SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/૧૦/૫૩ ૧e ૧૩૮ સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ • વિવેચન-૫૩ - કયા પ્રકારે ભગવદ્ ! આપે સ્વયં અસ્ત થઈને અહોરાત્ર પરિ સમાપ્ત કરનાર નક્ષત્રરૂપ નેતા કહેલ છે, તેમ કહેવું? આ જ વાત પ્રતિમાસ માટે પૂછવાને માટે કહે છે - વષકાળના ચાર માસ પ્રમાણમાં પહેલો માસ શ્રાવણ નામે છે તેને કેટલા નક્ષત્ર સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપ્તિ પ્રતિ લઈ જાય છે ? ભગવંતે કહ્યું - ચાર નમો સ્વયં અસ્ત થઈને અહોરાકને પરિસમાપ્તપણે ક્રમથી લઈ જાય છે. તે આ પ્રમાણે – ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા. તેમાં ઉત્તરાષાઢા પહેલા ચૌદ અહોરમને સ્વયં અસ્ત થઈને અહોરાત્રને પરિસમાપિતપણે લઈ જાય છે પછી અભિજિત નક્ષત્ર સાત અહોરમથી લઈ જાય છે. પછી શ્રવણનક્ષત્ર આઠ અહોરાત્રથી લઈ જાય છે. એ પ્રમાણે સર્વ સંકલનાથી શ્રાવણ માસના ૨૯-અહોરાત્ર થાય છે. પછી શ્રાવણ માસ સંબંધી છેલ્લા એક અહોરાત્રને ધનિષ્ઠાનક્ષત્ર સ્વયં અસ્ત થઈ અહોરણ પરિસમાપકપણે લઈ જાય છે. એ પ્રમાણે ચાર નક્ષત્રો શ્રાવણ માસને પૂર્ણ કરે છે. તે શ્રાવણમાસમાં ચાર અંગુલ અધિક પૌરુષી છાયાથી સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત કરે છે. અર્થાત શ્રાવણમાસમાં પ્રથમ અહોરાત્રથી આરંભીને પ્રતિદિન અચાન્ય મંડલ સંક્રાંતિ વડે તે રીતે કંઈક પણ પરાવર્તિત કરે છે. જેથી તે શ્રાવણ માસના અંતે ચાર ગુલ અધિક બે પાદ પોરિસિ હોય છે. તે જ સુપ્રકારશ્રી કહે છે કે – તે શ્રાવણ માસના છેલ્લા દિવસ બે પાદ ચાર ગુલ પોરિસ થાય છે. તે વષકાળના ચતુમતિ પ્રમાણમાં બીજા ભાદ્રપદ નામે માસને કેટલાં નબો પૂર્ણ કરે છે ? આ વાક્યનો ભાવાર્થ પૂર્વવત્ કહેવો, ભગવંત કહે છે - ચાર નક્ષત્રો પૂર્ણ કરે છે. તે આ રીતે - ધનિષ્ઠા, શતભિષજ, પૂવપિઠપદા અને ઉત્તરાપૌઠપદા. તેમાં ઘનિષ્ઠા, તે ભાદ્રપદ માસમાં પહેલા ચૌદ અહોરાત્રને સ્વયં અસ્ત થઈને અહોરમને પૂર્ણતા પ્રતિ લઈ જાય છે. ત્યારપછી શતભિષકુ ન સાત અહોરાત્રથી, પછી પરમ આઠ અહોરાત્રથી પૂર્વ પ્રૌઠપદા, પછી એક અહોરાત્રથી ઉત્તર પ્રોઇપદા, એ પ્રમાણે ભાદ્રપદ માસને ચાર નક્ષત્રો પૂર્ણ કરે છે. તે ભાદ્રપદ માસને આઠ અંગુલ અધિક પૌરુપીછાયાથી સૂર્ય પ્રતિ દિવસ પરાવર્તિત કરે છે. અહીં પણ આ ભાવાર્થ છે - ભાદરવા માસમાં પ્રથમ અહોરમથી, આરંભીને પ્રતિદિવસ અચાન્ય મંડલ સંક્રાંતિ વડે તેવી કોઈક રીતે પરાવર્તિત કરે. છે, જેથી તે ભાદ્રપદ માસના અંતે આઠ અંગુલ પોરિસિ થાય છે. * * આ પ્રમાણે બાકીના માસગત સૂત્રો પણ વિચારવા. વિશેષ એ કે - સ્થા - રેખા એટલે પાદ પર્યન્તવર્તિની સીમા, તે સ્થાનયુક્ત ત્રણ પાદ પોરિસિ થાય છે. અથતિ પરિપૂર્ણ ત્રણ પાદ પોરિસિ થાય છે. આ ચાર અંગુલ પ્રતિમાસ વૃદ્ધિ ત્યાં સુધી, જાણવી જ્યાં સુધી પૌષ માસ આવે છે. ત્યારપછી પ્રતિમાસ ચાર અંગુલની હાનિ કહેવી. તે ત્યાં સુધી, જ્યાં સુધી અષાઢ માસ આવે તે રીતે અષાઢ પર્યન્ત બે પાદ [23/12]. પોરિસિ થાય છે. આ પોરિસિ પ્રમાણ વ્યવહારચી કહ્યું. નિશ્ચયથી સૌદ્ધ ગીશ અહોરાત્ર વડે ચાર ગુલની વૃદ્ધિ કે હાનિ જાણવી. તથા નિશ્ચય થકી પોરિસિ પ્રમાણ પ્રતિપાદનાર્થે આ પૂર્વાચાર્ય પ્રદર્શિત કરણ ગાથાઓ છે. અહીં વૃત્તિકારશ્રીએ આઠ ગાથાઓ નોંધી છે. પછી આઠ ગાથની કમથી વ્યાખ્યા કહી છે. તે ભાણાનો અનુવાદ આ છે.) યુગના મધ્યમાં જે પર્વમાં, જે તિથિમાં પોરિસિ પ્રમાણ જાણવાને ઈચ્છે છે, તે પૂર્વ યુગની આદિથી આરંભીને જેટલા પર્વો અતિક્રાંત કરે છે, તે ગ્રહણ થાય છે. પછી તેને પંદર વડે ગુણીએ છીએ. ગુણીને વિવક્ષિત તિથિથી જે પૂર્વે અતિક્રાંત તિથિઓ છે, તેના સહિત કરાય છે. કરીને ૧૮૬ વડે તેનો ભાગ કરાય છે. અહીં એકમાં લઈ જવા ૧૮૩ મંડલ પરિમાણમાં ચંદ્ર નિપ્પાદિત તિથિના ૧૮૬ થાય છે. તેથી તે માણ વડે વિભાણ કરીને જે માણ પ્રાપ્ત થાય છે, તે જાણીને સખ્યણ અવધારવી. તેમાં જો લબ્ધ વિષમ થાય છે, જેમ એક, ત્રિક, પંચક, સપ્તક, નવક, ત્યારે તેનું પર્યાવત દક્ષિણ અયન જાણવું. હવે ‘સમ’ પ્રાપ્ત થાય છે, તે આ રીતે - બે, ચાર, છ, આઠ, દશ. ત્યારે તે પર્યાવર્તી ઉતરાયણ જાણવું. એ પ્રમાણે દક્ષિણાયન અને ઉત્તરાયણ પરિજ્ઞાનોપાય કહ્યો. હવે ૧૮૬ ભાગથી ભાગ કરાયેલ જે શેષ બાકી રહે છે, અથવા ભાગ અસંભવથી જે શેષ રહે છે, તેની વિધિ કહે છે - જે પૂર્વ ભાગથી હરાતા કે ભાગના અસંભવથી શેપી ભૂત અયનગત તિથિ સશિ વર્તે છે તે ચાર વડે ગણીએ. ગણીને પર્વપાદથી - યુગમળે જે સર્વ સંગાથી ૧૨૪ પર્વો, તેના પાદ-ચતુથશ અંશથી ૩૧ થાય છે. તે ભાગ વડે હરાતા જે પ્રાપ્ત થાય તે અંગુલો – કારથી ગુલાંશ પોરિસિની ક્ષય વૃદ્ધિ જાણવી. દક્ષિણાયનમાં પદ ધ્રુવ રાશિની ઉપર વૃદ્ધિ જાણવી અને ઉત્તરાયણમાં પદ ધુવરાશિથી ક્ષય જાણવો જોઈએ. હવે આ ગુણાકારની કે ભાગાકારની ઉત્પત્તિ કઈ રીતે થાય છે ? તે કહે છે - જો ૧૮૬ તિથિ વડે ૨૪-અંગુલ ક્ષય કે વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તો એક તિથિમાં શું વૃદ્ધિ કે ક્ષય થાય. રાશિ ત્રણની સ્થાપના - ૧૮૬ ૨૪ ૧. અહીં અંત્ય સશિ વડે એક લક્ષણથી મધ્યમ સશિ ચોવીશને ગુણીએ. તો ૨૪-જ આવશે. પછી આધ શશિ ૧૮૬ રૂપ સંખ્યા વડે ભાંગવામાં આવે. તેમાં ઉપરિતન રાશિથી થોડાપણાંથી ભાણ કરી શકાતો નથી. તેથી છેધ-છેદક રાશિની છ સંખ્યા વડે અપવર્તતા કરાય છે. તેનાથી ઉપરની રાશિ ચાર [૨૪ - ૬] અને નીચેની રાશિ એકબીશ [૧૮૬-૬] થાય છે.. એક તિથિમાં ૪૩૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેટલી ક્ષય કે વૃદ્ધિથી ચક ગુણાકાર ઉકત ૩૧ ભાગહાર. અહીં જે પ્રાપ્ત થયા, તે અંગુલ ક્ષય કે વૃદ્ધિમાં
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy