SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ €/-/39 ભાગોને પ્રત્યેક અહોરાત્રમાં એકૈક ભાગને, તેથી કહે છે સર્વાન્વંતર મંડલમાં પરિપૂર્ણતાથી ૩૦ મુહૂર્ત સુધી અવસ્થિત સૂર્યને પ્રકાશ છે, પછી પરમ અનવસ્થિતિ છે. - x - હવે પ્રશ્ન સૂત્ર કહે છે - - નીકળતો એવો સૂર્ય યયોક્તરૂપને ઘટાડતો અને પ્રવેશતી વેળા વધારે છે, આ વિષયમાં શો હેતુ છે ? કઈ ઉ૫પત્તિ છે, તે કહો. ભગવંતે કહ્યું – આ જંબુદ્વીપ વાક્ય પરિપૂર્ણ કહેવું. તેમાં જ્યારે સૂર્ય સભ્યતર મંડલને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠપ્રાપ્ત ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. ૧૧૩ પછી સર્વાશ્ચંતર મંડલથી ઉક્ત પ્રકારે નીકળતો સૂર્ય નવા સંવત્સરને આરંભ કરતો, નવા સંવત્સરના પહેલા અહોરાત્રમાં અત્યંતર અનંતર બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે - ૪ - એક અહોરાત્ર વડે સર્વાશ્ચંતર મંડલગત પહેલી ક્ષણથી આગળ ધીમે-ધીમે કલામાત્ર કલામાત્ર હાનિ વડે અહોરાત્રના અંતે એક ભાગ પ્રકાશને દિવસક્ષેત્રગત ઘટાડીને તે જ એક ભાગ રાત્રિક્ષેત્રને વધારીને ચાર ચરે છે. કેટલા ભાગ પ્રમાણ પુનભંગને દિવસ ક્ષેત્રગત પ્રકાશને ઘટાડીને, રાત્રિક્ષેત્રને વધારીને? તો કહે છે મંડલને ૧૮૩૦ વડે છેદીને. શું કહેવા માંગે છે ? બીજા મંડલને ૧૮૩૦ ભાગથી ભાંગીને, તેથી એક ભાગ થાય. ફરી મંડલના ૧૮૩૦ ભાગોને કઈ રીતે કહે છે ? તે કહે છે. અહીં એકૈક મંડલને બે સૂર્યો વડે એક અહોરાત્રથી ભમીને પૂરે છે અને અહોરાત્રનું ૩૦ મુહૂર્ત પ્રમાણ છે. પ્રત્યેક સૂર્યને અહોરાત્રથી ગણતાં પરમાર્થથી બે અહોરાત્ર થાય છે. બે અહોરાત્રના ૬૦-મુહૂર્તો છે. તેથી મંડલને પહેલા ૬૦ ભાગોથી વિભાજિત કરાય છે. નિષ્ક્રમણ કરતાં બંને સૂર્યો પ્રતિ અહોરાત્ર પ્રત્યેકને ૨/૬૧ ભાગ મુહૂર્ત વડે ઘટાડતાં અને પ્રવેશતી વખતે વધારતાં ચાલે. જે ૨/૬૧ મુહૂર્ત ભાગ છે, તે બંને સમુદિતમાં એક સાર્ઘ ૩૦માં ભાગ, તેને ૬૦ ભાગ સાદ્ધ ૩૦ વડે ગુણતાં ૧૮૩૦ ભાગ થાય છે. એ પ્રમાણે નીકળતો સૂર્ય પ્રતિમંડલને ૧૮૩૦ની સંખ્યાના ભોગને એકૈક ભાગને દિવસક્ષેત્રગત પ્રકાશને ઘટાડતાં રાત્રિક્ષેત્રને વધારતા ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી સર્વ બાહ્ય મંડલમાં ૧૮૩ ભાગ દિવસક્ષેત્રગત પ્રકાશને ઘટાડતાં અને રાત્રિ ક્ષેત્રને વધારતાં થાય છે. ૧૮૩ ભાગ-૧૮૩૦નો દશમો ભાગ છે. 1 પછી સર્વાન્વંતર મંડલથી સર્વબાહ્યમંડલમાં જંબુદ્વીપ ચક્રવાલ દશ ભાગ ત્રુટિત થાય છે, રાત્રિ ક્ષેત્ર વધે છે. - ૪ - એ રીતે અત્યંતર પ્રવેશતો પ્રતિમંડલને ૧૮૩૦ ભાગોમાં એકૈક ભાગને વધારતો ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વાશ્ચંતર મંડલમાં ૧૮૩ ભાગ દિવસ ક્ષેત્ર જતાં પ્રકાશની વૃદ્ધિ થાય છે અને રાત્રિક્ષેત્રની હાનિ થાય છે. ૧૮૩ ભાગ જંબુદ્વીપ ચક્રવાલનો દશમો ભાગ છે. તેથી સર્વબાહ્ય મંડલથી સર્વાન્વંતર મંડલમાં દિવસ કેમ જતા પ્રકાશનો ૧/૧૦ ચક્રવાલ ભાગ વૃદ્ધિ પામે છે, રાત્રિક્ષેત્રગત ત્રુટિત થાય છે. તેથી પૂર્વે કહ્યું તે અવિરોધી છે. - ૪ - 23/8 સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ પ્રામૃત પુરુ થાય ત્યાં સુધી બાકી બધું સુગમ છે. વિશેષ આ - ઉપસંહાર કહે છે, જે કારણે આ પ્રમાણે સૂર્યચાર છે, તેથી પ્રતિ સૂર્ય સંવત્સરમાં સૂર્યસંવત્સરને અંતે સર્વ અત્યંતર મંડલમાં ત્રીશ-ત્રીશ મુહૂર્તો સુધી પરિપૂર્ણ અવસ્થિત પ્રકાશ છે, પછી અનવસ્થિત છે. ૧૧૪ સર્વાન્વંતર મંડલમાં પણ ત્રીશ મુહૂર્ત સુધી પરિપૂર્ણ અવસ્થિત પ્રકાશ કહેવાય છે. તે વ્યવહારથી છે, નિશ્ચયથી તેમાં પણ ધીમે ધીમે ઘટતો જાણવો. - x - મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રામૃત-૬-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy