્ષયનું કારણ જાણ. ક્રોધથી, નંદાદિ, માન વડે પરશુરામાદિ, માયાથી પાંડુ આર્યા, લોભથી લોભનંદાદિ પીડાયા.
[૧૫૪ થી ૧૫૫] આ ઉપદેશામૃત પાનથી ભીના થયેલ ચિત્ત વિશે, જેમ તરસ્યો
પાણી પીને શાંત થાય, તેમ શિષ્ય સ્વસ્થ થઈ કહે છે - ભંતે ! હું વિકાદવ તરવા દૃઢ લાઠી સમાન આપની હિતશિક્ષાને હું ઈચ્છું છું, આપે છે જેમ કહ્યું તેમ હું કરું છું, એમ વિનયથી નમેલો તે કહે છે.
[૧૫૬ થી ૧૫૯] જો ક્યારેય અશુભ કર્મોદયથી શરીરમાં વેદના કે વૃષાદિ પરિપહો ઉપજે, તો નિયમિક ક્ષપકને સ્નિગ્ધ, મધુર, હર્ષદાયી, હૃદયંગમ, સત્ય વચન કહેતા શીખામણ આપે. હે સત્પષ ! તેં ચતુર્વિધસંઘ મધ્યે મોટી પ્રતિજ્ઞા કરેલી કે હું સમ્યક્ આરાધના કરીશ, તેનું સ્મરણ કર. અરિહંત-સિદ્ધ-કેવલી-સર્વસંઘની સાક્ષીએ પ્રત્યક્ષ કરેલ પચ્ચકખાણનો ભંગ કોણ કરે ?
[૧૬૦ થી ૧૬] શિવાલણીથી ખવાતા, ઘોર વેદના પામતાં, પણ અવંતિસકમાલ ધ્યાન વડે આરાધના પામ્યા. મોક્ષ જેને પ્યારો છે એવા ભગવનું સુકોશલ પણ મિક્ટ પર્વત વાઘણથી ખવાતા મોક્ષ પામ્યા. ગોકુળમાં પાદપોપગમન કરૂાર ચાણય, સુબંધુએ સળગાવેલાં છાણાંચી વળાયા છતાં ઉત્તમાને પામ્યા. [રોહિડગમાં કષિને શક્તિાપ્રહારથી, વિંધ્યા તે વેદના સહી ઉત્તમાર્થને પામ્યા.] તેથી હે વીર ! તું સત્વને અવલંબીને ધીરતા ધારણ કર, સંસારરૂપી સમુદ્રનું નૈ[ષ્ય વિચાર,
[૧૫] જન્મ-જરા-મરણરૂપી પાણીવાળો, અનાદિ, શાપદ આદિથી વ્યાપ્ત, જીવોને દુઃખહેતુ ભવસમુદ્ર કષ્ટદા અને રૌદ્ર છે.
[૧૬૬ થી ૧૬૮] હું ધન્ય છું કે મેં અપાર ભવસમુદ્રમાં લાખો ભવમાં પામવાને દુર્લભ આ સદ્ધર્મ યાન મેળવ્યું છે. એક વાર પ્રયત્નથી પળાતા આના પ્રભાવથી, જીવો જન્માંતરમાં દુ:ખ અને દારિદ્ઘ પામતાં નથી. તે અપૂર્વ ચિંતામણિ રત્ન છે, પૂર્વ વૃક્ષ છે, પરમમંત્ર છે, પરમ અમૃત સમાન છે.
[૧૬૯ થી ૧૩૧] હવે મણિમયમંદિરમાં સુંદર રીતે સ્કુરાયમાન જિનગુણરૂપ જનરહિત ઉધોતવાળો, પંચ નમસ્કાર સહિત પ્રાણોનો ત્યાગ કરે. તે ભકતપરિજ્ઞાને જઘન્યથી આરાધીને પરિણામ વિશુદ્ધિ વડે સૌધર્મ કહે મહર્તિક દેવતા થાય છે. ઉફાટપણે આરાધીને તે ગૃહસ્થ અમૃત કો દેવતા થાય છે, સાધુ હોય તો મોક્ષ સુખને પામે અથવા સર્વાર્થસિદ્ધમાં જાય.
[૧૭૨,૧૭૩] એ રીતે યોગીશ્વર જિત વીરસ્વામીએ કહેલ કલ્યાણકારી વચનાનુસાર આ ભક્તપરિજ્ઞાને ધન્યો ભણે છે, સાંભળે છે, ભાવે છે. તેઓ] મનુષ્ય ક્ષેત્રમાં વિચરતા અને સિદ્ધાંતમાં કહેલ ૧૩૦ તીર્થકર માક, ૧૩૦ ગાથાની વિધિપૂર્વક આરાધતો આત્મા શાશ્વત સુખવાળા મોક્ષને પામે છે..
ભક્તપરિજ્ઞાપન્ના સૂત્ર-૪, આગમ-૨૭-શ્નો મુનિ દીપરત્નસાગરે કરેલ મૂળ સૂત્રાનુવાદ પૂર્ણ
• ઉપર ૧૦ + ૨ = ૧ર ગાગ જ હોવી જોઈએ. પૂજ્યપાદ સાગરજી મહારાજે તેમજ સંપાદન કરેલ છે અમે પ્રક્ષેપ ગાથાને-૧૬3નો ક્રમ આપેલ છે જે પૂજ્ય પંચવિજયજીનું સંપાદન છે, પણ તે તેમની ભૂલ છે. કેમકે કdfએ ૧% જિનને આશ્રીતે-૧૩૦ ગાણા નું લખેલ છે.