SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૪ ૩૫ ૩૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે. તે ગવાક્ષકટક ઉd ઉચ્ચત્વથી અર્ધયોજત-બે ગાઉ વિકંભથી ૫૦૦-ધનુષ્પ છે, સપણે રનમય, સ્વચ્છ છે. અહીં ચાવત્ કરણથી પૂર્વે વર્ણન કરાયેલ વિશેષણપદ ગ્રાહ્ય છે. ગવાક્ષશ્રેણિ લવણસમુદ્ર પડખામાં જગતી ભિતિના બહુમધ્ય ભાગમત જાણવી. •x - હવે જગતીના ઉપરના ભાગના વર્ણનને માટે કહે છે - ચોક્ત સ્વરૂપા જગતીની ઉપરિતન તલમાં જે બહુ મધ્યદેશ લક્ષણ ભાગ છે ભાગ પ્રદેશ લક્ષણ પણ છે. તેમાં પરાવર્વેદિકાનો અવસ્થાન સંભવે છે. આ દેશગ્રહણથી મહાભાગ અર્થ કરવો. તે ચાર યોજનરૂપ જગતી ઉપરના તલની મધ્ય ધનુષ છે. આ બહુમધ્યદેશ ભાગમાં પૂર્વવત મોટી એક પરાવરવેદિકા-દેવભોગ ભૂમિ મેં અને બાકીના તીર્થકરોએ કહેલી છે. તે વેદિકા ઉર્વ-ઉચ્ચત્વથી અદ્ધ યોજન, ૫૦૦ ધનુષ વિભથી, જગતની સમાન પરિક્ષેપ-પરિધિ છે. અતિ જંબૂદ્વીપની ચોતરફ વલયાકારથી સ્થિત જગતના ચાવતુ ઉપરના તળને ચાર યોજન વિસ્તારાત્મક, ત્યાંથી લવણની દિશામાં દેશોન બે યોજન ત્યાગીને પૂર્વે જ્યાં સુધી જગતીની પરિધિ છે, ત્યાં સુધી આ પણ છે, સમરતપણે રdખચિત છે. બાકી પાઠ પૂર્વવતુ. હવે આનું અતિદેશગર્ભ વર્ણક સૂત્ર કહે છે – તે પદાપર્વેદિકાના અવે એ વફ્ટમાણપણાથી પ્રત્યક્ષ અને તે કહેવાનાર જૂનાધિક પણ હોય. આ જ સ્વરૂપ જેનું છે તે તથા વર્ષ - ગ્લાઘા યથાવસ્થિત સ્વરૂ૫ કીર્તન, તેનો નિવાસ અથ ગ્રંથ પદ્ધતિરૂપ વર્ણક નિવેશ અથવા વર્ણક ગ્રંથ વિસ્તર કહેલ છે. તે આ રીતે - ‘વજમયનેમ’ ઈત્યાદિ, આ પ્રકાર વડે જેમ જીવાભિગમમાં પાવર વેદિકા વર્ણાક વિસ્તાર કહેલ છે, તે રીતે જાણવો. તે ક્યાં સુધી ? તે કહે છે • ચાવત અર્થ-પાવર વેદિકા શબ્દનો અર્થ નિર્વચન. પછી પણ કયાં સુધી ? તે કહે છે - યાવત્ ઘવ, નિયત, શાશ્વત. વળી તે પણ ક્યાં સુધી ? તે કહે છે - નિત્ય સુધી. તે સમગ્ર પાઠ આ પ્રમાણે – વજમાય નેમા, રિટમય પ્રતિષ્ઠાન, વૈર્યમય સ્તંભ, સુવર્ણમય ફલક, લોહિતાક્ષમય સૂચિઓ, વજમય સંધી, વિવિધ મણિમય કડેવર, વિવિધ મણિમય કડેવર સંઘાડા, વિવિધ મણિમયરૂપ, વિવિધ મણિમય રૂપસંઘાડ, અંકમય ૫દા અને પક્ષબાહા, જ્યોતિરસમય વંશ, વંશ વેલુક, જીતમય પરિકા, જાત્ય રૂપમય અવઘાટનીઓ, વજમય ઉપરની પંછણી, સર્વ શ્રેત, જીતમય છાદન, તે પાવરવેદિકા એક-એક હેમાલથી, એક એક કનકવક્ષ જાલથી, એકૈક ખિંખીણી જાલથી, એકૈક ઘંટાજાલથી, એ પ્રમાણે મુક્તા જાલથી, મણિજાલથી, કનક જાલથી, રનજાલથી, પાકાલવી, સર્વ રજતમયથી, ચારે દિશા-વિદિશા વેખિત છે. તે જાલો તપનીય લંબૂશક, સુવર્ણ પ્રતક મંડિત, વિવિધ મણિરન હાર અઈહારથી ઉપશોભિત સમુદયવાળા, કંઈક અન્યોન્ય સંપ્રાપ્ત, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણઉત્તરથી આવતા મંદ-મંદ વાયુથી કંઈક કંપતા-કંપતા, લંબાતા-લંબાતા, પ્રjઝમાણ, ઉદાર મનોજ્ઞ મનહર કમિન નિવૃત્તિકર શબ્દો વડે તે પ્રદેશમાં ચોતરફથી આપૂરિત કરતા-કરતા શ્રી વડે અતીવ-અતીવ ઉપશોભિત કરતાં રહે છે. તે પાવરવેદિકાથી તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણા શસંઘાટ ગજસંઘાટ, નરસંઘાટ, નિરસંઘાટ, કિંજુષસંઘાટ, મહોરગસંઘાટ, ગંધર્વસંઘાટ, વૃષભસંઘાટ બધાં રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પંક્તિ, વિથી, મિથુનકો પણ કહેવા. તે પદાવલ્વેદિકાના જે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણી પાલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તલતા, કુંદલતા, શ્યામલતા નિત્યકુસુમિતમુકુલિત-લવચિક, સ્તબકિત-ગુલયિત-ગુણ્ડિકાચમલિય-ગુગલિક વિનમિત-પ્રણમિતસુવિભક્ત પિંડમંજરી અવતંસકધારી, નિત્યસંકુમિતા • x • ચાવતુ • x • મંજરી અવતંસકધારી, સવરામય સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. તે પાવરવેદિકાથી તે-તે દશમાં, ત્યાં-ત્યાં ઘણાં અક્ષત સૌવસ્તિક કહેલાં છે. તે સર્વરનમય ચાવતુ પ્રતિરૂપ છે. ભગવદ્ ! એવું કેમ કહે છે - પાવરવેદિકા પડાવરવેદિકા છે ? ગૌતમ ! પાવરવેદિકાથી તે તે દેશમાં, ત્યાં-ત્યાં વેદિકામાં, વેદિકાલાહામાં, વેદિકામુંટાતરમાં, ખંભમાં, સ્તંભબાહા-શીર્ષ-પુટાંતરમાં, સૂચિમાં, સૂચિ મુખ-ફલક-પુટાંતરમાં, પક્ષામાં, પક્ષબાહામાં ઘણાં ઉત્પલ, પદ્મ, કુમુદ, સુભગ, સૌગંધિક, પોંડરિક, મહાપોંડરિક, શતપત્ર, સહમ્રપત્ર, સર્વરત્નમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ કહેલ છે. તેથી હે ગૌતમ ! પાવર વેદિકા એ પડાવસ્વેદિકા છે અથવા હૈ ગૌતમ ! પાવરવેદિકા શાશ્વત નામ કહેલ છે. ભગવદ્ ! પાવરવેદિકા શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ ! કંઈક શાશ્વત, કંઈક અશાશ્વત. એમ કેમ કહ્યું? ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વત અને વર્ણ-ગંધ-રસસ્પર્શ પર્યાયોથી અશાશ્વત છે. તેથી એવું કહે છે કે – કંઈક શાશ્વત છે, કંઈક અશાશ્વત છે. ભગવન પરાવર્વેદિકા કાળથી કેટલી જૂની છે ? ગૌતમ ! તે કદિ ન હતી તેમ નહીં, નહીં હોય તેમ નહીં, નહીં હશે તેમ નહીં. ધ્રુવ, નિત્ય, શાશ્વત, અાત, અવ્યય, અવસ્થિત, નિત્ય છે. ઉક્ત સૂગની વ્યાખ્યાનો સાર – અનંતરોક્ત પરાવરવેદિકાના વજનમય નેમા-ભૂમિભાગથી ઉદર્વ નીકળતા પ્રદેશો છે, રિઠ રત્ન મય મૂલપાદ છે. -x - સુવર્ણ રૂધ્યમય ફલકો-પાવરવેદિકાના અંગભૂત છે. લોહિતાક્ષ રત્નમય બે ફલક સ્થિર સંબંધકારી પાદુકા સ્થાનીય છે. વજમય ફલકની સંધિ છે. નાના મણિમય કડેવરમનુષ્ય શરીરો છે. સંઘાટયુગ્મ - x - રૂ૫ - હાથી આદિના રૂપો, તેમાં કેટલાંક શોભાયેં, કેટલાંક વિનોદાર્થે કેટલાંક દેદોષ નિવારણાર્થે છે. • x - x -
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy