SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-૩૫ ૯૮ સંસ્થિતિ પરૂપેલી કહેવી. એ પ્રમાણે જે અત્યંતર મંડલમાં ધકાર સંસ્થિતિ પ્રમાણ છે, તે બાહામંડલમાં તાપક્ષેત્ર સંસ્થિતિથી છે. જે તેની તાપગ્ર સંસ્થિતિ છે, તે બાહ્યમંડલમાં અંધકાર સંસ્થિતિથી કહેવી, યાવતું ત્યારે ઉત્તમકાઇ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે. જઘન્ય બાર મુહૂનો દિવસ થાય છે. તે જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્યો કેટલા ક્ષેત્રને ઉંચે તપાવે છે ? કેટલા મને નીચે તપાવે છે કેટલાં ક્ષેત્રને તીર્ણ તપાવે છે ? તે જંબૂદ્વીપ દ્વીપમાં સૂર્યો ૧૦૦ યોજન ઉd તપે છે, ૧૮eo યોજન નીચે તપાવે છે, ૪૭,૨૬૩ યોજન અને એક યોજના ૧૩ ભાગને તીખું તપાવે છે. • વિવેચન-૩૫ : ભગવત્ કઈ રીતે આપે શેતતાની સંસ્થિતિ કહી છે, તે હે ભગવન્! કહો. એ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતા, વર્ધમાન સ્વામી ભગવંતે કહ્યું - તે શેતતાના વિષયમાં વફ્ટમાણ સ્વરૂપ બે ભેદે સંસ્થિતિ કહી છે. તેને જ ‘તoથા' ઈત્યાદિ વડે દેખાડે છે. તથા માં તત્ શબ્દનો અર્થ “તે શ્વેતતા' છે. યથા - જે પ્રકારે બે ભેદ થાય છે, તે રીતે બતાવે છે - ચંદ્રસૂર્ય સંસ્થિતિ અને તાપણોણ સંસ્થિતિ. આ શ્વેતતા ચંદ્ર-સૂર્ય વિમાનોની પણ હોય છે, તેના વડે કરાયેલ તાપફોગની અને પછી શેતતાના યોગથી ઉભયની પણ શતતા શબ્દથી કહેવાય છે. તેના વડે ઉક્ત પ્રકારથી શેતતા બે પ્રકારે થાય છે. તેમાં ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ વિષયમાં પ્રશ્ન કરે છે - આપે કઈ રીતે ભગવનું ! ચંદ્ર-સર્ય સંસ્થિતિ કહેલી છે, તે કહો. આ ચંદ્ર, સૂર્ય વિમાનોના સંસ્થાનરૂપ સંસ્થિતિ પૂર્વે કહી જ છે. તેથી અહીં ચંદ્ર-સૂર્ય વિમાન સંસ્થિતિ ચારે પણ અવસ્થાનરૂપ પૂછેલ જાણવી. એમ કહેતા ભગવત્ આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિ છે, તેટલી જણાવે છે. - તેમાં ચંદ્ર-સૂર્ય સંસ્થિતિની વિચારણામાં નિશે આ સોળ પ્રતિપત્તિઓ કહેલી છે. તે આ પ્રમાણે – (૧) એક વાદી કહે છે - ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ સમચતુરસ સંસ્થિતા કહી છે. સમચતરસ સંસ્થાન જે ચંદ્ર-સૂર્ય સંસ્થિતિના છે તે તથા, અહીં ઉપસંહાર વાક્ય કહે છે કે – એક આ પ્રમાણે કહે છે, એમ બધે ઉપસંહાર વાક્ય જાણવું. (૨) વળી એક એમ કહે છે - વિષમ ચતુરસ સંસ્થિત ચંદ્ર, સૂર્યની સંસ્થિતિ કહી છે. અહીં પણ વિષમયતરસ સંસ્થાન જેનું છે તે - એમ વિગ્રહ કરવો. (3) એમ ઉક્ત પ્રકારથી બીજાના અભિપ્રાયથી સમચતુષ્કોણ સંસ્થિતા ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે કે સમચતુષ્કોણ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે. અહીં સમચતુષ્કોણ એટલે જેમાં ચારે ખૂણા સમ છે તે, સંસ્થિતિસંસ્થાન જેનું છે તે - વિગ્રહ કરવો. _(૪) વિષમ ચતુષ્કોણ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહી છે, તેમ એક કહે સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે. (૫) સમયકવાલરૂપ સંસ્થાન જેનું છે તે વળી બીજા કોઈના અભિપાયથી ચંદ્રસર્ચ સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે સમયકવાલ સંસ્થિત ચંદ્રસૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૬) વિષમ ચકવાલરૂપ સંસ્થાન જેનું છે તે તથા બીજાના મતથી ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેવી. તે આ પ્રમાણે - એક કોઈ કહે છે કે વિષમ ચક્વાલ સંસ્થિત ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે. (9) ચકાચવાલ - રચાંગનું જે અર્ધ ચક્રવાલ, તે રૂપ સંસ્થાન જેનું છે, છે. બીજા કોઈના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે કે ચક્રાદ્ધચકવાલ સંસ્થિત ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે. (૮) વળી એક કહે છે - છત્રાકાર સંસ્થિત ચંદ્ર, સૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૯) ગૃહની જેમ-વાસ્તુવિઘાથી બંઘાયેલ ગૃહની જેમ સંસ્થાન જેનું છે તે, બીજાના મતથી ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેવી. તે આ રીતે – કોઈ ગૃહ સંસ્થિત ચંદ્ર-સૂર્યની સી (૧૦) ગૃહયુક્ત આપણ તે ગૃહાપણ - વાસ્તુવિધા પ્રસિદ્ધ, તેની જેવી સંસ્થિતિ • સંસ્થાન જેનું છે તે. બીજાના અભિપ્રાયથી તેમ કહેવું. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે કે ગૃહાપણ સંસ્થિત ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૧૧) પ્રાસાદની જેમ સંસ્થાન જેનું છે કે, બીજાના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે - કોઈ કહે છે પ્રાસાદ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહેલી છે. (૧૨) ગોપુર • પુરદ્વારની માફક સંસ્થાન જેવું છે , બીજાના મતથી જાણવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે ગોપુર સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહી છે. (૧૩) પ્રેક્ષાગૃહની જેમ વાસ્તુવિધા પ્રસિદ્ધ સંસ્થાન જેનું છે, તે, બીજાના મતે જાણવું. તે આ પ્રમાણે - એક એમ કહે છે પ્રેક્ષાગૃહ સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ છે. (૧૪) વલ્લભી - ગૃહના આચ્છાદનની જેમ સંસ્થાન જેનું છે - તે, બીજાના મતે જાણવું. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે વલભી સંસ્થિત ચંદ્રસૂર્ય સંસ્થિતિ કહેલી છે. (૧૫) હર્મ - ધનવાનનું ગૃહ, તેનો ઉપરનો ભાગ, તેની જેમ સંસ્થાના જેનું છે તે બીજાના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે - હર્પીતલ સંસ્થિતા ચંદ્રસર્યની સંસ્થિતિ કહી છે. (૧૬) વાલાણ પોતિકા સંસ્થિત • દેશી શબ્દ છે, આકાશતડાણ મધ્યમાં વ્યવસ્થિત કીડા સ્થાન લઘુપ્રાસાદ, તેના જેવા સંરથાન જેના છે તે બીજાના મતે જાણવું. તે આ રીતે - વળી કોઈ કહે છે - વાલામ્રપોતિકા સંસ્થિતા ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ કહી છે - એક એમ કહે છે. એ પ્રમાણે પરતીર્થિકોની પ્રતિપત્તિઓ કહી છે. આ પ્રતિપત્તિમાં સમીચીન છે, તેને દશવિ છે. તે સોળ પરતીર્થિકો મળે જે વાદી એમ કહે છે - સમચતુસ્ત્ર સંસ્થિતા ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહી છે, આ અભિપ્રાયથી અમારા મતે પણ ચંદ્રસૂર્યની સંસ્થિતિ વધારવી. તેથી કહે છે - આ બધી પણ કાળ વિશેષ-સુષમસુષમાદિ યુગમળ છે. યુગની આદિમાં શ્રાવણ માસમાં બહલપક્ષની એકમમાં પ્રાતઃ ઉદય સમયમાં એક સૂર્ય દક્ષિણ-પૂર્વની દિશામાં વર્તે છે. તે બીજો સૂર્ય પશ્ચિમ-ઉત્તરમાં છે. 2િ3/7]
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy