SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૯૯ ૧૯૭ નંદનવન પ્રસ્તાવમાં કહ્યું તે લાવો, કૂટને વજીને સિદ્ધાયતનાદિ વ્યવસ્થાઘાયક સમાન લાવો છે, તે જ અહીં ભવનાદિમાં જાણવો. - ૪ - ગ્રંયાંતરથી અહીં વાપીના નામો કહે છે – ઈશાન પ્રાસાદમાં પંડા, પંડ્રપ્રભા, સુકતા, તાવતી આનેય પ્રાસાદમાં ક્ષીરસા, ઈરસા, અમૃતરસા, વારુણી. નૈઋત પ્રાસાદમાં શંખોતરા, શંખા, શંખાવ. બલાહકા છે. વાયવ્યપાસાદમાં - પુષ્પોત્તા, પુષ્પવતી, સુષુપા, પુષ્પમાલિની. હવે અભિષેકશિલાની વક્તવ્યતા કહે છે – • સૂત્ર-૨૦o : ભગવન! પાંડકવનમાં કેટલી અભિષેક શિલાઓ કહેલી છે ? ગૌતમ! ચાર અભિષેક શિલા છે, તે આ પ્રમાણે - પાંડુશિલા, પાંડુકંભલશિલા, કતશિલા, તર્કબલશિલા. ભગવતુ પંડકવનમાં પાંડુશિલા નામે શિલા ક્યાં કહી છે ? ગૌતમ / મેર ચૂલિકાની પૂર્વે પાંડુકવનના પૂર્વ છેડે, અહીં પાંડુકવનાં પાંડુ શિલા નામે શિક્ષા કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી, અર્ધ ચંદ્ર સંસ્થાના સંસ્થિત, ૫oo યોજન લાંબી, ર૫o યોજન પહોળી, ૪-જોજન જડી, સર્વ સુવર્ણમયી, સ્વચ્છ, વેદિકા-qનખંડથી ચોતરફથી પરિવરિત છે. વર્ણન પૂર્વવત્ કહેવું. " તે પાંડુશિલાની ચારે દિશામાં ચાર ટિસોપાનપતિરૂપક કહેલ છે, યાવત તોરણાનું વર્ણન કરવું. પાંડશિલાની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે ચાવતું ત્યાં દેવો આશ્રય લે છે. તે બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં ઉત્તર-દક્ષિણે અહીં બે સીંહાસન કહેલ છે, તે પoo ધનુણ લાંબા-પહોળા, ૫૦ ધનુષ જાડા છે. સીંહાસન વર્ણન વિજયકૂષ્ય વજીને પૂર્વવત્ કહેવું. તેમાં જે ઉત્તરનું સીંહાસન છે. ત્યાં ઘમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક દેવો અને દેવીઓ વડે કચ્છાદિના તીર્થક્રનો અભિષેક કરે છે. તેમાં જે દક્ષિણ બાજુનું સીંહાસન છે, ત્યાં ઘણાં ભવનપતિ આદિ દેવો અને દેવીઓ વાદિ વિજયના તીર્થોનો અભિષેક કરે છે. ભગવત્ / હેડકવનમાં પાંડુ કંબલશિલા નામે શિલા કી કહેલ છે ? ગૌતમ મેર ચૂલિકાની દક્ષિણે પાંડુકલનમાં દક્ષિણ છેડે, અહીં હાંડુકવનમાં પાંડુકેબલ શિલા નામે શિલા કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ પહોળી, પૂર્વવવ પ્રમાણથી કથન કહેવું યાવત તેના બહુરામ રમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મોટું સીંહાસન કહેલ છે. સિંહાસનનું પ્રમાણ પૂર્વવતું. ત્યાં ઘણાં ભવનતિ આદિ દેવો ભરતક્ષેત્રના તીર્થકરોનો અભિષેક કરે છે. ભગવન પંડ્રકવનમાં કતશિલા નામે શિલા ક્યાં કહી છે ? ગૌતમ ! મેર ચૂલિકાની પશ્ચિમે, પાંડુકવનની પશ્ચિમી છેકે, અહીં ખંડકવનમાં તશિલા ૧૯૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર નામે શિલા કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી છે, ચાવત્ પ્રમાણ પૂર્વવતું, સર્વ તપનીયમયી, સ્વચ્છ છે. ઉત્તર-દક્ષિણમાં અહીં બે સીંહાસનો કહેલા છે. તેમાં જે દક્ષિણનું સ્સહારાન છે, ત્યાં ઘણાં ભવનપત્યાદિ દેવો પક્ષ આદિના તીર્થકરોનો અભિષેક કરે છે. તેમાં જે ઉત્તરતું સીંહાસન છે, ત્યાં યાવત્ વાદિના તીર્થકરનો અભિષેક કરે છે. - ભગવન! પાંડકવનમાં કત કંબલાશિના નામે શિક્ષા ક્યાં કહેલ છે? ગૌતમાં મેર યુલિકાની ઉત્તરે, પાંડકવનના ઉત્તરના છેડે, અહીં પાંડુકવામાં તર્કબલા શિલા નામે શિલા કહેલી છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબી, ઉત્તર-દક્ષિણ પહોળી, સર્વ તપનીયમયી, સ્વચ્છ ચાવત મધ્યદેશભાગમાં સીંહાસન છે. ત્યાં ઘણાં ભવનપતી આદિ દેવધેલીઓ યાવત્ ઐરાવતના તીર્થકરોને અભિષેક કરે છે. • વિવેચન-૨૦o - ભગવન! પાંડુકવનમાં કેટલી અભિષેક-જિન જન્મસ્નાત્રને માટેની શિલા કહેલી છે ? ગૌતમ ! ચાર. તે આ - પાંડુશિલા આદિ. બીજે તેના નામ પાંડુકંબલા, અતિપાંડુકંબલા, રક્તકંબલા, અતિરક્ત કંબલા છે. હવે પહેલી શિલાનું સ્થાન-મેટુ ચૂલિકાની પૂર્વે ઈત્યાદિ • x • સ્િમાર્ણવત્ જાણવું] - x • ૫૦૦ યોજન મુખવિભાગે, ૫૦ યોજન મધ્યભાગે, પરમ વ્યાસના સંભવથી અર્ધચંદ્રાકાર ક્ષેત્ર જ છે. તેથી જ આ પરમવાસના શરવથી લાંબુ, જીવાપણાથી પરિક્ષેપ ધતુપૃષ્ઠવથી તેને કરણ રીતિથી જાણવું. - X - X • તેની વકતા ચૂલિકા સમીપે છે, સરળતા સ્વ-સ્વ દિશાક્ષેત્ર અભિમુખ છે. વેદિકા અને વનખંડનું વર્ણન કહેવું. ચાર યોજનની શિલા દુરારોહ છે, તેથી આરોહક કહે છે - તેની ચારે દિશામાં બસોપાન પ્રતિરૂપક કહેલ છે. તોરણ સુધી તેનું વર્ણન કહેવું. હવે તેનું ભૂમિ સૌભાગ્ય કહે છે - તે પાંડુશિલા ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવતું દેવો બેસે છે, સુવે છે ઈત્યાદિ. હવે અભિષેક વર્ણન કહે છે - ત્યાં ડીક મધ્યદેશ ભાગમાં બે અભિષેક સીંહાસન-જિનજન્માભિષેકને માટે પીઠ કહેલ છે. [વર્ણન સૂપ્રાર્થવતું તેમાં ઉપરના ભાગે વિજય નામે ચંદરવો ન કહેવો. કેમકે તે શિલા સીંહાસન અનાચ્છાદિતદેશમાં રહેલ છે. અહીં સીંહાસનની લંબાઈ-પહોળાઈ તુલ્ય હોવાથી સમચતુરસ કહેલ છે. અહીં એક જ સીંહાસનમાં અભિષેક થઈ શકે છે, તો શા માટે બે સીંહાસન કહેલા છે ? તે બે સિંહાસનમાં જે ઉત્તર બાજુનું સીંહાસન છે ત્યાં કચ્છાદિ આઠ વિજયના તીર્થકરો જન્મોત્સવાર્થે હવડાવે છે. જ્યારે દક્ષિણ બાજુના સિંહાસને વસાદિ આઠ વિજયના તીર્થકરોનો અભિષેક થાય છે. આ અર્થ છે - આ શિલા પૂર્વ દિશા અભિમુખ છે, ત્યાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં એક સાથે બે તીર્થકરોનો જન્મ થાય છે, તેમાં સીતાના ઉત્તર દિગવર્તી વિજયમાં જમેવ તીર્થકર ઉત્તર દિશાવર્તી સિંહાસન અભિષિક્ત કરાય છે. એ રીતે દક્ષિણ દિશાવર્તી વિજયમાં જન્મેલ તીર્થકરનો અભિષેક દક્ષિણ દિશાવર્ત સીંહાસને થાય છે.
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy