________________
૩૨૯૦ થી ૯૫
સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીનું પટ્ટશાક ધારણ કરી, વસ્ત્ર નીચે લટકતાં કિનારા સંભાળીને, શ્રેષ્ઠ પ્રધાન રત્નો લઈ, અંજલિ જોડી, પગે પડી ભરત રાજાનું શરણું લો. ઉત્તમપુરુષો પ્રણિપતિત વત્સલ હોય છે. આપને ભરતરાજા તરફથી કોઈ ભય રાખવાની જરૂર નથી.
૮૩
એ પ્રમાણે જે દિશાથી પ્રગટ થયેલા, તે જ દિશામાં પાછા ગયા. ત્યારે તે આપાતકિરાતો મેઘમુખ નાગકુમાર દેવો વડે એમ કહેવાતા ઉત્થાન વડે ઉઠે છે, ઉઠીને સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, ભીનું વસ્ત્ર ધારણ કરી ઈત્યાદિ વડે - ૪ - ભરત રાજા હતો ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી યાવ મસ્તકે અંજલિ કરી ભરત રાજાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને શ્રેષ્ઠ પ્રધાન રત્નોનું ભેટલું કરી આમ કહ્યું –
[૧] સંપત્તિધર ! ગુણધર ! જયધર ! હ્રી-શ્રી-ધી-કીર્તિના ધારક નરેન્દ્ર ! રાજોચિત હજાર લક્ષણોથી સંપન્ન ! આ રાજ્યને ચિરકાળ ધારણ કરો.
[૨] અશ્વપતિ, ગજપતિ, નરપતિ, નવનિધિપતિ, ભરતક્ષેત્રના પ્રથમ અધિપતિ, ૩૨,૦૦૦ જનપદના સ્વામી ! ઘણું જીવો.
[૯૩] પ્રથમ નરેશ્વર, ઈશ્વર, ૬૪,૦૦૦ નારીઓના હદયેશ્વર, લાખો દેવોના સ્વામી, ચૌદરત્નોના સ્વામી, યશવી ! -
---
[૪] - - - આપે સમુદ્ર અને પિર્યન્ત ઉત્તર-દક્ષિણ સમગ્ર ભરતક્ષેત્રને જીતી લીધું છે, અમે આપના દેશમાં વસીએ છીએ.
[૫] અહો ! આપ દેવાનુપિયાની ઋદ્ધિ, ધુતિ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ છે, આપને આ દિવ્ય દેવધુતિ, દિવ્ય દેવાનુભાવ, લબ્ધ-પ્રાપ્તઅભિસમન્વાગત થયા છે. અમે આપની ઋદ્ધિ યાવત્ અભિસમન્વાગત થઈ છે, તે સાક્ષાત્ જોયેલ છે, હે દેવાનુપ્રિય ! અમને ક્ષમા કરો. અમે આપની ક્ષમા માંગીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવાને યોગ્ય છો. અમે ભવિષ્યમાં ફરી કદિ આવું નહીં કરીએ, એમ કહી હાથ જોડી, પગે પડી ભરતરાજાનું શરણું લીધું.
ત્યારપછી તે ભરતરાજા તે આપાતકિરાતોના પ્રધાન શ્રેષ્ઠ રત્નોને સ્વીકારે છે, સ્વીકારીને આપાતકિરાતોને આ પ્રમાણે કહે છે – જાઓ, તમને મેં મારી બાહુની છાયામાં સ્વીકાર કર્યા છે. તમે નિર્ભય અને નિરુદ્વેગ થઈ સુખસુખે રહો. હવે તમને કોઈથી ભય નથી. એમ કહી સત્કાર અને સન્માન કર્યું,
સત્કારી-સન્માનીને વિદાય આપી,
ત્યારપછી તે ભરતરાજા સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – ઓ દેવાનુપિય ! તું જા, સિંધુ મહાનદીના બીજા પશ્ચિમી નિષ્કુટે સિંધુનદી સુધીના સાગરની મર્યાદામાં સમ-વિષમ નિષ્કુટોને સાધિત કર, સાધિત કરીને પ્રધાન-શ્રેષ્ઠ રત્નોને ગ્રહણ કર. કરીને મારી આ આજ્ઞા જલ્દીથી પાછી સોંપ. આ બધું દક્ષિણના વિજય વર્ણનવત્ બધું કહેવું યાવત્ ભોગોને અનુભવતો
*
વિચરી રહ્યો છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
• વિવેચન-૯૦ થી ૯૫ -
સમુદ્ગક રૂપપણે રહ્યા પછી તે ભરતરાજાને સાત અહોરાત્ર પરિપૂર્ણ થયા પછી, આવા સ્વરૂપનો યાવત્ સંકલ્પ ઉપજ્યો. તેને જ કહે છે – ઓ સૈનિકો ! આ કોણ પ્રાર્થિતપ્રાર્યકાદિ વિશેષણ વિશિષ્ટ છે, જે મને આ આવા દિવ્ય દેવો જેવી ઋદ્ધિવાળા રાજાને - ૪ - જેને દિવ્ય દેવધુતિ, દેવાનુભાવ ઈત્યાદિ પ્રાપ્ત હોવા છતાં છાવણી ઉપર યુગમુશલ મુષ્ટિ પ્રમાણ માત્ર ધારા વડે વરસાદ વરસાવે છે ?
અહીં કિરાતને જ ગ્રહણ કરવાના છતાં કોનો આ ઉપદ્રવ ઉપક્રમ છે, એમ સામાન્યથી જ્ઞાન હોવા છતાં, આ કોણ છે એવા આક્રોશથી ઉપસ્થિત ઘણાં વૈરીમાં આ કોણ છે, જે મારી સામે ઉભો થયો છે, ઈત્યાદિ ભૂપતિ ભાવને વિચારીને યક્ષોએ જે કર્યુ, તે કહે છે –
ઉક્ત ચિંતાના ઉત્પન્ન થયા પછી ભરતના આ આવા યાવત્ સંકલ્પને સમુત્પન્ન જાણીને ચૌદરત્નના અધિષ્ઠાયક ૧૪,૦૦૦ દેવ અને ૨૦૦૦ ભરતના અંગરક્ષક એવા ૧૬,૦૦૦ દેવો, જો કે સ્ત્રીરત્નના વૈતાઢ્ય સાધ્યા પછી પ્રાપ્ત થતા હોવાથી ૧૩ રત્નોના ૧૩,૦૦૦ દેવો જ સંભવે છે, તો પણ આ વચન સામાન્યથી છે. તેઓ યુદ્ધને માટે ઉંઘત થયા.
કઈ રીતે ? તે પૂર્વવત્. તે ભરતના નીકટના દેવોએ શું કહ્યું ? તે કહે છે – ઓ મેઘમુખ દેવો ! ઈત્યાદિ - ૪ - શું તમે જાણતા નથી ? અર્થાત્ જાણો જ છો. ચાતુરંત ચક્રવર્તી ભરત રાજાને કોઈપણ દેવ-દાનવાદિ વડે શપ્રયોગાદિથી ઉપદ્રવ કરવા કે રોકવાને સમર્થ નથી. અજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિ મોટા અનર્થને માટે અને પ્રવર્તકને બાઢ બાલિશભાવ ઉદ્ભાવન માટે થાય છે. જગમાં અજેય જાણવા છતાં તમે ભરત રાજાના વિજય સ્કંધાવાર ઉપર વરસાદ વરસાવો છો. આ અવિચારી કાર્ય કરો છો ? - ૪ - અહીંથી જલ્દી ભાગી જાઓ અથવા જો ન ભાગ્યા તો આ ભવથી
બીજા ભવ-પૃથ્વીકાયિકાદિમાં જાઓ અર્થાત્ અપમૃત્યુ પામો. - X -
[શંકા] દેવોનું નિરૂપક્રમ આયુ હોવાથી અપમૃત્યુનો અસંભવ છે, આ વચન બાધાવાળું છે. [સમાધાન સૂત્રોના વૈચિત્ર્યથી ભયસૂત્ર હોવાથી વિવક્ષણામાં
દોષ નથી.
તમ્ i૰ બધું પૂર્વવત્. વિશેષ એ કે – ધનઘટાને પાછી સંહરી લે છે, વરસાદ અટકતાં તે સંપુટથી ચક્રીનું સૈન્ય બહાર નીકળ્યું - ૪ - ૪ - હે દેવાનુપ્રિયો ! આ ભરત રાજા મહર્ષિક યાવત્ તેને દેવાદિ વડે અસ્ત્ર પ્રયોગાદિ વડે યાવત્ રોકવાને સમર્થ નથી, તો પણ અમે આપ સૌની પ્રીતિ માટે ભરત રાજાને ઉપસર્ગ કર્યો, તો હે દેવાનુપ્રિયો ! ત્યાં જાઓ. સ્નાનાદિ વિશેષણ આર્દ્ર-સધ સ્નાન વશ થઈ, જળ વડે ભીના થઈ, ઉત્તરીય પહેરીને જાઓ. આના વડે આવો અવિલંબ સૂચવ્યો. અધોમુખ અંચલ-લટકતો છેડો જે રીતે રહે તેમ. આના દ્વારા પહેરેલા વસ્ત્રબંધનની કાળ અવધિમાં વિલંબ ન કરવા સૂચવ્યું છે અથવા આના દ્વારા અબદ્ધ કચ્છવ સૂચવેલ