SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ 9/332,333 પરિસમાપ્ત કરે છે ? ઉત્તર સૂત્રનો સંપૂર્ણ અર્થ સૂત્રાર્થવત્ જાણવો. - ૪ - x + પોરિસિ છાયા આ પ્રમાણે – તે માસના છેલ્લા વિદો રેખા - પાદ પર્યન્તવર્તી ૧૭૫ સીમા, તે સ્થાનમાં ત્રણ પાદ પોરિસિ થાય છે. અર્થાત્ પરિપૂર્ણ ત્રણ પાદ પોરિસ થાય. હવે ચોથા માસનો પ્રશ્ન ભગવન્ ! વર્ષાકાળના ચોથા કારતક માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે? ગૌતમ! ત્રણ ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. યાવત્ તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પોરિસિ થાય. વર્ષાકાળ પુરો થયો. હવે હેમંતકાળનો પ્રશ્ન – ભગવન્ ! હેમંતકાળના પહેલાં માગસર નામે માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે ? ત્રણ ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. - ૪ - ચાવત્ તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ અને આઠ આંગળ પોિિસ થાય છે. હવે બીજા માસનો પ્રશ્ન – ભગવન્ ! હેમંતકાળનો બીજો પોષ નામે માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે? ચાર ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું. - x - યાવત્ તે માસના છેલ્લા દિવસે રેખા-પાદ પર્યવર્તી સીમા, તે સ્થાનમાં ચાર પાદ પોરિસિ થાય - ૪ - • હવે ત્રીજા માસનો પ્રશ્ન - તે સુગમ છે. – પછી ચોથા માસનો પ્રશ્ન - તે સુગમ છે. ૦ હેમંત ઋતુ પુરી થઈ, હવે ગ્રીષ્મની પૃચ્છા – ભગવન્ ! ગ્રીષ્મનો પહેલો માસ ઈત્યાદિ, ભગવન્ ! ગ્રીષ્મનો બીજો માસ ઈત્યાદિ, ભગવન્ ! ગ્રીષ્મનો ત્રીજો માસ ઈત્યાદિ, ભગવન્ ! ગ્રીષ્મનો ચોથો માસ ઈત્યાદિ. ચાર ચારે પણ ગ્રીષ્મ કાળના સૂત્રો સુબોધ છે. પ્રાયઃ પૂર્વના સૂત્રાનુસાર હોવાથી સુગમ છે. વિશેષ આ - તે આષાઢ માસમાં પ્રકાશ્ય વસ્તુમાં વૃત્તને વૃત્તપણે સમચતુરસ સંસ્થાન સંસ્થિતને સમચતુરા સંસ્થાન સંસ્થિતપણે, ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાનને ન્યગ્રોધ પરિમંડલપણે, એ રીતે ઉપલક્ષણથી બાકીના સંસ્થાન સંસ્થિત પ્રકાશ્ય વસ્તુ, શેષ સંસ્થાન સંસ્થિતપણે હોય છે. આષાઢ માસમાં જ પ્રાયઃ બધી પણ પ્રકાશ્ય વસ્તુમાં દિવસનો ચોથો ભાગ જતાં બાકીના દિવસમાં સ્વ પ્રમાણ છાયા હોય છે, નિશ્ચયથી વળી આષાઢ માસના છેલ્લા દિવસે ત્યાં પણ સર્વાન્વંતર મંડલમાં વર્તતો સૂર્ય, જે પ્રકાશ્ય વસ્તુ - જે સંસ્થાને હોય છે, તેની છાયા પણ તેવા આકારે થાય છે. તેથી કહેલ છે કે વૃત્તને વૃત્તપણે Pl આ જ વાતને કહે છે – સ્વકાયઅનુગિનિ અર્થાત્ સ્વ-પોતાની છાયા નિબંધન વસ્તુની કાય-શરીર તે સ્વકાય, તેને અનુકાર ધારણ કરવાનો સ્વભાવ તે અનુરંગિની. - x - પોતાની કાયાની અનુરંગિની છાયા વડે સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત થાય છે. અહીં એવું કહેવા માંગે છે કે – જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અષાઢના પહેલા અહોરાત્રથી આરંભીને પ્રતિદિવસ અન્યાન્ય મંડલ સંક્રાંતિથી તેવી કોઈ રીતે સૂર્ય પરાવર્તન પામે છે, જે રીતે સર્વ પણ પ્રકાશ્ય વસ્તુનો દિવસનો ચોથો ભાગ જતાં બાકી કે સ્વ અનુકાર અને સ્વ પ્રમાણ છાયા થાય. બાકી સુગમ છે. આ પોરિસિ પ્રમાણ વ્યવહારથી કહેલ છે, નિશ્ચયથી સાદ્ધ ૩૦-અહોરાત્ર વડે ચાર અંગુલ વૃદ્ધિ કે હાનિ જાણવી તથા નિશ્ચયથી પોરિસિ પ્રમાણ પ્રતિપાદનાર્થે આ પૂર્વાચાર્ય પ્રસિદ્ધા કરણ ગાથાઓ કહેલ છે. [અહીં વૃત્તિાશ્રીએ પહેલા આઠ ગાથા નોધેલ છે, ત્યારપછી તેની વ્યાખ્યા કરેલ છે. અમો અહીં પૂર્વાચાર્યની ગાથાનો અર્થ અને વ્યાખ્યાની પુનરુક્તિ ન કરતાં સંયુક્ત અર્થ નોધીએ છીએ –] ગાથાનો અર્થ અને વ્યાખ્યા – યુગની મધ્યમાં જે પર્વમાં, જે તિથિમાં પૌરુષિ પરિમાણ જાણવાની ઈચ્છા હોય, તેના પૂર્વના યુગાદિથી આરંભીને જેટલાં પર્વો અતિક્રાંત થયા હોય તેને બાદ કરવા. કરીને ૧૫ વડે ગુણવું. ગુણીને વિવક્ષિત તિથિની પૂર્વે જે તિથિ અતિક્રાંત થઈ હોય, તેના સહિત કરવું. પછી ૧૮૬થી ભાંગવું. ઉક્ત પ્રાપ્ત સંખ્યા એક અયનમાં ૧૮૩ મંડલ પરિમાણમાં ચંદ્ર નિષ્પાદિત તિથિના ૧૮૬ થાય, તેથી તે ભાગ વડે ભાંગતા, જે પ્રાપ્ત થાય, તેને સમ્યક્ અવધારવા. ૧૭૬ તેમાં જો લબ્ધ સંખ્યા વિષમ હોય, જેમકે ત્યારે તેનું પર્યાવર્તી દક્ષિણ અયન જાણવું. હવે જો ‘સમ' સંખ્યા પ્રાપ્ત થાય, જેમકે – બે, ચાર, છ, આઠ, દશ ત્યારે તેના પર્યાવર્તી ઉત્તરાયણને જાણવું. એ પ્રમાણે દક્ષિણાયન અને ઉત્તરાયનને જાણવાનો ઉપાય કહ્યો. હવે ૧૮૬ વડે ભાગાકાર કરતાં જે શેષ વધે છે અથવા ભાગ અસંભવ હોવાથી જે શેષ રહે છે, તેની વિધિ કહે છે – — એક, ત્રણ, પાંચ, સાત, નવ. જે પૂર્વે ભાગ કરતાં કે ભાગના અસંભવમાં બાકી રહેલાં અયનગત તિથિ રાશિ વર્તે છે, તેને ચાર વડે ગુણવી. ગુણીને યુગમધ્યમાં જે સંખ્યા વડે પર્વો ૧૨૪ સંખ્યક છે, તેના પાદચતુર્થ અંશથી-૩૧ એવો અર્થ છે. કહે છે – તે રીતે ભાગ કરાતા જે પ્રાપ્ત થાય, તે અંગુલ, મૈં કારથી જે અંગુલાંશ, તે પૌરુષીની ક્ષય-વૃદ્ધિ જાણવી. દક્ષિણાયનમાં પદ-ધ્રુવરાશિની ઉપર વૃદ્ધિ અને ઉત્તરાયણમાં પદ ધ્રુવરાશિનો ક્ષય થાય, એ પ્રમાણે અર્થ જાણવો. હવે એવા સ્વરૂપના ગુણાકારનો ભાગહાર કઈ રીતે ઉત્પન્ન થાય છે ? તે અહીં જો ૧૮૬ થી ૨૪-ગુલ ક્ષય કે વૃદ્ધિ પ્રાપ્ત થાય, તો એક તિથિમાં કેટલી વૃદ્ધિ કે ક્ષય થાય? અહીં ત્રિરાશિ સ્થાપના - ૧૮૬/૨૪/૧. અહીં અંત્ય રાશિ વડે મધ્યમ રાશિને
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy