SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-પ૩ થી ૨૮ ૮૮ [૫૫] તેથી ચંદ્રકવેણ પુરુષવત્ હેતુપૂર્વક ઉધમવાળા પુરુષોએ મોક્ષમાર્ગ સાધવા પોતાનો આત્મા ગુણયુકd કરવો. [૫૬] તે અવસરે બાહ્ય વ્યાપારરહિત અભ્યતર ધ્યાનમાં લીન, સાવધાન મનવાળે દેહનો ત્યાગ કરે [૫૭] રાગદ્વેષને હણીને, આઠ કર્મનો સંઘાત છેદીને, જન્મ અને મરણરૂપ અરહને ભેદીને તું સંસારથી મુકાઈશ. [૫] એ પ્રમાણે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મોક્ષ માગનો પાર પમાડનાર, જિનોપદિષ્ટ સર્વોપદેશ ત્રિવિધે સદહું છું. • વિવેચન-૫૩ થી ૫૮ : [૫૩] વિષયના વિપાકને જાણીને અને ગરપદેશથી ભાવિત જ્ઞાપક-શિષ્ય જે કહે છે તે કૃત પરિકમાં એટલે ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય અર્થાતુ ૧૨-વર્ષ, ૧૨-માસ, ૧ર-પક્ષ સંલેખના કરીને, નિયાણા રહિત, ઈહાપોહથી વિચારીને તત્કાલોત્પન્ન બુદ્ધિથી - ૪ - [૫૪] હવે જે પ્રશસ્ત પરિકર્મવાન્ થઈ સ્વીકારે, તેમનો અપાય કહે છે - ઉમર - અપશસ્ત, લાંબાકાળથી ભાવિત - x • પરિકમિત આત્મા પતન પામે છે, નિદાન કરે છે, દુર્ગતિ પામે છે. [૫૫] જો પ્રસ્તાવકારી અને અભ્યાસ કરેલને દોષ થાય તો શું કરવું, તેનો ગુર ઉપદેશ કહે છે - ચંદ્રવેણકવત્ - ડાબે જમણે આવર્તમાં ભમતાં આઠ ચકોની મધ્યે નીકળેલ ઉર્ધ્વમુખ બાણ પ્રયોગથી જમીન ઉપર કંડિકામાં તૈલમાં પ્રતિબિંબ પડતું હોય તે અધોમુખશખી જોઈને ઉપરની પુત્તલિકાનું ડાબું નેત્ર વિંધવું તે રાધાવેધ. પુરુષે ઉધમપૂર્વક સાઘવું. તેમ તું ચંદ્રવેધ્યક અનશનની સાધના કર, કઈ રીતે ? જ્ઞાન, દર્શન, ચારિત્રગુણને ન છોડીને [૫૬] મોક્ષમાર્ગમાં જીવે શું કરવું જોઈએ, તે કહે છે :- બાહ્ય સંબંધ - ગચ્છ ઉપકરણાદિથી રહિત, અત્યંતર ધ્યાન યોગ - જિન સાધુ ગુણ કિતન રૂ૫. તેમાં સાવધાન થઈ શરીરનો ત્યાગ કરે. [૫] એવા દેહત્યાગીને શું થાય ? આઠ કર્મોની સાંકળ ભેદીને, જન્મમરણની રેંટમાં રહેલાં જીવો કર્મરાશિથી બંધાઈને બળદની જેમ સતત ભ્રમણ કરે છે. તેમાં જે પ્રમાદી થઈ ભમે છે તે ઘણાં દુ:ખોને સહન કરે છે. જે અપમત રહે છે, તે ચાવત્ મોક્ષકર સુગતિ પામે. [૫૮] એ પ્રમાણે ગુરો ઉપકાર કરેલ શિષ્ય કહે છે – આ સર્વ ઉપદેશ જિનોક્ત છે, તેવી શ્રદ્ધા કરું છું. ત્રિવિધ - મન, વચન, કાયાથી • સૂત્ર-૫૯ થી ૬ર : [૫૯] તે મરણ અવસરે અતિ સમર્થ ચિત્તવાળા પણ ભાર ગરૂપ શ્રુતસ્કંધનું ચિંતવન કરવાનું શક્ય નથી. [૬] વીતરાગના માર્ગમાં જે એક પણ પદથી મનુષ્ય વારંવાર વૈરાગ્ય આતુપ્રત્યાખાન કીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પામે છે, તે પદચિંતવનથી તારે મરવું જોઈએ. [૬૧] તે માટે મરણના અવસરમાં આરાધનાના ઉપયોગવાળો જે પુરુષ એક પણ શ્લોક ચિંતવતો રહે તે અરાધક થાય છે. ૬િર આરાધનાના ઉપયોગવાળો, સુવિહિત આત્મા સારી રીતે મૃત્યુ પામી ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં મોક્ષ પામે છે. વિવેચન-પ૯ થી ૬૨ - [૫૯] અવિરહિતગુણ શ્રુતના ચિંતનથી થાય છે, તે કહે છે - મરણના દેશકાળ પર્યન્ત સમયમાં શિથિલ થવાથી, જિલ્લા બળ ખલના પામે છે, શ્રુતશક્તિ ઘટે છે, બાર અંગ શ્રુત ચિંતવી ન શકે. ૬િ૦] એક જ પદ સ્થાનમાં એક ગાથા-ચોક પદરૂપે ભણતાં વીતરાગના માર્ગમાં મોક્ષાભિલાષ પ્રાપ્ત થાય છે, તે પદથી મરવું. [૬૧] તેથી એક જ શ્લોક પરમેષ્ઠિ નમસ્કાર સ્મરણરૂપને જે પુરુષ મરણકાળે આરાધના ઉપયુક્ત થઈ ચિંતવે તો આરાધક થાય. [૬૨] આરાધકનું ફળ - સુવિહિત સુસાધુ ઉત્કૃષ્ટ અતિશયી સમ્યક્ આરાધના કરીને ત્રણ ભવમાં નિવણ સુખ પામે. • સૂત્ર-૬૩ : પહેલાં તો હું સાધુ શું બીજું સર્વ પદાર્થોમાં સંયમવાળો છું, તેથી બધું નોસિરાવું છુંઆટલું સંક્ષેપથી કહ્યું છે. • વિવેચન-૬૩ - એમ આરાધનાના ફળને જાણીને બધું વોસિરાવે, તે કહે છે – પહેલાં હું શ્રમણ છું - મહાવ્રત અંગીકાર કરેલ છે. સર્વત્ર સમિત અને ગુપ્તિથી સંયત છું. તો આહારના અભિલાષથી પ્રતિબંધ શું? તેથી હું બધું જ વોસિરાવું છું, તેમ સંક્ષેપથી કહ્યું. • સુણ-૬૪ થી ૬૬ - [૬૪] જિનવચન સુભાષિત અમૃતરૂપ અને પૂર્વે નહીં પામેલ એવું આત્મતત્વ પામીને સુગતિમાર્ગ રહ્યો છે, હું મરણથી બીતો નથી. [૬૫] વીરપરણે પણ મરવું પડે છે, કાયરપુરણ પણ કરવું પડે છે. બંનેએ નિશ્ચયે મરવાનું છે, તો ધીરપણે મરવું સુંદર છે. [૬૬] શીલવાળાએ પણ મરવું પડે, શીલ વગરનાએ પણ મરવું પડે, બંનેએ નિશે મરવાનું છે, તો શીલપણે મરવું સુંદર છે. • વિવેચન-૬૪ થી ૬૬ - [૬૪] સાધુ ભાવના ભાવતો આમ કહે છે - પૂર્વ ભવમાં ભ્રમણ કરતાં ન પામેલ આરાધના વસ્તુ અનુભવી છે, અમતૃરૂપ - દેવના ભોજન તુલ્ય જિનવચન પામ્યો. સુગતિ માર્ગ ગ્રહણ કર્યો, પછી ભય શાનો ? [૬૫] થર -સુભટ, પણ મરે, કાયર પણ મરે. બંને પ્રકારે મરવું પડે છે, તેથી
SR No.009058
Book TitleAgam 25 Aturpratyakhyana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 25, & agam_aaturpratyakhyan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy